ભાવનગરની સિહોર GIDCમાં આવેલી ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 કામદારોના મોત, ત્રણ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-12-28 15:16:00

ભાવનગર જિલ્લાની સિહોર GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં ગત મોડી રાત્રે વિસ્ફોટ થતાં હાહાકાર મચી ગયો છે. સિહોર GIDCની એમ.ડી.રુદ્રા નામની ફેક્ટરીમાં જબરદસ્ત વિસ્ફોટ થતા પાંચ લોકો ઘાયલ થયા હતાં જેમાં બાદ બે કામદારોના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. હાલ ત્રણ ઘાયલોની સર ટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


મિલના બોયલરમાં બ્લાસ્ટ થયો


સિહોર GIDCની એમ.ડી.રુદ્રા રોલિંગ મિલમાં બોયલરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચાર મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. ઘાયલ ચાર લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રતિલાલ નામના મજૂરનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પરસોત્તમ નામના મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હજુ ત્રણ મજૂર સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.


આ લોકો ઘાયલ થયા


સિહોર જીઆઇડીસીમાં આવેલી એમ.ડી રુદ્રા નામની ફેક્ટરીમાં મોડીરાત્રે કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં દુર્ઘટના બની હતી. જેના કારણે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાજુ ચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમ ચૌહાણ નામના મજૂરોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.