અધિકારીઓની બદલી મુદ્દે ચૂંટણી પંચનું આકરૂ વલણ, સરકાર આજે જાહેર કરી શકે બદલીના આદેશો


  • Published By :
  • Published Date : 2022-10-27 13:45:18


ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે 51 IAS અને IPS અધિકારીઓની બદલીને લઈ તંગદીલી વધી છે. ચૂંટણી પંચે આ અધિકારીઓની બદલી મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો જો કે રાજ્ય સરકારે કોઈ જવાબ આપ્યો ન હતો. અંતે ચૂંટણી પંચે ફરી એક રિમાઈન્ડર લેટર મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને મોકલ્યો હતો. ચૂંટણી પંચે તેના પત્રમાં કડક સૂચના આપી હતી કે અધિકારીઓના અગાઉના આદેશો હોવા છતાં તેમની બદલી કેમ હજુ સુધી થઈ શકી નથી.


ચૂંટણી પંચના કડક વલણ બાદ સરકાર એક્સનમાં


ચૂંટણી પંચે 21 ઓક્ટોબરે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી અધિકારીઓની બદલી અંગે અનુપાલન રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ખુલાસો માંગ્યો હતો. કમિશને મુખ્ય સચિવને છ વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત બાકીના 51 અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા અને ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચેની ભારે નારાજગી અને કડક વલણ બાદ હવે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી એક જ જિલ્લામાં કાર્યરત 51 વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવા જઈ રહી છે. 


છ  IPS અધિકારીઓની થઈ શકે બદલી


જે છ વરિષ્ઠ IPS અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા માટે ચૂંટણી પંચ દબાણ કરી રહ્યું છે તેમાં હર્ષદ પટેલ, મુકેશ પટેલ, ભક્તિ ઠાકર, પ્રેમવીર સિંહ અને એજી ચૌહાણનો સમાવેશ થાય છે જેઓ હાલમાં અમદાવાદમાં પોસ્ટેડ છે, જ્યારે અન્ય ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી છે, જેઓ સુરતમાં પોસ્ટેડ છે. પંચે ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં અનુપાલન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.


અધિકારીઓની બદલીનો નિયમ શું છે?


ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખાયેલા આયોગના પત્ર મુજબ જે અધિકારીઓ તેમના ગૃહ જિલ્લામાં અથવા કોઈપણ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી અધિકારી રહ્યા છે, તેમની અન્ય જિલ્લામાં બદલી કરવી જોઈએ. મુક્ત, નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણી માટે આ એક સુયોજિત પ્રક્રિયા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે