ગુજરાતમાં ચૂંટણી પંચનો ધમધમાટ, ગમે તે ઘડીએ જાહેર થઈ શકે વિધાનસભાની ચૂંટણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 17:43:29

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં ધમધમાટ શરૂ થયો છે, આ દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચ પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગ્યું છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીઓની આખરી સમીક્ષા માટે આજથી બે દિવસ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી ગુજરાતના પ્રવાસે છે.


કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીએ યોજી સમીક્ષા બેઠક


કેન્દ્રીય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારી રાજીવકુમાર અને અનુપચંદ્ર પાન્ડેના નેતૃત્વમાં પંચના 10થી વધુ સિનીયર અધિકારીઓએ ગાંધીનગર સ્થિત હોટલ લીલા ખાતે વિધાનસભાની ચૂંટણી અંગેની સમીક્ષાની કામગીરી હાથ ધરી હતી. હિમાચલ પ્રદેશથી મુલાકાત પછી પંચના અધિકારીઓ સીધા  ગુજરાતની મુલાકાતે આવ્યા છે.  પંચના અધિકારીઓ દ્વારા ગુજરાતની તમામ બેઠકો માટે સમીક્ષા શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં ચોથીવાર ચૂંટણી પંચના અધિકારીઓ ગુજરાત આવ્યા છે. પંચના અધિકારીઓ બે દિવસ સુધી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરનાર છે. પહેલા દિવસે કલેક્ટરો, જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક કરી કરાયેલી તૈયારીઓની સમીક્ષા કરશે.



ચૂંટણી ખર્ચ અંગે ચૂંટણી પંચનું કડક વલણ


ચૂંટણી પંચના અધિકારીઓ બીજા દિવસે રાજકીય પક્ષો સાથે પણ અલગથી બેઠક કરશે. પંચ આ વખતે ખર્ચ નિયંત્રણને લઈ અતિ આગ્રહી બન્યુ હોવાથી જુદી જુદી એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ સાથે પણ બેઠક કરનાર છે. પંચે મતદારયાદી નોંધણીના નવા નિયમો અમલી બનાવ્યા છે. એટલે નવા નોંધાયેલા મતદારો સાથે પણ અલગથી બેઠક કરશે તેમજ મતદાર જાગૃત્તિ અભિયાનને લઈ પણ ખાસ સમીક્ષા કરશે.


10મી ઓક્ટોબરે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ


રાજ્યમાં દસમી ઓક્ટોબરે વિધાનસભાની બેઠક દીઠ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે તે પૂર્વે પંચના ઉચ્ચ અધિકારીઓની ટીમે હાલ ગુજરાતની મુલાકાત લીધી છે. આ અગાઉ પણ પંચ બે દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યુ હતુ. આ દરમિયાન તેઓએ તમામ જિલ્લા કલેક્ટરો અને પોલીસ વડાઓ સાથે બેઠક કરી હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે