કચ્છના આ વિસ્તારમાં સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો, શિક્ષકની વિદાય પર ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગ્રામજનો પણ રડ્યા!


  • Published By :
  • Published Date : 2023-08-01 11:45:11

શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. અનેક વખત એવા સમાચારો તમારા સુધી પહોંચાડ્યા છે. પરંતુ આ વખતે તમને શિક્ષણ વિભાગની નબળી કામગીરી વિશે નહીં પરંતુ શિક્ષકોની કામગીરી અંગે વાત કરવી છે. નકારાત્મક નહીં પરંતુ સકારાત્મક વાત કરવી છે. શિક્ષકોના અનેક એવા દાખલા આપણી સામે છે અંતરિયાળ વિસ્તારમાં ખૂબ સારી તેમજ બિરદાવવા લાયક કામગીરી કરતા હોય છે. ગામડાના વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે ઘણા પ્રયત્નો શિક્ષકો કરતા હોય છે. એ શિક્ષકો ન માત્ર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા હોય છે પરંતુ વિદ્યાર્થીના પરિવારો પણ તેમની કામગીરીથી પ્રભાવિત થતા હોય છે. જે ગામમાં સુવિધાઓ ન હોય તેવી જગ્યાઓ પર જઈ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. 

Emotional scenes of farewell ceremony of primary school teacher Prahlad Suthar of Misriada village HC


કચ્છના છેવાડાના વિસ્તારમાં શિક્ષકની વિદાય થતાં સર્જાયા ભાવુક દ્રશ્યો  

ગુરુ ગોવિંદ દોઉ ખડે, કા કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીઓ બતાયે. ગુરૂનું સ્થાન આપણા ઘડતરમાં ખૂબ અગત્યનું હોય છે. ગામડાના વિદ્યાર્થીઓ અને તેમાં પણ અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોને પોતાના શિક્ષકો પ્રત્યે ખૂબ માન હોય છે. એક સન્માનની દ્રષ્ટિથી તેઓ પોતાના શિક્ષકને જોતા હોય છે, તેમના માટે તે ભગવાન હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શિક્ષકોની વિદાય પર ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગામના લોકો પણ ભાવુક થયા છે. કચ્છના છેવાડાના બન્ની વિસ્તારથી ભાવુક કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. દુર્ગમ વિસ્તારમાં શિક્ષક માટે યોગ્ય સગવડો ન હોવા છતાંય વિદ્યાર્થીના ભણતર પર કોઈ ખરાબ અસર ન પડે તે માટે તેઓ ભણાવે છે. આ શિક્ષકનું નામ છે પ્રહલાદ સુથાર. 13 વર્ષ બાદ શિક્ષકની બદલી થઈ હતી અને તેમના માટે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ તેમના વાલીઓ તેમજ ગ્રામજનો આવ્યા હતા.

 

Emotional scenes of farewell ceremony of primary school teacher Prahlad Suthar of Misriada village HC

ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને હોય છે શિક્ષકોની કદર! 

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. પ્રલય ઓર વિનાશ ઉનકી ગોદમે પલતે હે. ભાવી પેઢીને તૈયાર કરવાનું કામ એક શિક્ષકનું હોય છે. શિક્ષક ધારે તો પરિવર્તન પણ લાવી શકે છે. જેને ભણતર આસાનીથી મળી ગયું હોય તે વ્યક્તિને શિક્ષકની તેમજ અભ્યાસની કદર નથી હોતી. તેવા અનેક દ્રષ્ટાંત આપણી સામે હશે, પરંતુ જે લોકોને, જે વિદ્યાર્થીઓને ભણતર માટે સંઘર્ષ કરવો પડે છે તેમને શિક્ષકોની કદર હોય છે. ગામડામાં જે શિક્ષકો સંઘર્ષ વેઠી બાળકોને ભણાવવા માટે આવે છે તેમને પણ સલામ કરવા જોઈએ. માત્ર મોટી મોટી વાતો કરવાથી, મોટા મોટા સૂત્રો લગાવાથી કામ નહીં થાય આવા શિક્ષકોની જરૂર છે જે નિષ્ઠાથી પોતાનું કામ કરે છે અને શિક્ષણ વિભાગનો એક સારો ચહેરો આપણી સામે પ્રસ્તુત કરે છે.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.