Chaitar Vasava સામે Faizal Patel અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે? Bharuchમાં ગઠબંધનના બધા ગણિત ફેલ?


  • Published By :
  • Published Date : 2024-03-14 17:04:22

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે પોતાના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઉતાર્યા છે. જ્યારે ગઠબંધનની વાત થઈ ત્યારથી જ કોંગ્રેસમાં આંતરિખ ડખા હોય તેવું દેખાઈ આવતું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ફૈઝલ પટેલ લડશે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક બેઠકો એવી છે જે રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે અનેક બેઠકો એવી છે જ્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવ્યા છે. અહમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલે એક પોસ્ટ લખી છે જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે તે અપક્ષથી ચૂંટણી લડી શકે છે.    



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે