રથયાત્રા દરમિયાન જોવા મળ્યા ભાવુક કરી દે તેવા દ્રશ્યો! અશક્ત હોવાથી વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!


  • Published By :
  • Published Date : 2023-06-20 15:47:11

ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદના રસ્તાઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભગવાનના દર્શન કરી અનેક ભક્તો ભાવ વિભોર થઈ જતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જે મંદિરમાં દર્શન કરવા નથી જઈ શક્તા. ત્યારે ભક્તોને દર્શન આપવા ભગવાન સ્વયં અષાઢી બીજના રોજ સામે ચાલીને આવે છે. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી.

       


વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાનની એક ઝલક માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. દર્શન માટે બાળ, યુવાન, વૃદ્ધ સૌ કાઈ આવ્યા છે. જે લોકો મંદિરમાં ન જઈ શક્તા હોય તેમને દર્શન આપવા ભગવાન સામેથી આવે છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઘણાં વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવે છે. તબિયત સારી ન રહેવાને કારણે તેઓ વ્હીલચેર પર બેસીને ભગવાનના દર્શન કરવા આવ્યા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.