હિમાચલ પ્રદેશઃ શિમલામાં ખાનગી વાહનમાં મળ્યા EVM, કોંગ્રેસે છેડછાડનો આક્ષેપ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-13 20:23:32

હિમાચલ પ્રદેશના શિમલામાં એક ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા રાજકીય ભૂકંપ મચી ગયો છે. ગત શનિવારે જ હિમાચલ પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને આજે ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા હોબાળો મચી ગયો છે. 


પોલિંગ પાર્ટીના સભ્યોને કર્યા સસ્પેન્ડ

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને શિમલા જિલ્લાના રામપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાનગી વાહનમાં ઈવીએમ મશીન લઈ જવાના આક્ષેપ સાથે રોક્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાહન પકડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલિંગ પાર્ટી પર ઈવીએમ સાથે હસ્તક્ષેપ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે પોલિંગ પાર્ટીના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. 

રિટર્નિંગ ઓફિસરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મતદાન સંખ્યા 146 એક ખાનગી વાહનમાં ઈવીએમ/વીવીપેટ મશિન લઈ જઈ રહ્યા છે. આ આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે પોલિંગ પાર્ટીએ ધારા ધોરણોનું પાલન નથી કર્યું અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જે ગાડીમાં મશીન મળી આવ્યા હતા તે ગાડીના નંબર એચપી-03ડી-2023 હતા. જો કે EVMમાં છેડછાડ નથી કરવામાં આવી. અધિકારીઓએ ફરજમાંથી જલદી મુક્ત થવા માટે અને તાત્કાલિક મશીન જગ્યા પર પહોંચાડવા માટે ખાનગી ગાડીનો ઉપયોગ કર્યો હતો. 

  



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.