હિમાચલ પ્રદેશઃ શિમલામાં ખાનગી વાહનમાં મળ્યા EVM, કોંગ્રેસે છેડછાડનો આક્ષેપ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-13 20:23:32

હિમાચલ પ્રદેશના શિમલામાં એક ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા રાજકીય ભૂકંપ મચી ગયો છે. ગત શનિવારે જ હિમાચલ પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને આજે ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા હોબાળો મચી ગયો છે. 


પોલિંગ પાર્ટીના સભ્યોને કર્યા સસ્પેન્ડ

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને શિમલા જિલ્લાના રામપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાનગી વાહનમાં ઈવીએમ મશીન લઈ જવાના આક્ષેપ સાથે રોક્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાહન પકડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલિંગ પાર્ટી પર ઈવીએમ સાથે હસ્તક્ષેપ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે પોલિંગ પાર્ટીના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. 

રિટર્નિંગ ઓફિસરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મતદાન સંખ્યા 146 એક ખાનગી વાહનમાં ઈવીએમ/વીવીપેટ મશિન લઈ જઈ રહ્યા છે. આ આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે પોલિંગ પાર્ટીએ ધારા ધોરણોનું પાલન નથી કર્યું અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જે ગાડીમાં મશીન મળી આવ્યા હતા તે ગાડીના નંબર એચપી-03ડી-2023 હતા. જો કે EVMમાં છેડછાડ નથી કરવામાં આવી. અધિકારીઓએ ફરજમાંથી જલદી મુક્ત થવા માટે અને તાત્કાલિક મશીન જગ્યા પર પહોંચાડવા માટે ખાનગી ગાડીનો ઉપયોગ કર્યો હતો. 

  



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.