રાજ્યસભાની ત્રણ બેઠકો માટે નહીં યોજાય ચૂંટણી! કોંગ્રેસે ચૂંટણીને લઈ શા માટે લીધો આવો નિર્ણય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-07 16:47:41

આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પોતાના સંગઠનને મજબૂત કરવા પાછળ પાર્ટી કામ કરી રહી છે. ત્યારે થોડા સમય પહેલા રાજ્યસભાની ચૂંટણીને લઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે. ત્રણ બેઠકો માટે ચૂંટણી થવાની છે જેમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. કારણ કે કોંગ્રેસ પાસે માત્ર 17 સીટો છે જ્યારે ભાજપ પાસે 156 સીટો છે. આવી સ્થિતિમાં પૂરતું સંખ્યાબળ ન હોવાને કારણે કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


18 ઓગસ્ટે આ ત્રણ નેતાનો કાર્યકાળ થાય છે પૂર્ણ    

ગુજરાતની ત્રણ રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેનું નોટિફિકેશન થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યું હતું. નોમિનેશન ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ છે અને ઉમેદવારી ખેંચવાની આખરી તારીખ છે. પરંતુ આ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી નહીં લડે. કોંગ્રેસ ત્રણમાંથી એક પણ બેઠક પર પોતાના ઉમેદવારને નહીં ઉભા રાખે. ગુજરાતમાં વિદેશમંત્રી એસ જયશંકર, સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવાડીયાની ટર્મ પૂરી થઈ રહી છે. કાર્યકાળ પૂર્ણ થવાને કારણે ચૂંટણી યોજાવાની છે. ગોવાની એક, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. 18 ઓગસ્ટના રોજ દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની ટર્મ પૂર્ણ થવાનો છે.  


ગુજરાત રાજ્યસભાની બેઠકો ભાજપના કબજે

ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં મતદારાઓએ ભાજપને ખોબેને ખોબે મત આપ્યા હતા.  182માંથી 156 સીટો ભાજપને ફાળે ગઈ છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણીને રાજકારણ ગરમાયું છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પીછેહટ કરવામાં આવતા જે ભાજપના ઉમેદવારો છે તે બીન હરીફ ચૂંટાઇ શકે છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.