ટૂંક સમયમાં થઈ શકે છે 'દયા ટપ્પુ કે પાપા ગડા'ની એન્ટ્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:41:29

સોની સબ પર આવતી લોકપ્રિય બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી એક વખત દયાભાભી દેખાઈ શકે છે. કોમેડી તેમજ ફેમિલી શો તરીકે તારક મહેતાએ પોતાની જગ્યા દરેક ઘરમાં બનાવી દીધી છે. દુનિયાને ઉંઘા ચશ્મા પુસ્તકથી પ્રેરાઈને આ સિરિયલની શરૂઆત થઈ હતી. અનેક વર્ષોથી પોતાના ચાહકોને મનોરંજન પૂરૂ પાડવામાં આ સિરિયલ સફળ થી થઈ છે. પંરતુ 2015થી દયા ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ સિરિયલને અલવીદા કહીં દીધું હતું. ત્યારે હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે નવેમ્બર સુધીમાં દયાભાભીની વાપસી થઈ શકે છે.

After over 4 years, Dayaben to return on Taarak Mehta Ka Ooltah Chashmah,  confirms producer Asit Kumar Modi : Bollywood News - Bollywood Hungama


થોડા સમયમાં થશે દયાભાભીની વાપસી 

ગરબા તેમજ પોતાના અભિનયને કારણે દયાભાભીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. પરંતુ અંગત કારણોસર દયાભાભી (દિશા વાકાણી)એ સિરિયલને અલવિદા કહીં દીધું હતું. તે બાદ અનેક અભિનેતા તેમજ અભિનેત્રીઓ પણ શોની બહાર નીકળી ગયા હતા. અનેક વર્ષોથી ચાલતી આ સિરિયલમાં અનેક પાત્રો બદલાયા છે. સોનુ, ટપ્પુ, સોઢી, અંજલીભાભી સહિતના અનેક કલાકારોએ આ શો છોડી દીધો હતો. મહેતા સાહેબ તરીકે પ્રખ્યાત થયેલા શૈલેષ લોઢાએ પણ સિરિયલને અલવિદા કહી દીધું હતું. સિરિયલના મેકર્સે તેમનું રિપ્લેસ્મેન્ટ શોધી કાઢ્યું પરંતુ આટલા વર્ષોથી તેઓ દયાભાભી (દિશા વાકાણી)નું રિપ્લેસ્મેન્ટ શોધી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ પ્રોડક્શન ટીમની તેમની સાથે વાતચીત થઈ રહી છે. અને તેઓ ટૂંક સમયમાં જ, શોમાં પરત ફરવાના છે તેવું કહેવામાં આવી રહ્યું છે. દયાભાભીની એન્ટ્રી થતા શોમાં હે મા માતાજી, એ હાલો સાંભળવા મળશે. ઉપરાંત અમદાવાદીના ગરબા પણ જોવા મળશે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.