રાજય સરકારની મનમાની સામે 17 હજાર રેશનિંગ દુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું, ગરીબ રેશનકાર્ડ ધારકોની હાલત કફોડી


  • Published By :
  • Published Date : 2023-09-01 15:18:24

રાજયભરનાં 17 હજાર જેટલા રેશનીંગનાં દુકાનદારો આજથી બે મુદ્દતી હડતાલ પર ઉતરી ગયા છે. અનાજમાં ઘટ, કમિશન સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં આખરે વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શ્રાવણના તહેવારોમાં જ વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડતા સામાન્ય લોકોની હાલાકી વધી ગઈ છે. સસ્તા અનાજના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાળના કારણે 22 લાખ જેટલા ગરીબ લાભાર્થીઓના તહેવાર બગડે તેવી પુરી શક્યતા છે. વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળથી શ્રાવણના તહેવારોમાં ગરીબ રાશનકાર્ડ ધારકોને અનાજ, તેલ, ખાંડ સહિતની વસ્તુઓ મળશે કે કેમ તેના પર સવાલ ઉઠ્યો છે. રાજ્ય સરકારના પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવના દુકાનદારો વચ્ચેની મડાગાંઠમાં ગરીબ રેશનકાર્ડ ધારકોની કફોડી દશા થઇ છે.


રેશનીંગનાં દુકાનદારો શા માટે હડતાળ પર ઉતર્યા?


હડતાળ પર ઉતરેલા વ્યાજબી ભાવના દુકાનદારોનું આ અંગે એવું કહેવું છે કે અસહ્ય મોંઘવારીમાં ઓછા કમિશનના કારણે તેમને પોસાતું નથી. ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ રીતે વ્યાજબીભાવના દુકાનદારોએ હડતાળ પાડી હતી પરંતુ ત્યારે સરકારે કમિશન વધારવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.આ સાથે જ તેમનું એમ પણ કહેવું છે કે 50 કિલો અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવતી હોય છે, જે દુકાનદારોને જરાય પોસાતું નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટના બદલે વળતર આપવા ઈચ્છા ધરાવતા નથી. વ્યાજબી ભાવના દુકાનદારોનો આ સાથે એવો પણ આરોપ છે કે ઓનલાઈન સિસ્ટમ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે પરંતુ છતાં સર્વર વારંવાર ખોટકાય છે જેના કારણે દુકાનદારોની સાથે સાથે કાર્ડધારકોને પણ મુશ્કેલી પડી રહી છે. તે ઉપરાંત વ્યાજબી ભાવના દુકાનદારને પોતાની દુકાનમાં કામ કરતાં તોલાટ અને કોમ્પ્યુટર ઓપરેટરને પગાર ઉપરાંત દુકાન ભાડુ, લાઈટ બીલ જેવા અનેક ખર્ચાઓ થતાં હોય છે.


કમિટીની દરખાસ્ત છતાં સરકારની મનમાની 


આ અંગે વ્યાજબી ભાવના દુકાનદારો એસોસિએશનના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું છે કે, સરકાર દ્વારા ઓગસ્ટ 22 માં મિનિમમ 20,000 કમિશન તથા એક ટકો વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે છતાં અધિકારીઓની મનમાનીથી આજદિન સુધી દુકાનદારોના આ પડતર પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યો નથી જેની સામે આખરે ના છૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે શનીંગનાં દુકાનદારોની હડતાળ મામલે ગુજરાત સરકારના પુરવઠા વિભાગના અધિકારીઓએ  દુકાનદારોના  લાયસન્સ રદ કરવાની ચેતવણી પણ આપી છે જો કે તેની કોઈ અસર દુકાનદારો પર થઈ નથી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.