બેવડી ઋતુ આવતા અમદાવાદમાં રોગચાળાના કેસોમાં વધારો થયો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:10:01

ઓક્ટોબર અને નવેમ્બર એટલે દરીયાઈ પવનો વહે છે અને નવેમ્બરના અંત સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે. બેવડી ઋતુ હોવાના કારણે રોગચાળો આ સમયમાં વધારો ફેલાતો હોય છે ત્યારે અમદાવાદમાં શરદી, ઉધરસ, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત પાંચ દિવસોમાં ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાઈ ગયા છે. 


ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાયા

ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં ટાઈફોઈડના 90થી વધુ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલટીના 5 હજાર 700થી વધુ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ચિકન ગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાના 244 જેટલા કેસ નોંધાયા છે. આ સમયગાળાની અંદર પાણીથી રોગચાળો વધારે ફેલાતો હોય છે, જેથી રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા પણ સતત પાણીના સેમ્પલની તપાસો કરી રહ્યા છે ત્યારે અમદાવાદીઓને બેવડી ઋતુમાં તબીયત સાચવવાની રહેશે.  


 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .