TET-TAT ઉમેદવારોના વિરોધ વચ્ચે કાયમી ભરતીને લઈ શિક્ષણમંત્રી Kuber Dindorએ આપ્યું મહત્વનું નિવદેન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-09-11 12:45:22

શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા હતા. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ હતી. જ્ઞાનસહાયક યોજના નાબુદ કરવામાં આવે તે માટે સરકારને, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓને, પદાધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ તેમની વાત સાંભળવામાં આવી ન હતી. 

કુબેર ડિંડોરે શિક્ષકોની કાયમી ભરતીને લઈ કહી આ વાત 

ત્યારે ગઈકાલે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ઉમેદવારોને કહી રહ્યા હતા કે, "જ્ઞાન સહાયકમાં જેમને જોડાવું હોય તે જોડાઈ શકે છે. જો ન જોડાવું હોય તો ઘરે બેસી રહો, કાયમી ભરતી પણ કરવામાં આવશે." ત્યારે વાયરલ વીડિયો અંગે તેમણે સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે. વધુમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે, કાયમી ભરતી જલ્દી થશે! આ જ્ઞાન સહાયક એ વૈકલ્પિક વ્યવસ્થા છે"

ગઈકાલે ઉમેદવારોએ કરી હતી શિક્ષણમંત્રીને રજૂઆત 

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરવા માટે તેમણે સરકારને અનેક વખત રજૂઆત કરવાની કોશિશ કરી હતી. પત્ર લખીને, રજૂઆત કરીને તેમણે પોતાની વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમની વાતને, તેમની રજૂઆતને સાંભળવામાં આવી નથી. પોતાની માગ સાથે તેઓ સાધુ-સંતોના શરણે પણ ગયા હતા કે તેમની વાત તેઓ સાંભળશે. ગઈકાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષણમંત્રી કુબેર ડિંડોર પાસે પોતાની રજૂઆત લઈને ગયા હતા. એક બાજુ તેમને જ્ઞાન સહાયક યોજના સામે વાંધો છે અને બીજી બાજુ તેઓએ શિક્ષણમંત્રીને સવાલ કર્યો હતો કે તમે કાયમી ભરતી વિશે તો ત્રણ મહિનાથી વાત કરી રહ્યા છો અને અમે પણ ત્રણ મહિનાથી સાંભળી રહ્યા છીએ તો કાયમી ભરતી આવશે તો આવશે ક્યારે? 



જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે - કુબેર ડિંડોર 

વિદ્યાર્થીઓએ સવાલ કર્યો હતો કે કાયમી શિક્ષકો માટે પ્રવાસી શિક્ષકોની ભરતી બહાર પાડી હતી તો હવે તમારે જ્ઞાન સહાયક નામની પેટા વૈકલ્પિક તરીકે પાછી કેમ લાવવી પડી? વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીને ઘેરીને રજૂઆત કરી હતી કે મહેકમ પ્રમાણે કાયમી ભરતી જાહેર કરો જો તમે એવું કરતા હો તો અમે ત્રણ ચાર મહિના પગાર વગર પણ કામ કરવા તૈયાર છીએ, ત્યારે શિક્ષણમંત્રીનો જવાબ કંઈક આવો હતો. "ઘણા સમયથી ભરતી ન થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગમાં હાલ કાયમી શિક્ષકોની અતિ જરૂર છે. તેની ઘટ પૂરી કરવા માટે શિક્ષણ વિભાગ પ્રવાસી શિક્ષકો અને જ્ઞાન સહાયક જેવી ભરતી બહાર પાડી રહ્યા છે જેથી સરકારની તિજોરીમાં વધારે ભારણ ન પડે."  ત્યારે આજે શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે જે વીડિયો સામે આવ્યો છે તે અડધો છે.  



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી