રથયાત્રા દરમિયાન જોવા મળ્યા ભાવુક કરી દે તેવા દ્રશ્યો! અશક્ત હોવાથી વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!


  • Published By :
  • Published Date : 2023-06-20 15:47:11

ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદના રસ્તાઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભગવાનના દર્શન કરી અનેક ભક્તો ભાવ વિભોર થઈ જતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જે મંદિરમાં દર્શન કરવા નથી જઈ શક્તા. ત્યારે ભક્તોને દર્શન આપવા ભગવાન સ્વયં અષાઢી બીજના રોજ સામે ચાલીને આવે છે. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી.

       


વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાનની એક ઝલક માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. દર્શન માટે બાળ, યુવાન, વૃદ્ધ સૌ કાઈ આવ્યા છે. જે લોકો મંદિરમાં ન જઈ શક્તા હોય તેમને દર્શન આપવા ભગવાન સામેથી આવે છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઘણાં વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવે છે. તબિયત સારી ન રહેવાને કારણે તેઓ વ્હીલચેર પર બેસીને ભગવાનના દર્શન કરવા આવ્યા છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.