અધિકારીઓની બદલી મુદ્દે ચૂંટણી પંચનું આકરૂ વલણ, સરકાર આજે જાહેર કરી શકે બદલીના આદેશો


  • Published By :
  • Published Date : 2022-10-27 13:45:18


ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે 51 IAS અને IPS અધિકારીઓની બદલીને લઈ તંગદીલી વધી છે. ચૂંટણી પંચે આ અધિકારીઓની બદલી મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો જો કે રાજ્ય સરકારે કોઈ જવાબ આપ્યો ન હતો. અંતે ચૂંટણી પંચે ફરી એક રિમાઈન્ડર લેટર મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને મોકલ્યો હતો. ચૂંટણી પંચે તેના પત્રમાં કડક સૂચના આપી હતી કે અધિકારીઓના અગાઉના આદેશો હોવા છતાં તેમની બદલી કેમ હજુ સુધી થઈ શકી નથી.


ચૂંટણી પંચના કડક વલણ બાદ સરકાર એક્સનમાં


ચૂંટણી પંચે 21 ઓક્ટોબરે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી અધિકારીઓની બદલી અંગે અનુપાલન રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ખુલાસો માંગ્યો હતો. કમિશને મુખ્ય સચિવને છ વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત બાકીના 51 અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા અને ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચેની ભારે નારાજગી અને કડક વલણ બાદ હવે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી એક જ જિલ્લામાં કાર્યરત 51 વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવા જઈ રહી છે. 


છ  IPS અધિકારીઓની થઈ શકે બદલી


જે છ વરિષ્ઠ IPS અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા માટે ચૂંટણી પંચ દબાણ કરી રહ્યું છે તેમાં હર્ષદ પટેલ, મુકેશ પટેલ, ભક્તિ ઠાકર, પ્રેમવીર સિંહ અને એજી ચૌહાણનો સમાવેશ થાય છે જેઓ હાલમાં અમદાવાદમાં પોસ્ટેડ છે, જ્યારે અન્ય ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી છે, જેઓ સુરતમાં પોસ્ટેડ છે. પંચે ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં અનુપાલન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.


અધિકારીઓની બદલીનો નિયમ શું છે?


ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખાયેલા આયોગના પત્ર મુજબ જે અધિકારીઓ તેમના ગૃહ જિલ્લામાં અથવા કોઈપણ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી અધિકારી રહ્યા છે, તેમની અન્ય જિલ્લામાં બદલી કરવી જોઈએ. મુક્ત, નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણી માટે આ એક સુયોજિત પ્રક્રિયા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.