અમદાવાદના કાલુપુરમાં પૂર્વ પ્રેમિકાએ આધેડ પ્રેમી પર ફેંક્યું એસિડ, શું છે સમગ્ર મામલો, જાણો


  • Published By :
  • Published Date : 2024-01-28 17:20:23

પ્રેમસંબંધમાં યુવક દ્વારા યુવતી પર એસિડ ફેંકવાની ઘટનાઓ તો અનેક વખત બની છે પણ અમદાવાદમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. અમદાવાદમાં એક આધેડ પર તેમની પ્રેમિકાએ એસિડ ફેંકતા ચકચાર મચી ગઈ છે. AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવતા 51 વર્ષીય રાકેશભાઈ પર પૂર્વ પ્રેમિકા મહેઝબિન અને તેના મિત્રએ એસિડ ફેંક્યું હતું. જે બાદ રાકેશભાઈએ કાલુપુર પોલીસ મથકે મહેજબિન તેમજ તેના મિત્ર વિરૂદ્ધ ફરિયદ નોંધાવી હતી. મહેઝબિન દ્વારા એસિડ એટેક કરતા રાકેશભાઈને જમણી આંખે, પીઠ તેમજ શરીરનાં અન્ય ભાગો પર દાઝ્યા હતા. જે બાદ લોકોએ તેમને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર મામલે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  


શું છે સમગ્ર મામલો?


51 વર્ષીય રાકેશભાઈ બ્રહ્મભટ્ટ  AMTS માં વિભાગીય કંટ્રોલર તરીકે ફરજ બજાવે છે અને હાલ તેઓ પરિવાર સાથે બાપુનગરમાં રહે છે. આજથી પાંચ વર્ષ પહેલા તેઓ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે જુહાપુરામાં આયશા મસ્જિદ પાસે આવેલા અંજુમ પાર્કમાં રહેતી 38 વર્ષીય યુવતી મહેઝબિન સાથે સંપર્કમાં આવ્યા હતા. અનેક વખતની મુલાકાતો બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે રાકેશભાઈનાં આ સમગ્ર પ્રેમપ્રકરણની જાણ તેમના પત્ની અને પરિવારજનોને થતા પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. જેની અદાવત રાખી ગત રોજ સાંજના સમયે મહેઝબિન અને તેના મિત્ર સાથે આવી હતી અને તું કેમ સંબંધ રાખતો નથી? તેમ કહીં આધેડ પર એસિડ ફેંક્યું હતું. એસિડ એટેક કર્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા. 


પ્રેમિકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ


આ સમગ્ર મામલે રાકેશભાઈએ જણાવ્યું હતું કે, આ યુવતી મને અવાર નવાર પ્રેમ સબંધ રાખવા માટે દબાણ કરતી અને ધમકાવતી. તેમજ અગાઉ તેણે મારી દીકરીનું ઘર તોડવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે પણ અમે મહેઝબિન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેમજ મહેજબિન દ્વારા મને અવાર નવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું તેવો આક્ષેપ પણ આધેડે કર્યો હતો.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"