બનાસકાંઠા: સરકારની જાહેરાત બાદ પણ સહાય ન મળતા ગૌ-સંચાલકોએ નોંધાવ્યો અનોખો વિરોધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 11:07:55

ગુજરાતમાં એક બાદ એક આંદોલનો ચાલી રહ્યા છે. અનેક આંદોલનકારીઓ પોતાની માગ સાથે સરકાર વિરૂદ્ધ ધરણા કરી રહ્યા છે. અનેક આંદોલનો સમેટાઈ ગયા છે. ત્યારે રાજ્યના ગૌ-સંચાલકોએ સરકાર વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો છે. રાજ્ય સરકારે ગૌશાળા અને પાંજરાપોળ માટે રૂપિયા 500 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા સહાય હજી સુધી ન મળતા ગૌસંચાલકોએ ગાયોને છોડી મૂકી.

ગૌમાતાને રસ્તા પર છોડી નોંધાવ્યો વિરોધ

ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળ સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દીધી હતી. થરાદના 92 જેટલી ગૌશાળા સંચાલકોએ ગાયો રસ્તા પર છોડી દેતા રસ્તો બ્લોક થઈ ગયો હતો. ઉપરાંત બનાસકાંઠામાં પણ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ પણ પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકવાની ચીમકી આપી હતી. ડીસામાં પણ આવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જે બાદ બેરીકેટ ગોઠવી દેવામાં આવ્યા હતા. પશુઓ સરકારી કચેરી સુધી ન પહોંચે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. લાખણી તાલુકામાં પણ ગાયોને રસ્તા પર છોડી દેવામાં આવી હતી.


ગૌ-સંચાલકોમાં ભારે રોષ

હજી સુધી સરકાર દ્વારા સહાય ન મળતા પાંજરાપોળ અને ગૌસંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 500 કરોડના સહાયની જાહેરાત બાદ પણ તેની અમલવારી ન થતાં પશુઓને સરકારી કચેરી તરફ છોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 


ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી

બે હજારથી વધારે ગાયોને સરકારી કચેરી તરફ છોડી ગૌ-સંચાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. રસ્તા પર ગાયો આવી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. 500 કરોડની ચૂકવણી વહેલી તકે કરવામાં આવે તેવી પાંજરાપોળ તેમજ ગૌ-સંચાલકોની માગ છે. સહાય નહીં મળે તે માટે લડત ચાલુ રાખવાની ચિમકી તેમણે ઉચ્ચારી હતી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.