પૂર્વ ધારાસભ્યે લગાવ્યા સાબર ડેરીના વહીવટ તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપ, ડેરી બહાર બેઠા ધરણા પર


  • Published By :
  • Published Date : 2023-06-24 19:16:37

પોતાની માગ ન સંતોષાય તો અનેક લોકો આંદોલનનો માર્ગ અપનાવતા હોય છે. અનેક કિસ્સાઓ એવા પણ સામે આવતા હોય છે જેમાં પૂર્વ નેતાઓ ધરણા કરતા હોય છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને ડેરીના વહીવટી તંત્ર પર ભ્રષ્ટાચારના આરોપો સાથે બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના કમ્પાઉન્ડ ખાતે ધરણા કર્યા હતા. જશુ પટેલ દ્વારા અનેક વખત હિસાબ માગવામાં આવ્યો હતો પરંતુ આ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. ત્યારે ચોક્કસ માહિતી ન મળતા તેઓ ધરણા પર બેઠા છે. સાબર ડેરીના ચેરમેન અને એમડી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પૂર્વ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે. 

Allegation of corruption against Sabar Dairy chairman Sabar Dairy: સાબર ડેરીના ચેરમેન સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ,પૂર્વ ધારાસભ્ય બેઠા ધરણાં પર

ભ્રષ્ટાચારના આરોપો સાથે જશુ પટેલ બેઠા ધરણા પર   

સાબર ડેરી અનેક પશુપાલકોની જીવા દોરી સમાન માનવામાં આવે છે. પશુપાલકો ડેરીથી આજીવિકા મેળવે છે. ડેરીનું કરોડોનું ટર્ન ઓવર છે. ત્યારે સાબર ડેરીના ચેરમેન અને એમડીના મનસ્વી વહીવટ તેમજ ભ્રષ્ટાચારના આરોપો પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યએ અનેક વખત ડેરીનો હિસાબ માગ્યો હતો પરંતુ કોઈ જવાબ ન મળ્યો હતો. ત્યારે આ વાતને લઈ તેમજ ભ્રષ્ટાચારના આરોપને લઈ પૂર્વ ધારાસભ્ય ધરણા પર બેઠા છે. સાબર ડેરીના એડમીન બ્લોકના ગેટ પાસે ધરણા પર બેઠા હતા.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.