ભાવનગરની સિહોર GIDCમાં આવેલી ફેક્ટરીમાં વિસ્ફોટ, 2 કામદારોના મોત, ત્રણ ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-12-28 15:16:00

ભાવનગર જિલ્લાની સિહોર GIDCમાં આવેલી એક ફેક્ટરીમાં ગત મોડી રાત્રે વિસ્ફોટ થતાં હાહાકાર મચી ગયો છે. સિહોર GIDCની એમ.ડી.રુદ્રા નામની ફેક્ટરીમાં જબરદસ્ત વિસ્ફોટ થતા પાંચ લોકો ઘાયલ થયા હતાં જેમાં બાદ બે કામદારોના મોત થયા છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા હતા. હાલ ત્રણ ઘાયલોની સર ટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


મિલના બોયલરમાં બ્લાસ્ટ થયો


સિહોર GIDCની એમ.ડી.રુદ્રા રોલિંગ મિલમાં બોયલરમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ચાર મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એકનું સ્થળ પર મોત નિપજ્યું હતું. ઘાયલ ચાર લોકોને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક કામદારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. રતિલાલ નામના મજૂરનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે પરસોત્તમ નામના મજૂરનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે હજુ ત્રણ મજૂર સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે.


આ લોકો ઘાયલ થયા


સિહોર જીઆઇડીસીમાં આવેલી એમ.ડી રુદ્રા નામની ફેક્ટરીમાં મોડીરાત્રે કોઈ કારણોસર બ્લાસ્ટ થતાં દુર્ઘટના બની હતી. જેના કારણે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. રાજુ ચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમ ચૌહાણ નામના મજૂરોને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.