ભાવનગર SOGના સમન્સ બાદ પણ હાજર ન થયા યુવરાજસિંહ ! ડમીકાંડ મામલે થવાની હતી પૂછપરછ, યુવરાજસિંહ પર લાગ્યો છે પૈસા લેવાનો આરોપ!


  • Published By :
  • Published Date : 2023-04-19 14:45:23

યુવરાજસિંહને ભાવનગર SOGએ પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ડમી કાંડ મામલે યુવરાજસિંહની પૂછપરછ થવાની હતી. હાજર રહેવા માટે યુવરાજસિંહને બપોરના બાર વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ યુવરાજસિંહ પોલીસ સ્ટેશને પહોંચ્યા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે? પોલીસ સમક્ષ રજૂ થાય તે પહેલા યુવરાજસિંહે ટ્વિટ કરી હતી. યુવરાજસિંહના પત્નીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે તબિયત બગડવાને કારણે યુવરાજસિંહ હાજર થયા ન હતા. ઉપરાંત યુવરાજસિંહે એસઓજી સમક્ષ રજૂ થવા માટે  10 દિવસનો સમય માંગ્યો છે.  

યુવરાજસિંહની પત્નીએ કરેલું ટ્વીટ


યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાનો આરોપ!

મહત્વનું છે કે ડમી કાંડ મામલે રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ડમી ઉમેદવારો અંગે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 36 જેટલા આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. 


કેમ યુવરાજસિંહ ન થયા હાજર? 

જ્યારથી આ વીડિયો સામે આવ્યો હતો ત્યારથી એવું માનવામાં આવતું હતું કે યુવરાજસિંહ વિરૂદ્ધ પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસે યુવરાજસિંહને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. હાજર રહેવા બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ બાર વાગ્યા બાદ પણ યુવરાજસિંહ હાજર રહ્યા ન હતા. એવા પણ સમાચાર મળ્યા હતા કે તેઓ ભાવનગર જ હાજર હતા. ત્યારે એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું યુવરાજસિંહને શું ધરપકડનો ડર લાગી રહ્યો છે? યુવરાજસિંહ હાજર ન રહ્યા જે બાદ અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે.  ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે માત્ર 36 જેટલા આરોપીઓ જ આ કાંડમાં સામેલ હશે? સરકારે એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ કે કેવી રીતે 11 વર્ષ સુધી આવા કૌભાંડો ચાલતા રહ્યા. સરકારને કેવી રીતે આ કાંડ મામલે 11 વર્ષ સુધી ખબર ન પડી? ક્યારે આ મામલે વધારે કાર્યવાહી કરવામાં આવશે તે એક પ્રશ્ન છે. પણ એ વાત સારી છે કે સરકારે સ્વીકાર્યું તો ખરું કે કૌભાંડો આચરવામાં આવ્યા છે.           




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.