દિલ્હી જાય તે પહેલા જ મોદીના બીજા ગુજરાત પ્રવાસની તારીખો થઈ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:29:48

ભાજપનો પ્રચાર કરવા અનેક વખત ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. હાલ પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદીને ભાજપનો લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. ત્યારે 2 દિવસના પ્રવાસ દરમિયાન જનસંપર્ક કરી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. 


ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી

નિષ્ણાંતોના મતે પીએમ મોદીના અવાર-નવાર પ્રવાસોને કારણે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે સુરત ખાતે તેમણે રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પીએમનું અભિવાદન ઝીલ્યું હતું.


અમિત શાહ પણ આવશે ગુજરાતની મુલાકાતે 

ત્યારે પ્રવાસે આવેલા પીએમ મોદી દિલ્હી પહોંચે તે પહેલા જ, બીજી વખતના ગુજરાત  પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવી છે. 11મી ઓક્ટોબરે જામકંડોરણા ખાતે આવવાના છે  તેમજ 19મી ઓક્ટોબરના રોજ રાજકોટમાં તેઓ જનસંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ પણ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દિગ્ગજ નેતાઓના પ્રવાસ વધવાથી ભાજપનો ચૂંટણી પ્રચાર જોર-શોરથી થવા લાગ્યો છે.     



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.