કચ્છના આ વિસ્તારમાં સર્જાયા ભાવુક કરી દે તેવા દ્રશ્યો, શિક્ષકની વિદાય પર ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગ્રામજનો પણ રડ્યા!


  • Published By :
  • Published Date : 2023-08-01 11:45:11

શિક્ષણની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળતી જઈ રહી છે. અનેક વખત એવા સમાચારો તમારા સુધી પહોંચાડ્યા છે. પરંતુ આ વખતે તમને શિક્ષણ વિભાગની નબળી કામગીરી વિશે નહીં પરંતુ શિક્ષકોની કામગીરી અંગે વાત કરવી છે. નકારાત્મક નહીં પરંતુ સકારાત્મક વાત કરવી છે. શિક્ષકોના અનેક એવા દાખલા આપણી સામે છે અંતરિયાળ વિસ્તારમાં ખૂબ સારી તેમજ બિરદાવવા લાયક કામગીરી કરતા હોય છે. ગામડાના વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે ઘણા પ્રયત્નો શિક્ષકો કરતા હોય છે. એ શિક્ષકો ન માત્ર વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરતા હોય છે પરંતુ વિદ્યાર્થીના પરિવારો પણ તેમની કામગીરીથી પ્રભાવિત થતા હોય છે. જે ગામમાં સુવિધાઓ ન હોય તેવી જગ્યાઓ પર જઈ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. 

Emotional scenes of farewell ceremony of primary school teacher Prahlad Suthar of Misriada village HC


કચ્છના છેવાડાના વિસ્તારમાં શિક્ષકની વિદાય થતાં સર્જાયા ભાવુક દ્રશ્યો  

ગુરુ ગોવિંદ દોઉ ખડે, કા કો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીઓ બતાયે. ગુરૂનું સ્થાન આપણા ઘડતરમાં ખૂબ અગત્યનું હોય છે. ગામડાના વિદ્યાર્થીઓ અને તેમાં પણ અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોને પોતાના શિક્ષકો પ્રત્યે ખૂબ માન હોય છે. એક સન્માનની દ્રષ્ટિથી તેઓ પોતાના શિક્ષકને જોતા હોય છે, તેમના માટે તે ભગવાન હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ ન ગણાય. કારણ કે આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં શિક્ષકોની વિદાય પર ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ ગામના લોકો પણ ભાવુક થયા છે. કચ્છના છેવાડાના બન્ની વિસ્તારથી ભાવુક કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. દુર્ગમ વિસ્તારમાં શિક્ષક માટે યોગ્ય સગવડો ન હોવા છતાંય વિદ્યાર્થીના ભણતર પર કોઈ ખરાબ અસર ન પડે તે માટે તેઓ ભણાવે છે. આ શિક્ષકનું નામ છે પ્રહલાદ સુથાર. 13 વર્ષ બાદ શિક્ષકની બદલી થઈ હતી અને તેમના માટે વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ન માત્ર વિદ્યાર્થીઓ પરંતુ તેમના વાલીઓ તેમજ ગ્રામજનો આવ્યા હતા.

 

Emotional scenes of farewell ceremony of primary school teacher Prahlad Suthar of Misriada village HC

ગામડામાં રહેતા વિદ્યાર્થીઓને હોય છે શિક્ષકોની કદર! 

આચાર્ય ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. પ્રલય ઓર વિનાશ ઉનકી ગોદમે પલતે હે. ભાવી પેઢીને તૈયાર કરવાનું કામ એક શિક્ષકનું હોય છે. શિક્ષક ધારે તો પરિવર્તન પણ લાવી શકે છે. જેને ભણતર આસાનીથી મળી ગયું હોય તે વ્યક્તિને શિક્ષકની તેમજ અભ્યાસની કદર નથી હોતી. તેવા અનેક દ્રષ્ટાંત આપણી સામે હશે, પરંતુ જે લોકોને, જે વિદ્યાર્થીઓને ભણતર માટે સંઘર્ષ કરવો પડે છે તેમને શિક્ષકોની કદર હોય છે. ગામડામાં જે શિક્ષકો સંઘર્ષ વેઠી બાળકોને ભણાવવા માટે આવે છે તેમને પણ સલામ કરવા જોઈએ. માત્ર મોટી મોટી વાતો કરવાથી, મોટા મોટા સૂત્રો લગાવાથી કામ નહીં થાય આવા શિક્ષકોની જરૂર છે જે નિષ્ઠાથી પોતાનું કામ કરે છે અને શિક્ષણ વિભાગનો એક સારો ચહેરો આપણી સામે પ્રસ્તુત કરે છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.