અમદાવાદના કાલુપુરમાં પૂર્વ પ્રેમિકાએ આધેડ પ્રેમી પર ફેંક્યું એસિડ, શું છે સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-28 17:20:23

પ્રેમસંબંધમાં યુવક દ્વારા યુવતી પર એસિડ ફેંકવાની ઘટનાઓ તો અનેક વખત બની છે પણ અમદાવાદમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં એક આધેડ પર તેમની પ્રેમિકાએ એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ છે. AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય રાકેશભાઈ પર પૂર્વ પ્રેમિકા મહેઝબિન અને તેના મિત્રએ એસિડ ફેંક્યું હતું. જે બાદ રાકેશભાઈએ કાલુપુર પોલીસ મથકે મહેજબિન તેમજ તેના મિત્ર વિરૂદ્ધ ફરિયદ નોંધાવી હતી. મહેઝબિન દ્વારા એસિડ એટેક કરતા રાકેશભાઈને જમણી આંખે, પીઠ તેમજ શરીરનાં અન્ય ભાગો પર દાઝ્યા હતા. જે બાદ લોકોએ તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  


શું છે સમગ્ર મામલો?


51 વર્ષીય રાકેશભાઈ બ્રહ્મભટ્ટ  AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ પરિવાર સાથે બાપુનગરમાં રહે છે. આજથી પાંચ વર્ષ પહેલા તેઓ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે આવેલા અંજુમ પાર્કમાં રહેતી 38 વર્ષીય યુવતી મહેઝબિન સાથે સંપર્કમાં આવ્યા હતા. અનેક વખતની મુલાકાતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે રાકેશભાઈનાં આ સમગ્ર પ્રેમપ્રકરણની જાણ તેમના પત્ની અને પરિવારજનોને થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. જેની અદાવત રાખી ગત રોજ સાંજના સમયે મહેઝબિન અને તેના મિત્ર સાથે આવી હતી અને તું કેમ સંબંધ રાખતો નથી? તેમ કહીં આધેડ પર એસિડ ફેંક્યું હતું. એસિડ એટેક કર્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા. 


પ્રેમિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ


આ સમગ્ર મામલે રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ યુવતી મને અવાર નવાર પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતી અને ધમકાવતી. તેમજ અગાઉ તેણે મારી દીકરીનું ઘર તોડવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ અમે મહેઝબિન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ મહેજબિન દ્વારા મને અવાર નવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું તેવો આક્ષેપ પણ આધેડે કર્યો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.