ટૂંક સમયમાં થઈ શકે છે 'દયા ટપ્પુ કે પાપા ગડા'ની એન્ટ્રી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 16:41:29

સોની સબ પર આવતી લોકપ્રિય બનેલી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ફરી એક વખત દયાભાભી દેખાઈ શકે છે. કોમેડી તેમજ ફેમિલી શો તરીકે તારક મહેતાએ પોતાની જગ્યા દરેક ઘરમાં બનાવી દીધી છે. દુનિયાને ઉંઘા ચશ્મા પુસ્તકથી પ્રેરાઈને આ સિરિયલની શરૂઆત થઈ હતી. અનેક વર્ષોથી પોતાના ચાહકોને મનોરંજન પૂરૂ પાડવામાં આ સિરિયલ સફળ થી થઈ છે. પંરતુ 2015થી દયા ભાભીનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણીએ સિરિયલને અલવીદા કહીં દીધું હતું. ત્યારે હવે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે નવેમ્બર સુધીમાં દયાભાભીની વાપસી થઈ શકે છે.

After over 4 years, Dayaben to return on Taarak Mehta Ka Ooltah Chashmah,  confirms producer Asit Kumar Modi : Bollywood News - Bollywood Hungama


થોડા સમયમાં થશે દયાભાભીની વાપસી 

ગરબા તેમજ પોતાના અભિનયને કારણે દયાભાભીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હતી. પરંતુ અંગત કારણોસર દયાભાભી (દિશા વાકાણી)એ સિરિયલને અલવિદા કહીં દીધું હતું. તે બાદ અનેક અભિનેતા તેમજ અભિનેત્રીઓ પણ શોની બહાર નીકળી ગયા હતા. અનેક વર્ષોથી ચાલતી આ સિરિયલમાં અનેક પાત્રો બદલાયા છે. સોનુ, ટપ્પુ, સોઢી, અંજલીભાભી સહિતના અનેક કલાકારોએ આ શો છોડી દીધો હતો. મહેતા સાહેબ તરીકે પ્રખ્યાત થયેલા શૈલેષ લોઢાએ પણ સિરિયલને અલવિદા કહી દીધું હતું. સિરિયલના મેકર્સે તેમનું રિપ્લેસ્મેન્ટ શોધી કાઢ્યું પરંતુ આટલા વર્ષોથી તેઓ દયાભાભી (દિશા વાકાણી)નું રિપ્લેસ્મેન્ટ શોધી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ પ્રોડક્શન ટીમની તેમની સાથે વાતચીત થઈ રહી છે. અને તેઓ ટૂંક સમયમાં જ, શોમાં પરત ફરવાના છે તેવું કહેવામાં આવી રહ્યું છે. દયાભાભીની એન્ટ્રી થતા શોમાં હે મા માતાજી, એ હાલો સાંભળવા મળશે. ઉપરાંત અમદાવાદીના ગરબા પણ જોવા મળશે. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?