હિમાચલ પ્રદેશઃ શિમલામાં ખાનગી વાહનમાં મળ્યા EVM, કોંગ્રેસે છેડછાડનો આક્ષેપ કર્યો


  • Published By :
  • Published Date : 2022-11-13 20:23:32

હિમાચલ પ્રદેશના શિમલામાં એક ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા રાજકીય ભૂકંપ મચી ગયો છે. ગત શનિવારે જ હિમાચલ પ્રદેશમાં પહેલા તબક્કાનું મતદાન થયું હતું અને આજે ખાનગી વાહનમાં ઈવીએમ મશીન મળી આવતા હોબાળો મચી ગયો છે. 


પોલિંગ પાર્ટીના સભ્યોને કર્યા સસ્પેન્ડ

હિમાચલ પ્રદેશમાં 68 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને શિમલા જિલ્લાના રામપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ખાનગી વાહનમાં ઈવીએમ મશીન લઈ જવાના આક્ષેપ સાથે રોક્યું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓએ વાહન પકડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પોલિંગ પાર્ટી પર ઈવીએમ સાથે હસ્તક્ષેપ કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે પોલિંગ પાર્ટીના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે. 

રિટર્નિંગ ઓફિસરે સમગ્ર મામલે જણાવ્યું હતું કે, મતદાન સંખ્યા 146 એક ખાનગી વાહનમાં ઈવીએમ/વીવીપેટ મશિન લઈ જઈ રહ્યા છે. આ આદેશોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે પોલિંગ પાર્ટીએ ધારા ધોરણોનું પાલન નથી કર્યું અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જે ગાડીમાં મશીન મળી આવ્યા હતા તે ગાડીના નંબર એચપી-03ડી-2023 હતા. જો કે EVMમાં છેડછાડ નથી કરવામાં આવી. અધિકારીઓએ ફરજમાંથી જલદી મુક્ત થવા માટે અને તાત્કાલિક મશીન જગ્યા પર પહોંચાડવા માટે ખાનગી ગાડીનો ઉપયોગ કર્યો હતો. 

  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.