હવે બોર્ડની પરીક્ષામાં પણ છબરડો, ધોરણ 12ની અંગ્રેજીની પરીક્ષામાં 6 માર્ક્સનો પ્રશ્ન પણ GR પ્રમાણે ના પૂછાયો


  • Published By :
  • Published Date : 2023-03-21 22:45:08

રાજ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપરમાં ગરબડ થતી હતી તે તો સર્વવિદિત પણ આજે ધોરણ 12ની આર્ટસ અને કોમર્સની બોર્ડની પરીક્ષામાં પણ મોટો ગોટાળો સામે આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે અંગ્રેજી ભાષાના પેપરમાં વિદ્યાર્થીને વૈકલ્પિક પ્રશ્ન જ પૂછવામાં આવ્યો ન હતો. આ કારણે ઘણા વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. 


બોર્ડે શું ભાંગરો વાળ્યો?


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે તારીખ 21-03-2023, મંગળવારના રોજ  અંગ્રેજી 013ના સામાન્ય પ્રવાહમાં પ્રશ્રમાં 61માં પ્રશ્નમાં સ્પિચની અથવામાં અરજી પૂછવાની હોય છે તે પુછવામાં આવેલ નથી. હવે બોર્ડની આ ભૂલના કારણે લાખો વિદ્યાર્થીઓને 6 માર્કસનું નુકસાન થયું છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર વૈકલ્પિક પ્રશ્ન અરજી (એપ્લિકેશન)ની જ તૈયારી કરી હતી. પણ આ વિકલ્પ જ ન રહેતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી હતી. જો કે આ અંગે વિધાર્થીઓને ન્યાય આપવવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ યોગ્ય રજૂઆત કરી છે. 


બોર્ડ પોતાનો જ નિયમ ભૂલી ગયું


પરીક્ષા અંગે સરકારના પરિપત્રમાં પણ સ્પિચ (ભાષણ)ના વિકલ્પ તરીકે અરજી (એપ્લિકેશન)નો પ્રશ્ન રાખવાનું ફરજીયાતપણે જણાવવામાં આવ્યું છે. તેમ છતાં બોર્ડ પોતાના જ બનાવેલા નિયમો ભૂલી ગયું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.