બનાસકાંઠા: સરકારની જાહેરાત બાદ પણ સહાય ન મળતા ગૌ-સંચાલકોએ નોંધાવ્યો અનોખો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 11:07:55

ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક આંદોલનકારીઓ પોતાની માગ સાથે સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. અનેક આંદોલનો સમેટાઈ ગયા છે. ત્યારે રાજ્યના ગૌ-સંચાલકોએ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂપિયા 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા સહાય હજી સુધી ન મળતા ગૌસંચાલકોએ ગાયોને છોડી મૂકી.

ગૌમાતાને રસ્તા પર છોડી નોંધાવ્યો વિરોધ

ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી હતી. થરાદના 92 જેટલી ગૌશાળા સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દેતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. ઉપરાંત બનાસકાંઠામાં પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પણ પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકવાની ચીમકી આપી હતી. ડીસામાં પણ આવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાદ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા હતા. પશુઓ સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લાખણી તાલુકામાં પણ ગાયોને રસ્તા પર છોડી દેવામાં આવી હતી.


ગૌ-સંચાલકોમાં ભારે રોષ

હજી સુધી સરકાર દ્વારા સહાય ન મળતા પાંજરાપોળ અને ગૌસંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 500 કરોડના સહાયની જાહેરાત બાદ પણ તેની અમલવારી ન થતાં પશુઓને સરકારી કચેરી તરફ છોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

બે હજારથી વધારે ગાયોને સરકારી કચેરી તરફ છોડી ગૌ-સંચાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર ગાયો આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. 500 કરોડની ચૂકવણી વહેલી તકે કરવામાં આવે તેવી પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોની માગ છે. સહાય નહીં મળે તે માટે લડત ચાલુ રાખવાની ચિમકી તેમણે ઉચ્ચારી હતી. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે