અમૂલ ડેરીમાં યોજાઈ ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી, જાણો કોની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-02-14 12:14:23

અમૂલ ડેરીમાં આજે ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી રામસિંહ પરમારનું શાસન હતું પરંતુ હવે ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. વિપુલ પટેલની ચેરમેન તરીકે વરણી થતા અમૂલમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 


ચેરમેન તરીકે થઈ વિપુલ પટેલની વરણી 

ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ એટલે અમૂલ ડેરીમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ પદ માટે ચાર દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી હતી જેમાં રામસિંહ પરમાર, પપ્પુ પાઠક, નડિયાદ વાળા વિપુલ પટેલ ઉપરાંત રંગાયપુર વાળા વિપુલ પટેલનો સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી ચેરમેન પદ પર રામસિંહ પરમારનો દબદબો હતો. ત્યારે રામસિંહને પડકાર આપવા રંગાઈપુર તેમજ નડિયાદના વિપુલ પેટલ, રાજેશ પાઠક ભાજપના મોવડીમંડળ સાથે સંપર્કમાં આવ્યા. 


અમૂલમાં ભાજપની છે બહુમતી 

જે બાદ સોમવારે પાર્ટી મોવડીમંડે અમૂલના ભાજપના તમામ ડિરેક્ટરની મીટિંગ બોલાવી હતી અને ચેરમેન તેમજ વાઈસચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમૂલ ડેરીના ભાજપ સમર્પિત 11 બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે ચેરમેન તરીકે વિપુલ પટેલની તેમજવાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં 12 ચૂંટાયેલા સભ્યો, એક વ્યક્તિગત શેર હોલ્ડર, આણંદ જિલ્લા રજીસ્ટાર તેમજ અમૂલ ફેડરેશન પ્રતિનિધિના વોટ 15 થતા હતા. જેમાં ભાજપ પાસે 11 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે બે સભ્યો છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.