હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડો, ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષામાં 6 માર્ક્સનો પ્રશ્ન પણ GR પ્રમાણે ના પૂછાયો


  • Published By :
  • Published Date : 2023-03-21 22:45:08

રાજ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરમાં ગરબડ થતી હતી તે તો સર્વવિદિત પણ આજે ધોરણ 12ની આર્ટસ અને કોમર્સની બોર્ડની પરીક્ષામાં પણ મોટો ગોટાળો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અંગ્રેજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. આ કારણે ઘણા વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. 


બોર્ડે શું ભાંગરો વાળ્યો?


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે તારીખ 21-03-2023, મંગળવારના રોજ  અંગ્રેજી 013ના સામાન્ય પ્રવાહમાં પ્રશ્રમાં 61માં પ્રશ્નમાં સ્પિચની અથવામાં અરજી પૂછવાની હોય છે તે પુછવામાં આવેલ નથી. હવે બોર્ડની આ ભૂલના કારણે લાખો વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર વૈકલ્પિક પ્રશ્ન અરજી (એપ્લિકેશન)ની જ તૈયારી કરી હતી. પણ આ વિકલ્પ જ ન રહેતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જો કે આ અંગે વિધાર્થીઓને ન્યાય આપવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ યોગ્ય રજૂઆત કરી છે. 


બોર્ડ પોતાનો જ નિયમ ભૂલી ગયું


પરીક્ષા અંગે સરકારના પરિપત્રમાં પણ સ્પિચ (ભાષણ)ના વિકલ્પ તરીકે અરજી (એપ્લિકેશન)નો પ્રશ્ન રાખવાનું ફરજીયાતપણે જણાવવામાં આવ્યું છે. તેમ છતાં બોર્ડ પોતાના જ બનાવેલા નિયમો ભૂલી ગયું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.