કચ્છના આ વિસ્તારમાં સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો, શિક્ષકની વિદાય પર ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગ્રામજનો પણ રડ્યા!


  • Published By :
  • Published Date : 2023-08-01 11:45:11

શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. અનેક વખત એવા સમાચારો તમારા સુધી પહોંચાડ્યા છે. પરંતુ આ વખતે તમને શિક્ષણ વિભાગની નબળી કામગીરી વિશે નહીં પરંતુ શિક્ષકોની કામગીરી અંગે વાત કરવી છે. નકારાત્મક નહીં પરંતુ સકારાત્મક વાત કરવી છે. શિક્ષકોના અનેક એવા દાખલા આપણી સામે છે અંતરિયાળ વિસ્તારમાં ખૂબ સારી તેમજ બિરદાવવા લાયક કામગીરી કરતા હોય છે. ગામડાના વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે ઘણા પ્રયત્નો શિક્ષકો કરતા હોય છે. એ શિક્ષકો ન માત્ર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા હોય છે પરંતુ વિદ્યાર્થીના પરિવારો પણ તેમની કામગીરીથી પ્રભાવિત થતા હોય છે. જે ગામમાં સુવિધાઓ ન હોય તેવી જગ્યાઓ પર જઈ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. 

Emotional scenes of farewell ceremony of primary school teacher Prahlad Suthar of Misriada village HC


કચ્છના છેવાડાના વિસ્તારમાં શિક્ષકની વિદાય થતાં સર્જાયા ભાવુક દ્રશ્યો  

ગુરુ ગોવિંદ દોઉ ખડે, કા કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીઓ બતાયે. ગુરૂનું સ્થાન આપણા ઘડતરમાં ખૂબ અગત્યનું હોય છે. ગામડાના વિદ્યાર્થીઓ અને તેમાં પણ અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોને પોતાના શિક્ષકો પ્રત્યે ખૂબ માન હોય છે. એક સન્માનની દ્રષ્ટિથી તેઓ પોતાના શિક્ષકને જોતા હોય છે, તેમના માટે તે ભગવાન હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શિક્ષકોની વિદાય પર ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગામના લોકો પણ ભાવુક થયા છે. કચ્છના છેવાડાના બન્ની વિસ્તારથી ભાવુક કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. દુર્ગમ વિસ્તારમાં શિક્ષક માટે યોગ્ય સગવડો ન હોવા છતાંય વિદ્યાર્થીના ભણતર પર કોઈ ખરાબ અસર ન પડે તે માટે તેઓ ભણાવે છે. આ શિક્ષકનું નામ છે પ્રહલાદ સુથાર. 13 વર્ષ બાદ શિક્ષકની બદલી થઈ હતી અને તેમના માટે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ તેમના વાલીઓ તેમજ ગ્રામજનો આવ્યા હતા.

 

Emotional scenes of farewell ceremony of primary school teacher Prahlad Suthar of Misriada village HC

ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને હોય છે શિક્ષકોની કદર! 

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. પ્રલય ઓર વિનાશ ઉનકી ગોદમે પલતે હે. ભાવી પેઢીને તૈયાર કરવાનું કામ એક શિક્ષકનું હોય છે. શિક્ષક ધારે તો પરિવર્તન પણ લાવી શકે છે. જેને ભણતર આસાનીથી મળી ગયું હોય તે વ્યક્તિને શિક્ષકની તેમજ અભ્યાસની કદર નથી હોતી. તેવા અનેક દ્રષ્ટાંત આપણી સામે હશે, પરંતુ જે લોકોને, જે વિદ્યાર્થીઓને ભણતર માટે સંઘર્ષ કરવો પડે છે તેમને શિક્ષકોની કદર હોય છે. ગામડામાં જે શિક્ષકો સંઘર્ષ વેઠી બાળકોને ભણાવવા માટે આવે છે તેમને પણ સલામ કરવા જોઈએ. માત્ર મોટી મોટી વાતો કરવાથી, મોટા મોટા સૂત્રો લગાવાથી કામ નહીં થાય આવા શિક્ષકોની જરૂર છે જે નિષ્ઠાથી પોતાનું કામ કરે છે અને શિક્ષણ વિભાગનો એક સારો ચહેરો આપણી સામે પ્રસ્તુત કરે છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.