રાજસ્થાનમાં ટ્રેનને પાટા પરથી પાડી દેવાનો નિષ્ફળ પ્લાન, ગેહલોતે તપાસના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 17:06:27

ઉદયપુર-અમદાવાદના રેલવે ટ્રેક પર  રાત્રે દસ વાગ્યા નજીક ધમાકો થયો હતો અને નજીકના ગામના લોકો જાગી ગયા હતા. આ બ્લાસ્ટ ઉદયપુરથી 35 કિલોમીટર દૂર ટ્રેનનો ટ્રેક તોડવા માટે હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સમગ્ર મામલે તરત તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ આ ટ્રેક પર ટ્રેનની અવર-જવર અટકાવી દેવાઈ છે. 

આતંકવાદી પ્રવૃતિના એન્ગલથી તપાસ શરૂ

ગ્રામજનોએ ઘટનાસ્થળે જોયું ત્યારે પાટા પર નટબૉલ્ટ નહોતા. રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ પણ પડ્યો હતો. આ જોઈને સ્થાનિકોએ રેલવે પોલીસ સહિત રાજસ્થાન પોલીસને તપાસના આદેશ આપી દીધા છે. રેલવે તંત્રએ પણ ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.