રથયાત્રા દરમિયાન જોવા મળ્યા ભાવુક કરી દે તેવા દ્રશ્યો! અશક્ત હોવાથી વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!


  • Published By :
  • Published Date : 2023-06-20 15:47:11

ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદના રસ્તાઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભગવાનના દર્શન કરી અનેક ભક્તો ભાવ વિભોર થઈ જતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જે મંદિરમાં દર્શન કરવા નથી જઈ શક્તા. ત્યારે ભક્તોને દર્શન આપવા ભગવાન સ્વયં અષાઢી બીજના રોજ સામે ચાલીને આવે છે. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી.

       


વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાનની એક ઝલક માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. દર્શન માટે બાળ, યુવાન, વૃદ્ધ સૌ કાઈ આવ્યા છે. જે લોકો મંદિરમાં ન જઈ શક્તા હોય તેમને દર્શન આપવા ભગવાન સામેથી આવે છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઘણાં વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવે છે. તબિયત સારી ન રહેવાને કારણે તેઓ વ્હીલચેર પર બેસીને ભગવાનના દર્શન કરવા આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.