Chaitar Vasava સામે Faizal Patel અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે? Bharuchમાં ગઠબંધનના બધા ગણિત ફેલ?


  • Published By :
  • Published Date : 2024-03-14 17:04:22

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે પોતાના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઉતાર્યા છે. જ્યારે ગઠબંધનની વાત થઈ ત્યારથી જ કોંગ્રેસમાં આંતરિખ ડખા હોય તેવું દેખાઈ આવતું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ફૈઝલ પટેલ લડશે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક બેઠકો એવી છે જે રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે અનેક બેઠકો એવી છે જ્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવ્યા છે. અહમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલે એક પોસ્ટ લખી છે જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે તે અપક્ષથી ચૂંટણી લડી શકે છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.