હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડો, ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષામાં 6 માર્ક્સનો પ્રશ્ન પણ GR પ્રમાણે ના પૂછાયો


  • Published By :
  • Published Date : 2023-03-21 22:45:08

રાજ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરમાં ગરબડ થતી હતી તે તો સર્વવિદિત પણ આજે ધોરણ 12ની આર્ટસ અને કોમર્સની બોર્ડની પરીક્ષામાં પણ મોટો ગોટાળો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અંગ્રેજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. આ કારણે ઘણા વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. 


બોર્ડે શું ભાંગરો વાળ્યો?


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે તારીખ 21-03-2023, મંગળવારના રોજ  અંગ્રેજી 013ના સામાન્ય પ્રવાહમાં પ્રશ્રમાં 61માં પ્રશ્નમાં સ્પિચની અથવામાં અરજી પૂછવાની હોય છે તે પુછવામાં આવેલ નથી. હવે બોર્ડની આ ભૂલના કારણે લાખો વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર વૈકલ્પિક પ્રશ્ન અરજી (એપ્લિકેશન)ની જ તૈયારી કરી હતી. પણ આ વિકલ્પ જ ન રહેતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જો કે આ અંગે વિધાર્થીઓને ન્યાય આપવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ યોગ્ય રજૂઆત કરી છે. 


બોર્ડ પોતાનો જ નિયમ ભૂલી ગયું


પરીક્ષા અંગે સરકારના પરિપત્રમાં પણ સ્પિચ (ભાષણ)ના વિકલ્પ તરીકે અરજી (એપ્લિકેશન)નો પ્રશ્ન રાખવાનું ફરજીયાતપણે જણાવવામાં આવ્યું છે. તેમ છતાં બોર્ડ પોતાના જ બનાવેલા નિયમો ભૂલી ગયું છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.