અધિકારીઓની બદલી મુદ્દે ચૂંટણી પંચનું આકરૂ વલણ, સરકાર આજે જાહેર કરી શકે બદલીના આદેશો


  • Published By :
  • Published Date : 2022-10-27 13:45:18


ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે 51 IAS અને IPS અધિકારીઓની બદલીને લઈ તંગદીલી વધી છે. ચૂંટણી પંચે આ અધિકારીઓની બદલી મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો જો કે રાજ્ય સરકારે કોઈ જવાબ આપ્યો ન હતો. અંતે ચૂંટણી પંચે ફરી એક રિમાઈન્ડર લેટર મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને મોકલ્યો હતો. ચૂંટણી પંચે તેના પત્રમાં કડક સૂચના આપી હતી કે અધિકારીઓના અગાઉના આદેશો હોવા છતાં તેમની બદલી કેમ હજુ સુધી થઈ શકી નથી.


ચૂંટણી પંચના કડક વલણ બાદ સરકાર એક્સનમાં


ચૂંટણી પંચે 21 ઓક્ટોબરે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી અધિકારીઓની બદલી અંગે અનુપાલન રિપોર્ટ દાખલ કરવામાં નિષ્ફળ રહેવા બદલ ખુલાસો માંગ્યો હતો. કમિશને મુખ્ય સચિવને છ વરિષ્ઠ IPS અધિકારીઓ સહિત બાકીના 51 અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા અને ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં અનુપાલન રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચેની ભારે નારાજગી અને કડક વલણ બાદ હવે ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી એક જ જિલ્લામાં કાર્યરત 51 વહીવટી અને પોલીસ અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવા જઈ રહી છે. 


છ  IPS અધિકારીઓની થઈ શકે બદલી


જે છ વરિષ્ઠ IPS અધિકારીઓને તેમના સંબંધિત મુખ્યાલયમાં સ્થાનાંતરિત કરવા માટે ચૂંટણી પંચ દબાણ કરી રહ્યું છે તેમાં હર્ષદ પટેલ, મુકેશ પટેલ, ભક્તિ ઠાકર, પ્રેમવીર સિંહ અને એજી ચૌહાણનો સમાવેશ થાય છે જેઓ હાલમાં અમદાવાદમાં પોસ્ટેડ છે, જ્યારે અન્ય ડીસીપી ક્રાઈમ રૂપલ સોલંકી છે, જેઓ સુરતમાં પોસ્ટેડ છે. પંચે ગુજરાત સરકારને ગુરુવાર સુધીમાં અનુપાલન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે.


અધિકારીઓની બદલીનો નિયમ શું છે?


ગુજરાત સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને લખાયેલા આયોગના પત્ર મુજબ જે અધિકારીઓ તેમના ગૃહ જિલ્લામાં અથવા કોઈપણ જિલ્લામાં 3 વર્ષ કે તેથી વધુ સમયથી અધિકારી રહ્યા છે, તેમની અન્ય જિલ્લામાં બદલી કરવી જોઈએ. મુક્ત, નિષ્પક્ષ અને નિર્ભય ચૂંટણી માટે આ એક સુયોજિત પ્રક્રિયા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.