બેવડી ઋતુ આવતા અમદાવાદમાં રોગચાળાના કેસોમાં વધારો થયો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:10:01

ઓક્ટોબર અને નવેમ્બર એટલે દરીયાઈ પવનો વહે છે અને નવેમ્બરના અંત સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે. બેવડી ઋતુ હોવાના કારણે રોગચાળો આ સમયમાં વધારો ફેલાતો હોય છે ત્યારે અમદાવાદમાં શરદી, ઉધરસ, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત પાંચ દિવસોમાં ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાઈ ગયા છે. 


ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાયા

ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં ટાઈફોઈડના 90થી વધુ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલટીના 5 હજાર 700થી વધુ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ચિકન ગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાના 244 જેટલા કેસ નોંધાયા છે. આ સમયગાળાની અંદર પાણીથી રોગચાળો વધારે ફેલાતો હોય છે, જેથી રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા પણ સતત પાણીના સેમ્પલની તપાસો કરી રહ્યા છે ત્યારે અમદાવાદીઓને બેવડી ઋતુમાં તબીયત સાચવવાની રહેશે.  


 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.