ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર, ક્યારે યોજાશે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2023-01-18 16:12:07

દેશના પૂર્વ ભાગના ત્રણ રાજ્યો નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આજે બપોરે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને ચૂંટણી કાર્યક્રમ અને ચૂંટણી પંચની તૈયારીઓ અંગે માહિતી આપી હતી. 


ક્યારે યોજાશે વિધાનસભાની ચૂંટણી?


ચૂંટણીપંચે બુધવારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ચૂંટણીપંચની જાહેરાત પ્રમાણે ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તમામ રાજ્યોના પરિણામો 2 માર્ચે જાહેર કરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણી પંચે જણાવ્યું કે નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભાનો 15 માર્ચે અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે પૂર્ણ થવાનો છે. નોંધવા જેવી બાબત એ છે કે, ત્રણેય રાજ્યમાં બહુમતનો આંકડો 31 છે. 


વિધાનસભાની ચૂંટણી માટે નામાંકન ક્યારે?


ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભાની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા જોઈએ તો ત્રિપુરામાં 21 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી નામાંકન ભરી શકાશે. જ્યારે મેઘાલય અને નાગાલેન્ડમાં 31 જાન્યુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી નામાંકન કરી શકાશે.


CECએ પરિસ્થિતીની કરી હતી સમીક્ષા


કેન્દ્રીય ચૂંટણી પંચે ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ અગાઉ ચૂંટણી પંચે તૈયારીઓની સમીક્ષા કરી હતી. પંચે પૂર્વોત્તરના આ ત્રણ ચૂંટણી રાજ્યોમાં ચાર દિવસીય પ્રવાસ કર્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની સાથે બંને કમિશનર અનૂપ ચંદ્ર પાંડે અને અરુણ ગોયલે ત્રણેય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો અને પરિસ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનરે ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશકો તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજી હતી.ચૂંટણી પંચના અધિકારીઓ 11 જાન્યુઆરીએ સૌથી પહેલા ત્રિપુરા પહોંચ્યા હતા. અહીંથી નાગાલેન્ડ અને છેલ્લે મેઘાલયની મુલાકાત લીધી હતી. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.