વિધાનસભાનો ઘેરાવો કરતા માજી સૈનિક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 16:00:07

એક તરફ શિક્ષકો પોતાની માગણીને લઈ સરકાર વિરૂદ્ધ આંદોલન કરી રહી છે તો બીજી તરફ માજી સૈનિકો  પણ પોતાની માગણીને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આંદોલન કરી રહેલા માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર આવ્યો છે.


માજી સૈનિકોના સમર્થનમાં પોલીસ પરિવાર

દેશની સીમા પર ખડેપગે રહી આર્મી જવાનો દેશને સુરક્ષિત રાખે છે. પોતાની ફરજ દરમિયાન અનેક સૈનિકો શહીદ થતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસના શહીદવીર જવાનોને ન્યાય મળે તે માટે પોલીસ પરિવાર પણ મેદાનમાં આવ્યા છે. પોતાની પડતર માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન કરવા તૈયાર થયેલા માજી સૈનિકો વિધાનસભા આગળ પ્રદર્શન કરી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.


આંદોલન વધતા સરકાર ચિંતીત

ગ્રેડ પે મુદ્દાને લઈ પોલીસ પણ સરકાર વિરૂદ્ધ પડી હતી. સરકારે પોલીસની માગણી સ્વીકારતા મામલો શાંત થયો હતો. પોતાની માગણ સરકાર સમક્ષ મુકવા પોલીસ અને આર્મી જવાનોને પણ વિરોધ કરી આંદોલન ચલાવવા પડે તો તે સરકાર માટે શરમજનક વાત છે. માજી સૈનિકની વેદના સમજનાર પોલીસ જવાનોના પરિવાર પણ તેમના સમર્થનમાં આવતા સરકાર પર વધારે દબાણમાં આવી શકે છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી બાજુ સરકાર આંદોલનમાં ઘેરાઈ રહી છે. રાજ્યમાં આંદોલનો વધતા સરકારની ચિંતામાં પણ વધારો થયો છે.         



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી