ગુજરાતમાં ચૂંટણી પંચનો ધમધમાટ, ગમે તે ઘડીએ જાહેર થઈ શકે વિધાનસભાની ચૂંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:43:29

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થયો છે, આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓની આખરી સમીક્ષા માટે આજથી બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી ગુજરાતના પ્રવાસે છે.


કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીએ યોજી સમીક્ષા બેઠક


કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજીવકુમાર અને અનુપચંદ્ર પાન્ડેના નેતૃત્વમાં પંચના 10થી વધુ સિનીયર અધિકારીઓએ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે વિધાનસભાની ચૂંટણી અંગેની સમીક્ષાની કામગીરી હાથ ધરી હતી. હિમાચલ પ્રદેશથી મુલાકાત પછી પંચના અધિકારીઓ સીધા  ગુજરાતની મુલાકાતે આવ્યા છે.  પંચના અધિકારીઓ દ્વારા ગુજરાતની તમામ બેઠકો માટે સમીક્ષા શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં ચોથીવાર ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવ્યા છે. પંચના અધિકારીઓ બે દિવસ સુધી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરનાર છે. પહેલા દિવસે કલેક્ટરો, જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કરી કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરશે.



ચૂંટણી ખર્ચ અંગે ચૂંટણી પંચનું કડક વલણ


ચૂંટણી પંચના અધિકારીઓ બીજા દિવસે રાજકીય પક્ષો સાથે પણ અલગથી બેઠક કરશે. પંચ આ વખતે ખર્ચ નિયંત્રણને લઈ અતિ આગ્રહી બન્યુ હોવાથી જુદી જુદી એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ સાથે પણ બેઠક કરનાર છે. પંચે મતદારયાદી નોંધણીના નવા નિયમો અમલી બનાવ્યા છે. એટલે નવા નોંધાયેલા મતદારો સાથે પણ અલગથી બેઠક કરશે તેમજ મતદાર જાગૃત્તિ અભિયાનને લઈ પણ ખાસ સમીક્ષા કરશે.


10મી ઓક્ટોબરે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ


રાજ્યમાં દસમી ઓક્ટોબરે વિધાનસભાની બેઠક દીઠ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે તે પૂર્વે પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમે હાલ ગુજરાતની મુલાકાત લીધી છે. આ અગાઉ પણ પંચ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યુ હતુ. આ દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.