કચ્છ ખાતે આમ આદમી પાર્ટીનો ચૂંટણી પ્રવાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 15:48:32

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરી થવાની છે. થોડા સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થઈ જવાની છે. આચાર સંહિતા લાગે એ પહેલા તમામ પક્ષો પ્રચાર કરવામાં લાગી ગયા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂદ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. 

ઈસુદાનના પ્રહાર

 આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચડ્ડા તેમજ મનિષ સિસોદિયા હાલ ગુજરાતના પ્રવાસે છે. કચ્છ ખાતે જનસંબોધન કરતા ઈસુદાન ગઢવીએ અમિત શાહના દિકરા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને મત આપશો તો અમિત શાહના દિકરાને નોકરી મળશે.

  

કચ્છમાં ઈસુદાને કરી અનેક મોટી જાહેરાત 

ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કચ્છમાં કોઈ મોટી હોસ્પિટલ નથી. જો આમ આદમીની સરકાર આવશે તો ખાનગી હોસ્પિટલને ટક્કર મારતી સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધા ફ્રીમાં અપાશે. ઉપરાંત ખેડૂતો માટે પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ખેડૂતના 2 લાખ રુપિયા સુધીના દેવા માફ કરી દેવામાં આવશે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.