પૂર્વ ધારાસભ્યે લગાવ્યા સાબર ડેરીના વહીવટ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ, ડેરી બહાર બેઠા ધરણા પર


  • Published By :
  • Published Date : 2023-06-24 19:16:37

પોતાની માગ ન સંતોષાય તો અનેક લોકો આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. અનેક કિસ્સાઓ એવા પણ સામે આવતા હોય છે જેમાં પૂર્વ નેતાઓ ધરણા કરતા હોય છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને ડેરીના વહીવટી તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપો સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા કર્યા હતા. જશુ પટેલ દ્વારા અનેક વખત હિસાબ માગવામાં આવ્યો હતો પરંતુ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે ચોક્કસ માહિતી ન મળતા તેઓ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 

Allegation of corruption against Sabar Dairy chairman Sabar Dairy: સાબર ડેરીના ચેરમેન સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ,પૂર્વ ધારાસભ્ય બેઠા ધરણાં પર

ભ્રષ્ટાચારના આરોપો સાથે જશુ પટેલ બેઠા ધરણા પર   

સાબર ડેરી અનેક પશુપાલકોની જીવા દોરી સમાન માનવામાં આવે છે. પશુપાલકો ડેરીથી આજીવિકા મેળવે છે. ડેરીનું કરોડોનું ટર્ન ઓવર છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ તેમજ ભ્રષ્ટાચારના આરોપો પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યએ અનેક વખત ડેરીનો હિસાબ માગ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો હતો. ત્યારે આ વાતને લઈ તેમજ ભ્રષ્ટાચારના આરોપને લઈ પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેઠા છે. સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધરણા પર બેઠા હતા.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.