રવિવારે પણ AMCએ ચાલુ રાખી રખડતા ઢોરને પકડવાની કામગીરી, હાઈકોર્ટની ઝાટકણી બાદ તંત્ર એક્શન મોડમાં!


  • Published By :
  • Published Date : 2023-10-29 15:30:33

રાજ્યમાં ગમે ત્યાં જાવો ત્યાં રખડતા ઢોરની સમસ્યા આપણને જોવા મળે છે. રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવે છે અને મોતને ભેટે છે. જો તેમના નસીબ સારા હોય તો મોતના મૂખમાંથી તો બચી જાય પરંતુ ગંભીર રીતે તેઓ ઈજાગ્રસ્ત થાય છે. આ રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનનો ત્રાસ કેટલો વધી ગયો છે તે આપણે જાણીએ છીએ. આ મામલે હાઈકોર્ટે અનેક વખત તંત્રની ઝાટકણી કાઢી છે ત્યારે રખડતા ઢોરને પકડવા માટે રવિવારના દિવસે પણ એએમસી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ઢોર પકડવા માટે શહેરના 7 ઝોનમાં એએમસીની ટીમ કાર્યરત છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસને પણ સાથે રાખવામાં આવી છે. 

પરિમલ નથવાણીએ પણ આ મામલે કરી હતી ટ્વિટ   

રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરની સમસ્યા જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગે છે. અનેક કિસ્સાઓ આપણી સમક્ષ છે જેમાં અટફેટે આવેલા લોકોના મોત થઈ ગયા છે અથવા તો ગંભીર રીતે લોકો ઈજાગ્રસ્ત થાય છે. રખડતા ઢોરને પકડવા માટે ગુજરાત હાઈકોર્ટે કડક આદેશ આપી દીધો છે. ઢોર તેમજ રખડતા શ્વાનને ત્વરીત પકડવામાં આવે તે માટે સાંસદ પરિમલ નથવાણીએ પણ તંત્રને ટકોર કરી હતી. 

The Gujarat High Court Advocate Association made a representation to the  Chief Justice regarding security in the court | ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ  એસોસિએશને ચીફ જસ્ટિસને કોર્ટમાં સુરક્ષાને લઇ ...


અનેક વખત હાઈકોર્ટે તંત્રની કાઢી છે ઝાટકણી 

રખડતા ઢોરને લઈ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે હાઈકોર્ટે અનેક વખત પ્રશ્ન તંત્રને પૂછ્યો છે. હાઈકોર્ટના આદેશને તંત્ર નથી માનતી તેવું હાઈકોર્ટને લાગે છે. અનેક વખત આ અંગે તંત્રને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટની અનેક વખતની ઝાટકણી બાદ એએમસી દ્વારા રવિવારના દિવસે પણ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રખડતા ઢોર માટેની નવી પોલિસીની દરખાસ્ત AMC કમિશનરને પરત મોકલાઇ

The system eventually caught stray cattle | તંત્ર દ્વારા આખરે રખડતા-રઝળતા  ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી - Divya Bhaskar


એએમસીની ટીમ રવિવારે પણ પકડી રહી છે રખડતા ઢોર 

રવિવારના દિવસે એએમસી દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ વાંચીને કદાચ તમને નવાઈ પણ લાગી હશે.! તમે મનમાં વિચારતા હશો કે સામાન્ય દિવસોમાં આ કામગીરી નબળી રીતે કરવામાં આવે છે તો રવિવારના દિવસે કેવી કામગીરી કરવામાં આવતી હશે.. હાઈકોર્ટે અનેક વખત રખડતા ઢોર મામલે સરકારની ઝાટકણી કાઢી છે. ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર કરવામાં આવે છે તેવી વાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ તંત્રની કામગીરી પર થોડી અસર થઈ હોય તેવું લાગી રહ્યું છે. રવિવારના દિવસે એએમસીની ટીમ રખડતા ઢોરને પકડી રહી છે. શહેરના 7 ઝોનમાં એએમસીની 50 ટીમ કાર્યરત છે તેવી માહિતી સામે આવી છે. 



અનેક લોકોને રખડતા ઢોરોએ લીધા છે અડફેટે!

મહત્વનું છે કે રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. રોજે આપણે આ પ્રકારના સમાચાર જોતા હોઈએ છીએ કે રખડતા ઢોરે આજે આને અડફેટે લીધા જેને કારણે તેમનું મોત થઈ ગયું. કોઈ વખત એવા સમાચાર પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે રખડતા ઢોરના હુમલાને કારણે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે. રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનના આતંકને જલ્દી કાબુમાં લેવામાં આવે તેવી અપેક્ષા...!



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.