વિધાનસભાનો ઘેરાવો કરતા માજી સૈનિક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:00:07

એક તરફ શિક્ષકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહી છે તો બીજી તરફ માજી સૈનિકો  પણ પોતાની માગણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર આવ્યો છે.


માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર

દેશની સીમા પર ખડેપગે રહી આર્મી જવાનો દેશને સુરક્ષિત રાખે છે. પોતાની ફરજ દરમિયાન અનેક સૈનિકો શહીદ થતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસના શહીદવીર જવાનોને ન્યાય મળે તે માટે પોલીસ પરિવાર પણ મેદાનમાં આવ્યા છે. પોતાની પડતર માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન કરવા તૈયાર થયેલા માજી સૈનિકો વિધાનસભા આગળ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


આંદોલન વધતા સરકાર ચિંતીત

ગ્રેડ પે મુદ્દાને લઈ પોલીસ પણ સરકાર વિરૂદ્ધ પડી હતી. સરકારે પોલીસની માગણી સ્વીકારતા મામલો શાંત થયો હતો. પોતાની માગણ સરકાર સમક્ષ મુકવા પોલીસ અને આર્મી જવાનોને પણ વિરોધ કરી આંદોલન ચલાવવા પડે તો તે સરકાર માટે શરમજનક વાત છે. માજી સૈનિકની વેદના સમજનાર પોલીસ જવાનોના પરિવાર પણ તેમના સમર્થનમાં આવતા સરકાર પર વધારે દબાણમાં આવી શકે છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ સરકાર આંદોલનમાં ઘેરાઈ રહી છે. રાજ્યમાં આંદોલનો વધતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.         



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .