ભાવનગર SOGના સમન્સ બાદ પણ હાજર ન થયા યુવરાજસિંહ ! ડમીકાંડ મામલે થવાની હતી પૂછપરછ, યુવરાજસિંહ પર લાગ્યો છે પૈસા લેવાનો આરોપ!


  • Published By :
  • Published Date : 2023-04-19 14:45:23

યુવરાજસિંહને ભાવનગર SOGએ પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. ડમી કાંડ મામલે યુવરાજસિંહની પૂછપરછ થવાની હતી. હાજર રહેવા માટે યુવરાજસિંહને બપોરના બાર વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ યુવરાજસિંહ પોલીસ સ્ટેશને પહોંચ્યા નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે? પોલીસ સમક્ષ રજૂ થાય તે પહેલા યુવરાજસિંહે ટ્વિટ કરી હતી. યુવરાજસિંહના પત્નીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે તબિયત બગડવાને કારણે યુવરાજસિંહ હાજર થયા ન હતા. ઉપરાંત યુવરાજસિંહે એસઓજી સમક્ષ રજૂ થવા માટે  10 દિવસનો સમય માંગ્યો છે.  

યુવરાજસિંહની પત્નીએ કરેલું ટ્વીટ


યુવરાજસિંહ પર લાગ્યો હતો પૈસા લેવાનો આરોપ!

મહત્વનું છે કે ડમી કાંડ મામલે રોજે રોજ નવા વળાંકો આવી રહ્યા છે. ડમી ઉમેદવારો અંગે યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 36 જેટલા આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર કરવામાં આવી છે અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ બધા વચ્ચે બિપીન ત્રિવેદી નામના વ્યક્તિનો વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. 


કેમ યુવરાજસિંહ ન થયા હાજર? 

જ્યારથી આ વીડિયો સામે આવ્યો હતો ત્યારથી એવું માનવામાં આવતું હતું કે યુવરાજસિંહ વિરૂદ્ધ પણ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. જે બાદ ગઈકાલે ભાવનગર પોલીસે યુવરાજસિંહને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. હાજર રહેવા બાર વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ બાર વાગ્યા બાદ પણ યુવરાજસિંહ હાજર રહ્યા ન હતા. એવા પણ સમાચાર મળ્યા હતા કે તેઓ ભાવનગર જ હાજર હતા. ત્યારે એવો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું યુવરાજસિંહને શું ધરપકડનો ડર લાગી રહ્યો છે? યુવરાજસિંહ હાજર ન રહ્યા જે બાદ અનેક તર્ક વિતર્કો ઉભા થઈ રહ્યા છે.  ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે માત્ર 36 જેટલા આરોપીઓ જ આ કાંડમાં સામેલ હશે? સરકારે એ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ કે કેવી રીતે 11 વર્ષ સુધી આવા કૌભાંડો ચાલતા રહ્યા. સરકારને કેવી રીતે આ કાંડ મામલે 11 વર્ષ સુધી ખબર ન પડી? ક્યારે આ મામલે વધારે કાર્યવાહી કરવામાં આવશે તે એક પ્રશ્ન છે. પણ એ વાત સારી છે કે સરકારે સ્વીકાર્યું તો ખરું કે કૌભાંડો આચરવામાં આવ્યા છે.           




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે