રાજય સરકારની મનમાની સામે 17 હજાર રેશનિંગ દુકાનદારોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું, ગરીબ રેશનકાર્ડ ધારકોની હાલત કફોડી


  • Published By :
  • Published Date : 2023-09-01 15:18:24

રાજયભરનાં 17 હજાર જેટલા રેશનીંગનાં દુકાનદારો આજથી બે મુદ્દતી હડતાલ પર ઉતરી ગયા છે. અનાજમાં ઘટ, કમિશન સહિતના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતાં આખરે વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. શ્રાવણના તહેવારોમાં જ વ્યાજબી ભાવના દુકાનદારોએ સરકાર સામે મોરચો માંડતા સામાન્ય લોકોની હાલાકી વધી ગઈ છે. સસ્તા અનાજના દુકાનદારોની રાજ્યવ્યાપી હડતાળના કારણે 22 લાખ જેટલા ગરીબ લાભાર્થીઓના તહેવાર બગડે તેવી પુરી શક્યતા છે. વ્યાજબી ભાવના દુકાનદારોની હડતાળથી શ્રાવણના તહેવારોમાં ગરીબ રાશનકાર્ડ ધારકોને અનાજ, તેલ, ખાંડ સહિતની વસ્તુઓ મળશે કે કેમ તેના પર સવાલ ઉઠ્યો છે. રાજ્ય સરકારના પુરવઠા વિભાગ અને વ્યાજબી ભાવના દુકાનદારો વચ્ચેની મડાગાંઠમાં ગરીબ રેશનકાર્ડ ધારકોની કફોડી દશા થઇ છે.


રેશનીંગનાં દુકાનદારો શા માટે હડતાળ પર ઉતર્યા?


હડતાળ પર ઉતરેલા વ્યાજબી ભાવના દુકાનદારોનું આ અંગે એવું કહેવું છે કે અસહ્ય મોંઘવારીમાં ઓછા કમિશનના કારણે તેમને પોસાતું નથી. ગુજરાત કરતા અન્ય રાજ્યોમાં દુકાનદારોને વધુ કમિશન ચૂકવવામાં આવે છે. વિધાનસભા ચૂંટણી પહેલા પણ આ રીતે વ્યાજબીભાવના દુકાનદારોએ હડતાળ પાડી હતી પરંતુ ત્યારે સરકારે કમિશન વધારવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી.આ સાથે જ તેમનું એમ પણ કહેવું છે કે 50 કિલો અનાજની બોરી દીઠ ત્રણ-પાંચ કિલોની ઘટ આવતી હોય છે, જે દુકાનદારોને જરાય પોસાતું નથી. પુરવઠા વિભાગ અનાજની ઘટના બદલે વળતર આપવા ઈચ્છા ધરાવતા નથી. વ્યાજબી ભાવના દુકાનદારોનો આ સાથે એવો પણ આરોપ છે કે ઓનલાઈન સિસ્ટમ પાછળ કરોડોનો ધુમાડો કરવામાં આવ્યો છે પરંતુ છતાં સર્વર વારંવાર ખોટકાય છે જેના કારણે દુકાનદારોની સાથે સાથે કાર્ડધારકોને પણ મુશ્કેલી પડી રહી છે. તે ઉપરાંત વ્યાજબી ભાવના દુકાનદારને પોતાની દુકાનમાં કામ કરતાં તોલાટ અને કોમ્પ્યુટર ઓપરેટરને પગાર ઉપરાંત દુકાન ભાડુ, લાઈટ બીલ જેવા અનેક ખર્ચાઓ થતાં હોય છે.


કમિટીની દરખાસ્ત છતાં સરકારની મનમાની 


આ અંગે વ્યાજબી ભાવના દુકાનદારો એસોસિએશનના મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું છે કે, સરકાર દ્વારા ઓગસ્ટ 22 માં મિનિમમ 20,000 કમિશન તથા એક ટકો વિતરણ ઘટ આપવા માટે લેખિતમાં સંમતિ આપવામાં આવેલ હતી અને સરકાર દ્વારા નિમાયેલી કમિટી દ્વારા પણ આ અંગે દરખાસ્ત કરી દેવામાં આવેલ છે છતાં અધિકારીઓની મનમાનીથી આજદિન સુધી દુકાનદારોના આ પડતર પ્રશ્નોને નિકાલ કરવામાં આવ્યો નથી જેની સામે આખરે ના છૂટકે સરકાર સામે અસહકાર આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે શનીંગનાં દુકાનદારોની હડતાળ મામલે ગુજરાત સરકારના પુરવઠા વિભાગના અધિકારીઓએ  દુકાનદારોના  લાયસન્સ રદ કરવાની ચેતવણી પણ આપી છે જો કે તેની કોઈ અસર દુકાનદારો પર થઈ નથી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.