ટૂંક સમયમાં થઈ શકે છે 'દયા ટપ્પુ કે પાપા ગડા'ની એન્ટ્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:41:29

સોની સબ પર આવતી લોકપ્રિય બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી એક વખત દયાભાભી દેખાઈ શકે છે. કોમેડી તેમજ ફેમિલી શો તરીકે તારક મહેતાએ પોતાની જગ્યા દરેક ઘરમાં બનાવી દીધી છે. દુનિયાને ઉંઘા ચશ્મા પુસ્તકથી પ્રેરાઈને આ સિરિયલની શરૂઆત થઈ હતી. અનેક વર્ષોથી પોતાના ચાહકોને મનોરંજન પૂરૂ પાડવામાં આ સિરિયલ સફળ થી થઈ છે. પંરતુ 2015થી દયા ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ સિરિયલને અલવીદા કહીં દીધું હતું. ત્યારે હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે નવેમ્બર સુધીમાં દયાભાભીની વાપસી થઈ શકે છે.

After over 4 years, Dayaben to return on Taarak Mehta Ka Ooltah Chashmah,  confirms producer Asit Kumar Modi : Bollywood News - Bollywood Hungama


થોડા સમયમાં થશે દયાભાભીની વાપસી 

ગરબા તેમજ પોતાના અભિનયને કારણે દયાભાભીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. પરંતુ અંગત કારણોસર દયાભાભી (દિશા વાકાણી)એ સિરિયલને અલવિદા કહીં દીધું હતું. તે બાદ અનેક અભિનેતા તેમજ અભિનેત્રીઓ પણ શોની બહાર નીકળી ગયા હતા. અનેક વર્ષોથી ચાલતી આ સિરિયલમાં અનેક પાત્રો બદલાયા છે. સોનુ, ટપ્પુ, સોઢી, અંજલીભાભી સહિતના અનેક કલાકારોએ આ શો છોડી દીધો હતો. મહેતા સાહેબ તરીકે પ્રખ્યાત થયેલા શૈલેષ લોઢાએ પણ સિરિયલને અલવિદા કહી દીધું હતું. સિરિયલના મેકર્સે તેમનું રિપ્લેસ્મેન્ટ શોધી કાઢ્યું પરંતુ આટલા વર્ષોથી તેઓ દયાભાભી (દિશા વાકાણી)નું રિપ્લેસ્મેન્ટ શોધી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ પ્રોડક્શન ટીમની તેમની સાથે વાતચીત થઈ રહી છે. અને તેઓ ટૂંક સમયમાં જ, શોમાં પરત ફરવાના છે તેવું કહેવામાં આવી રહ્યું છે. દયાભાભીની એન્ટ્રી થતા શોમાં હે મા માતાજી, એ હાલો સાંભળવા મળશે. ઉપરાંત અમદાવાદીના ગરબા પણ જોવા મળશે. 



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.