ભાવનગર SOGના સમન્સ બાદ પણ હાજર ન થયા યુવરાજસિંહ ! ડમીકાંડ મામલે થવાની હતી પૂછપરછ, યુવરાજસિંહ પર લાગ્યો છે પૈસા લેવાનો આરોપ!


  • Published By :
  • Published Date : 2023-04-19 14:45:23

યુવરાજસિંહને ભાવનગર SOGએ પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ડમી કાંડ મામલે યુવરાજસિંહની પૂછપરછ થવાની હતી. હાજર રહેવા માટે યુવરાજસિંહને બપોરના બાર વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ યુવરાજસિંહ પોલીસ સ્ટેશને પહોંચ્યા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે? પોલીસ સમક્ષ રજૂ થાય તે પહેલા યુવરાજસિંહે ટ્વિટ કરી હતી. યુવરાજસિંહના પત્નીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે તબિયત બગડવાને કારણે યુવરાજસિંહ હાજર થયા ન હતા. ઉપરાંત યુવરાજસિંહે એસઓજી સમક્ષ રજૂ થવા માટે  10 દિવસનો સમય માંગ્યો છે.  

યુવરાજસિંહની પત્નીએ કરેલું ટ્વીટ


યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાનો આરોપ!

મહત્વનું છે કે ડમી કાંડ મામલે રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ડમી ઉમેદવારો અંગે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 36 જેટલા આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. 


કેમ યુવરાજસિંહ ન થયા હાજર? 

જ્યારથી આ વીડિયો સામે આવ્યો હતો ત્યારથી એવું માનવામાં આવતું હતું કે યુવરાજસિંહ વિરૂદ્ધ પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસે યુવરાજસિંહને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. હાજર રહેવા બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ બાર વાગ્યા બાદ પણ યુવરાજસિંહ હાજર રહ્યા ન હતા. એવા પણ સમાચાર મળ્યા હતા કે તેઓ ભાવનગર જ હાજર હતા. ત્યારે એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું યુવરાજસિંહને શું ધરપકડનો ડર લાગી રહ્યો છે? યુવરાજસિંહ હાજર ન રહ્યા જે બાદ અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે.  ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે માત્ર 36 જેટલા આરોપીઓ જ આ કાંડમાં સામેલ હશે? સરકારે એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ કે કેવી રીતે 11 વર્ષ સુધી આવા કૌભાંડો ચાલતા રહ્યા. સરકારને કેવી રીતે આ કાંડ મામલે 11 વર્ષ સુધી ખબર ન પડી? ક્યારે આ મામલે વધારે કાર્યવાહી કરવામાં આવશે તે એક પ્રશ્ન છે. પણ એ વાત સારી છે કે સરકારે સ્વીકાર્યું તો ખરું કે કૌભાંડો આચરવામાં આવ્યા છે.           




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.