કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં! વર્ષો બાદ સોનિયા ગાંધી કરશે જનસભા! પીએમ મોદીનો મેગા રોડ શો તો સોનિયા ગાંધીનું જનસંબોધન!


  • Published By :
  • Published Date : 2023-05-06 12:44:25

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીમાં હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 10 મેના રોજ ખરાખરીનો જંગ જામવાનો છે, કારણ કે 10 મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણી  પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે. ભાજપ સહિત કોંગ્રેસ પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ભાજપનો પ્રચાર કરવા પીએમ મોદી, અમિત શાહ, જે.પી.નડ્ડા સહિત અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઉતરવાના છે. આજે હુબલી ખાતે જનસભાને સંબોધિત કરવાના છે. 2019 પછી સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર કરતા દેખાવાના છે. 

Self-obsessed government hell-bent on trivialising sacrifices of freedom  fighters: Sonia Gandhi

અનેક વર્ષો બાદ સોનિયા ગાંધી કરશે ચૂંટણી પ્રચાર! 

જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે એ પછી ભલે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય. દરેક પાર્ટી મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ભાજપનો પ્રચાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉતરવાના છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા સોનિયા ગાંધી ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરવાના છે. ઘણા વર્ષો બાદ સોનિયા ગાંધી ચૂંટણી પ્રચાર કરતા દેખાવાના છે. 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ ખરાબ તબીયત હોવાને કારણે તેઓ કોઈ ચૂંટણી પ્રચારની રેલીમાં ઉપસ્થિત ન હતા. ત્યારે આજે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર સોનિયા ગાંધી કરવાના છે. હુબલીમાં જનસભાને સંબોધિત કરવાના છે. કર્ણાટકમાં કોંગ્રેસ દ્વારા 43 જેટલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે 13 જેટલા રોડ શો કરવામાં આવ્યા છે.   

પીએમ મોદીનો મેગા રોડ-શો!

તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભાળી રહ્યા છે. કર્ણાટકમાં મેગા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. 17 જેટલા વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે. રવિવારે પણ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલા એક જ દિવસમાં આ આ રોડ શો યોજાવવાનો હતો. 36.6 કિલોમીટરનો રોડ શો થવાનો હતો પરંતુ લોકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખી પ્રોગ્રામને બદલવામાં આવ્યો છે. આજે પીએમ મોદી રોડ શોના માધ્યમથી 17 જેટલા વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરવાના છે.  આ રોડ શોનું નામ પાર્ટીએ નમ્મા બેંગલુરુ, નમ્મા હેમ એટલે કે અમારું બેંગલુરૂ, અમારું ગૌરવ. તે ઉપરાંત જનસભાને પણ સંબોધવાના છે. શ્રીકાંતેશ્વનરના પ્રસિદ્ધ મંદિરમાં દર્શન અને પૂજા કરી પોતાનો પ્રચાર ખતમ કરશે તેવી માહિતી હાલ સામે આવી છે. 


13 મેના રોજ આવવાનું છે ચૂંટણીનું પરિણામ!

મહત્વનું છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોતાના પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર અનેક વખત પ્રહાર કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ કેન્દ્ર સરકાર તેમજ પીએમ મોદી પર નિશાન સાધવામાં આવ્યું છે. ત્યારે આ વખતના પ્રચારમાં ઝેરી સાપ, વિષ કન્યા, નાલાયક બેટા જેવા અનેક આપત્તિજનક શબ્દોનો ઉપયોગ નેતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો પ્રયાસ મતદારોને રિઝવવામાં સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું. કઈ પાર્ટીના શિરે તાજપોશી થશે તે 13 મેના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે ખબર પડશે.         



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.