રાજસ્થાનમાં ટ્રેનને પાટા પરથી પાડી દેવાનો નિષ્ફળ પ્લાન, ગેહલોતે તપાસના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-11-13 17:06:27

ઉદયપુર-અમદાવાદના રેલવે ટ્રેક પર  રાત્રે દસ વાગ્યા નજીક ધમાકો થયો હતો અને નજીકના ગામના લોકો જાગી ગયા હતા. આ બ્લાસ્ટ ઉદયપુરથી 35 કિલોમીટર દૂર ટ્રેનનો ટ્રેક તોડવા માટે હતો. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ સમગ્ર મામલે તરત તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ આ ટ્રેક પર ટ્રેનની અવર-જવર અટકાવી દેવાઈ છે. 

આતંકવાદી પ્રવૃતિના એન્ગલથી તપાસ શરૂ

ગ્રામજનોએ ઘટનાસ્થળે જોયું ત્યારે પાટા પર નટબૉલ્ટ નહોતા. રેલવે ટ્રેક પર વિસ્ફોટક પદાર્થ પણ પડ્યો હતો. આ જોઈને સ્થાનિકોએ રેલવે પોલીસ સહિત રાજસ્થાન પોલીસને તપાસના આદેશ આપી દીધા છે. રેલવે તંત્રએ પણ ટ્રેકનું સમારકામ શરૂ કરી દીધું છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.