દિલ્હી જાય તે પહેલા જ મોદીના બીજા ગુજરાત પ્રવાસની તારીખો થઈ જાહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 15:29:48

ભાજપનો પ્રચાર કરવા અનેક વખત ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. હાલ પણ તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદીને ભાજપનો લોકપ્રિય ચહેરો માનવામાં આવે છે. ત્યારે 2 દિવસના પ્રવાસ દરમિયાન જનસંપર્ક કરી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોતાની પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામો લોકો સુધી પહોંચાડી રહ્યા છે. 


ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી

નિષ્ણાંતોના મતે પીએમ મોદીના અવાર-નવાર પ્રવાસોને કારણે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આજે સુરત ખાતે તેમણે રોડ-શો યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પીએમનું અભિવાદન ઝીલ્યું હતું.


અમિત શાહ પણ આવશે ગુજરાતની મુલાકાતે 

ત્યારે પ્રવાસે આવેલા પીએમ મોદી દિલ્હી પહોંચે તે પહેલા જ, બીજી વખતના ગુજરાત  પ્રવાસની તારીખો જાહેર કરવામાં આવી છે. 11મી ઓક્ટોબરે જામકંડોરણા ખાતે આવવાના છે  તેમજ 19મી ઓક્ટોબરના રોજ રાજકોટમાં તેઓ જનસંબોધન કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ પણ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દિગ્ગજ નેતાઓના પ્રવાસ વધવાથી ભાજપનો ચૂંટણી પ્રચાર જોર-શોરથી થવા લાગ્યો છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે