રથયાત્રા દરમિયાન જોવા મળ્યા ભાવુક કરી દે તેવા દ્રશ્યો! અશક્ત હોવાથી વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!


  • Published By :
  • Published Date : 2023-06-20 15:47:11

ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે. અમદાવાદના રસ્તાઓ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભગવાનના દર્શન કરી અનેક ભક્તો ભાવ વિભોર થઈ જતા હોય છે. ઘણા એવા લોકો હોય છે જે મંદિરમાં દર્શન કરવા નથી જઈ શક્તા. ત્યારે ભક્તોને દર્શન આપવા ભગવાન સ્વયં અષાઢી બીજના રોજ સામે ચાલીને આવે છે. ભગવાનના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જમાવટની ટીમે તેમની સાથે વાત કરી હતી.

       


વ્હીલચેર પર બેસી ભગવાનના કર્યા દર્શન!

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાનની એક ઝલક માટે લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી હતી. દર્શન માટે બાળ, યુવાન, વૃદ્ધ સૌ કાઈ આવ્યા છે. જે લોકો મંદિરમાં ન જઈ શક્તા હોય તેમને દર્શન આપવા ભગવાન સામેથી આવે છે. ત્યારે ભગવાનના દર્શન કરવા વ્હીલચેર પર બેસી દાદીમાં આવ્યા હતા. જ્યારે જમાવટની ટીમે તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ઘણાં વર્ષોથી જગન્નાથજીની રથયાત્રામાં આવે છે. તબિયત સારી ન રહેવાને કારણે તેઓ વ્હીલચેર પર બેસીને ભગવાનના દર્શન કરવા આવ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.