Chaitar Vasava સામે Faizal Patel અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે? Bharuchમાં ગઠબંધનના બધા ગણિત ફેલ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 17:04:22

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે પોતાના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઉતાર્યા છે. જ્યારે ગઠબંધનની વાત થઈ ત્યારથી જ કોંગ્રેસમાં આંતરિખ ડખા હોય તેવું દેખાઈ આવતું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ફૈઝલ પટેલ લડશે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક બેઠકો એવી છે જે રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે અનેક બેઠકો એવી છે જ્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવ્યા છે. અહમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલે એક પોસ્ટ લખી છે જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે તે અપક્ષથી ચૂંટણી લડી શકે છે.    



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..