અધિકારીઓની બદલી મુદ્દે ચૂંટણી પંચનું આકરૂ વલણ, સરકાર આજે જાહેર કરી શકે બદલીના આદેશો


  • Published By :
  • Published Date : 2022-10-27 13:45:18


ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે 51 IAS અને IPS અધિકારીઓની બદલીને લઈ તંગદીલી વધી છે. ચૂંટણી પંચે આ અધિકારીઓની બદલી મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો જો કે રાજ્ય સરકારે કોઈ જવાબ આપ્યો ન હતો. અંતે ચૂંટણી પંચે ફરી એક રિમાઈન્ડર લેટર મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને મોકલ્યો હતો. ચૂંટણી પંચે તેના પત્રમાં કડક સૂચના આપી હતી કે અધિકારીઓના અગાઉના આદેશો હોવા છતાં તેમની બદલી કેમ હજુ સુધી થઈ શકી નથી.


ચૂંટણી પંચના કડક વલણ બાદ સરકાર એક્સનમાં


ચૂંટણી પંચે 21 ઓક્ટોબરે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી અધિકારીઓની બદલી અંગે અનુપાલન રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ખુલાસો માંગ્યો હતો. કમિશને મુખ્ય સચિવને છ વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત બાકીના 51 અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા અને ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચેની ભારે નારાજગી અને કડક વલણ બાદ હવે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી એક જ જિલ્લામાં કાર્યરત 51 વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવા જઈ રહી છે. 


છ  IPS અધિકારીઓની થઈ શકે બદલી


જે છ વરિષ્ઠ IPS અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા માટે ચૂંટણી પંચ દબાણ કરી રહ્યું છે તેમાં હર્ષદ પટેલ, મુકેશ પટેલ, ભક્તિ ઠાકર, પ્રેમવીર સિંહ અને એજી ચૌહાણનો સમાવેશ થાય છે જેઓ હાલમાં અમદાવાદમાં પોસ્ટેડ છે, જ્યારે અન્ય ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી છે, જેઓ સુરતમાં પોસ્ટેડ છે. પંચે ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં અનુપાલન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.


અધિકારીઓની બદલીનો નિયમ શું છે?


ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખાયેલા આયોગના પત્ર મુજબ જે અધિકારીઓ તેમના ગૃહ જિલ્લામાં અથવા કોઈપણ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી અધિકારી રહ્યા છે, તેમની અન્ય જિલ્લામાં બદલી કરવી જોઈએ. મુક્ત, નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણી માટે આ એક સુયોજિત પ્રક્રિયા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.