બેવડી ઋતુ આવતા અમદાવાદમાં રોગચાળાના કેસોમાં વધારો થયો


  • Published By :
  • Published Date : 2022-11-11 14:10:01

ઓક્ટોબર અને નવેમ્બર એટલે દરીયાઈ પવનો વહે છે અને નવેમ્બરના અંત સુધીમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે. બેવડી ઋતુ હોવાના કારણે રોગચાળો આ સમયમાં વધારો ફેલાતો હોય છે ત્યારે અમદાવાદમાં શરદી, ઉધરસ, ડેન્ગ્યૂ, ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત પાંચ દિવસોમાં ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાઈ ગયા છે. 


ઝાડા-ઉલ્ટીના 118 કેસ અને ડેન્ગ્યૂના 100થી વધુ કેસ નોંધાયા

ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં ટાઈફોઈડના 90થી વધુ જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા-ઉલટીના 5 હજાર 700થી વધુ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ચિકન ગુનિયાના કેસમાં પણ વધારો થયો છે. અત્યાર સુધીમાં ચિકનગુનિયાના 244 જેટલા કેસ નોંધાયા છે. આ સમયગાળાની અંદર પાણીથી રોગચાળો વધારે ફેલાતો હોય છે, જેથી રોગચાળાના કેસમાં વધારો નોંધાયો છે. અમદાવાદ મહાનગરપાલિકા પણ સતત પાણીના સેમ્પલની તપાસો કરી રહ્યા છે ત્યારે અમદાવાદીઓને બેવડી ઋતુમાં તબીયત સાચવવાની રહેશે.  


 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"