ભાવનગર SOGના સમન્સ બાદ પણ હાજર ન થયા યુવરાજસિંહ ! ડમીકાંડ મામલે થવાની હતી પૂછપરછ, યુવરાજસિંહ પર લાગ્યો છે પૈસા લેવાનો આરોપ!


  • Published By :
  • Published Date : 2023-04-19 14:45:23

યુવરાજસિંહને ભાવનગર SOGએ પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ડમી કાંડ મામલે યુવરાજસિંહની પૂછપરછ થવાની હતી. હાજર રહેવા માટે યુવરાજસિંહને બપોરના બાર વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ યુવરાજસિંહ પોલીસ સ્ટેશને પહોંચ્યા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે? પોલીસ સમક્ષ રજૂ થાય તે પહેલા યુવરાજસિંહે ટ્વિટ કરી હતી. યુવરાજસિંહના પત્નીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે તબિયત બગડવાને કારણે યુવરાજસિંહ હાજર થયા ન હતા. ઉપરાંત યુવરાજસિંહે એસઓજી સમક્ષ રજૂ થવા માટે  10 દિવસનો સમય માંગ્યો છે.  

યુવરાજસિંહની પત્નીએ કરેલું ટ્વીટ


યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાનો આરોપ!

મહત્વનું છે કે ડમી કાંડ મામલે રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ડમી ઉમેદવારો અંગે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 36 જેટલા આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. 


કેમ યુવરાજસિંહ ન થયા હાજર? 

જ્યારથી આ વીડિયો સામે આવ્યો હતો ત્યારથી એવું માનવામાં આવતું હતું કે યુવરાજસિંહ વિરૂદ્ધ પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસે યુવરાજસિંહને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. હાજર રહેવા બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ બાર વાગ્યા બાદ પણ યુવરાજસિંહ હાજર રહ્યા ન હતા. એવા પણ સમાચાર મળ્યા હતા કે તેઓ ભાવનગર જ હાજર હતા. ત્યારે એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું યુવરાજસિંહને શું ધરપકડનો ડર લાગી રહ્યો છે? યુવરાજસિંહ હાજર ન રહ્યા જે બાદ અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે.  ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે માત્ર 36 જેટલા આરોપીઓ જ આ કાંડમાં સામેલ હશે? સરકારે એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ કે કેવી રીતે 11 વર્ષ સુધી આવા કૌભાંડો ચાલતા રહ્યા. સરકારને કેવી રીતે આ કાંડ મામલે 11 વર્ષ સુધી ખબર ન પડી? ક્યારે આ મામલે વધારે કાર્યવાહી કરવામાં આવશે તે એક પ્રશ્ન છે. પણ એ વાત સારી છે કે સરકારે સ્વીકાર્યું તો ખરું કે કૌભાંડો આચરવામાં આવ્યા છે.           




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.