કચ્છ ખાતે આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:48:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરી થવાની છે. થોડા સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જવાની છે. આચાર સંહિતા લાગે એ પહેલા તમામ પક્ષો પ્રચાર કરવામાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂદ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. 

ઈસુદાનના પ્રહાર

 આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા તેમજ મનિષ સિસોદિયા હાલ ગુજરાતના પ્રવાસે છે. કચ્છ ખાતે જનસંબોધન કરતા ઈસુદાન ગઢવીએ અમિત શાહના દિકરા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને મત આપશો તો અમિત શાહના દિકરાને નોકરી મળશે.

  

કચ્છમાં ઈસુદાને કરી અનેક મોટી જાહેરાત 

ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કચ્છમાં કોઈ મોટી હોસ્પિટલ નથી. જો આમ આદમીની સરકાર આવશે તો ખાનગી હોસ્પિટલને ટક્કર મારતી સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધા ફ્રીમાં અપાશે. ઉપરાંત ખેડૂતો માટે પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતના 2 લાખ રુપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .