અમૂલ ડેરીમાં યોજાઈ ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી, જાણો કોની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-02-14 12:14:23

અમૂલ ડેરીમાં આજે ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી રામસિંહ પરમારનું શાસન હતું પરંતુ હવે ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. વિપુલ પટેલની ચેરમેન તરીકે વરણી થતા અમૂલમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 


ચેરમેન તરીકે થઈ વિપુલ પટેલની વરણી 

ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ એટલે અમૂલ ડેરીમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ પદ માટે ચાર દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી હતી જેમાં રામસિંહ પરમાર, પપ્પુ પાઠક, નડિયાદ વાળા વિપુલ પટેલ ઉપરાંત રંગાયપુર વાળા વિપુલ પટેલનો સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી ચેરમેન પદ પર રામસિંહ પરમારનો દબદબો હતો. ત્યારે રામસિંહને પડકાર આપવા રંગાઈપુર તેમજ નડિયાદના વિપુલ પેટલ, રાજેશ પાઠક ભાજપના મોવડીમંડળ સાથે સંપર્કમાં આવ્યા. 


અમૂલમાં ભાજપની છે બહુમતી 

જે બાદ સોમવારે પાર્ટી મોવડીમંડે અમૂલના ભાજપના તમામ ડિરેક્ટરની મીટિંગ બોલાવી હતી અને ચેરમેન તેમજ વાઈસચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમૂલ ડેરીના ભાજપ સમર્પિત 11 બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે ચેરમેન તરીકે વિપુલ પટેલની તેમજવાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં 12 ચૂંટાયેલા સભ્યો, એક વ્યક્તિગત શેર હોલ્ડર, આણંદ જિલ્લા રજીસ્ટાર તેમજ અમૂલ ફેડરેશન પ્રતિનિધિના વોટ 15 થતા હતા. જેમાં ભાજપ પાસે 11 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે બે સભ્યો છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.