અમદાવાદના કાલુપુરમાં પૂર્વ પ્રેમિકાએ આધેડ પ્રેમી પર ફેંક્યું એસિડ, શું છે સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-28 17:20:23

પ્રેમસંબંધમાં યુવક દ્વારા યુવતી પર એસિડ ફેંકવાની ઘટનાઓ તો અનેક વખત બની છે પણ અમદાવાદમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં એક આધેડ પર તેમની પ્રેમિકાએ એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ છે. AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય રાકેશભાઈ પર પૂર્વ પ્રેમિકા મહેઝબિન અને તેના મિત્રએ એસિડ ફેંક્યું હતું. જે બાદ રાકેશભાઈએ કાલુપુર પોલીસ મથકે મહેજબિન તેમજ તેના મિત્ર વિરૂદ્ધ ફરિયદ નોંધાવી હતી. મહેઝબિન દ્વારા એસિડ એટેક કરતા રાકેશભાઈને જમણી આંખે, પીઠ તેમજ શરીરનાં અન્ય ભાગો પર દાઝ્યા હતા. જે બાદ લોકોએ તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  


શું છે સમગ્ર મામલો?


51 વર્ષીય રાકેશભાઈ બ્રહ્મભટ્ટ  AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ પરિવાર સાથે બાપુનગરમાં રહે છે. આજથી પાંચ વર્ષ પહેલા તેઓ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે આવેલા અંજુમ પાર્કમાં રહેતી 38 વર્ષીય યુવતી મહેઝબિન સાથે સંપર્કમાં આવ્યા હતા. અનેક વખતની મુલાકાતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે રાકેશભાઈનાં આ સમગ્ર પ્રેમપ્રકરણની જાણ તેમના પત્ની અને પરિવારજનોને થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. જેની અદાવત રાખી ગત રોજ સાંજના સમયે મહેઝબિન અને તેના મિત્ર સાથે આવી હતી અને તું કેમ સંબંધ રાખતો નથી? તેમ કહીં આધેડ પર એસિડ ફેંક્યું હતું. એસિડ એટેક કર્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા. 


પ્રેમિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ


આ સમગ્ર મામલે રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ યુવતી મને અવાર નવાર પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતી અને ધમકાવતી. તેમજ અગાઉ તેણે મારી દીકરીનું ઘર તોડવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ અમે મહેઝબિન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ મહેજબિન દ્વારા મને અવાર નવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું તેવો આક્ષેપ પણ આધેડે કર્યો હતો.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.