પૂર્વ ધારાસભ્યે લગાવ્યા સાબર ડેરીના વહીવટ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ, ડેરી બહાર બેઠા ધરણા પર


  • Published By :
  • Published Date : 2023-06-24 19:16:37

પોતાની માગ ન સંતોષાય તો અનેક લોકો આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. અનેક કિસ્સાઓ એવા પણ સામે આવતા હોય છે જેમાં પૂર્વ નેતાઓ ધરણા કરતા હોય છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને ડેરીના વહીવટી તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપો સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા કર્યા હતા. જશુ પટેલ દ્વારા અનેક વખત હિસાબ માગવામાં આવ્યો હતો પરંતુ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે ચોક્કસ માહિતી ન મળતા તેઓ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 

Allegation of corruption against Sabar Dairy chairman Sabar Dairy: સાબર ડેરીના ચેરમેન સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ,પૂર્વ ધારાસભ્ય બેઠા ધરણાં પર

ભ્રષ્ટાચારના આરોપો સાથે જશુ પટેલ બેઠા ધરણા પર   

સાબર ડેરી અનેક પશુપાલકોની જીવા દોરી સમાન માનવામાં આવે છે. પશુપાલકો ડેરીથી આજીવિકા મેળવે છે. ડેરીનું કરોડોનું ટર્ન ઓવર છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ તેમજ ભ્રષ્ટાચારના આરોપો પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યએ અનેક વખત ડેરીનો હિસાબ માગ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો હતો. ત્યારે આ વાતને લઈ તેમજ ભ્રષ્ટાચારના આરોપને લઈ પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેઠા છે. સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધરણા પર બેઠા હતા.    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.