અમૂલ ડેરીમાં યોજાઈ ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી, જાણો કોની કરાઈ વરણી


  • Published By :
  • Published Date : 2023-02-14 12:14:23

અમૂલ ડેરીમાં આજે ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી રામસિંહ પરમારનું શાસન હતું પરંતુ હવે ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે વાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. વિપુલ પટેલની ચેરમેન તરીકે વરણી થતા અમૂલમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. 


ચેરમેન તરીકે થઈ વિપુલ પટેલની વરણી 

ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સંઘ એટલે અમૂલ ડેરીમાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ પદ માટે ચાર દાવેદારોના નામોની ચર્ચા ચાલી રહી હતી જેમાં રામસિંહ પરમાર, પપ્પુ પાઠક, નડિયાદ વાળા વિપુલ પટેલ ઉપરાંત રંગાયપુર વાળા વિપુલ પટેલનો સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી ચેરમેન પદ પર રામસિંહ પરમારનો દબદબો હતો. ત્યારે રામસિંહને પડકાર આપવા રંગાઈપુર તેમજ નડિયાદના વિપુલ પેટલ, રાજેશ પાઠક ભાજપના મોવડીમંડળ સાથે સંપર્કમાં આવ્યા. 


અમૂલમાં ભાજપની છે બહુમતી 

જે બાદ સોમવારે પાર્ટી મોવડીમંડે અમૂલના ભાજપના તમામ ડિરેક્ટરની મીટિંગ બોલાવી હતી અને ચેરમેન તેમજ વાઈસચેરમેન માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમૂલ ડેરીના ભાજપ સમર્પિત 11 બોર્ડ ઓફ ડિરેક્ટરો સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે ચેરમેન તરીકે વિપુલ પટેલની તેમજવાઈસ ચેરમેન તરીકે કાંતિ પરમારની વરણી કરવામાં આવી છે. મહત્વનું છે કે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં 12 ચૂંટાયેલા સભ્યો, એક વ્યક્તિગત શેર હોલ્ડર, આણંદ જિલ્લા રજીસ્ટાર તેમજ અમૂલ ફેડરેશન પ્રતિનિધિના વોટ 15 થતા હતા. જેમાં ભાજપ પાસે 11 સભ્યો છે જ્યારે કોંગ્રેસ પાસે બે સભ્યો છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.