હિમાચલ પ્રદેશઃ શિમલામાં ખાનગી વાહનમાં મળ્યા EVM, કોંગ્રેસે છેડછાડનો આક્ષેપ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-13 20:23:32

હિમાચલ પ્રદેશના શિમલામાં એક ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા રાજકીય ભૂકંપ મચી ગયો છે. ગત શનિવારે જ હિમાચલ પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને આજે ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા હોબાળો મચી ગયો છે. 


પોલિંગ પાર્ટીના સભ્યોને કર્યા સસ્પેન્ડ

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને શિમલા જિલ્લાના રામપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાનગી વાહનમાં ઈવીએમ મશીન લઈ જવાના આક્ષેપ સાથે રોક્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાહન પકડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલિંગ પાર્ટી પર ઈવીએમ સાથે હસ્તક્ષેપ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે પોલિંગ પાર્ટીના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. 

રિટર્નિંગ ઓફિસરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મતદાન સંખ્યા 146 એક ખાનગી વાહનમાં ઈવીએમ/વીવીપેટ મશિન લઈ જઈ રહ્યા છે. આ આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે પોલિંગ પાર્ટીએ ધારા ધોરણોનું પાલન નથી કર્યું અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જે ગાડીમાં મશીન મળી આવ્યા હતા તે ગાડીના નંબર એચપી-03ડી-2023 હતા. જો કે EVMમાં છેડછાડ નથી કરવામાં આવી. અધિકારીઓએ ફરજમાંથી જલદી મુક્ત થવા માટે અને તાત્કાલિક મશીન જગ્યા પર પહોંચાડવા માટે ખાનગી ગાડીનો ઉપયોગ કર્યો હતો. 

  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.