Chaitar Vasava સામે Faizal Patel અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે? Bharuchમાં ગઠબંધનના બધા ગણિત ફેલ?


  • Published By :
  • Published Date : 2024-03-14 17:04:22

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપે પોતાના વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ બેઠક માટે ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ભરૂચ સીટ પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ચૈતર વસાવાને ઉતાર્યા છે. જ્યારે ગઠબંધનની વાત થઈ ત્યારથી જ કોંગ્રેસમાં આંતરિખ ડખા હોય તેવું દેખાઈ આવતું હતું. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોએ નારાજગી વ્યક્ત કરી હતી. ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ફૈઝલ પટેલ લડશે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અનેક બેઠકો એવી છે જે રસપ્રદ બની રહી છે. અનેક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે જ્યારે અનેક બેઠકો એવી છે જ્યાં માટે ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી. પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. ચૈતર વસાવાના નામની જાહેરાત થયા બાદ કોંગ્રેસમાં ચાલતા આંતરિક ડખા સામે આવ્યા છે. અહમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલે એક પોસ્ટ લખી છે જે બાદ એવું માનવામાં આવી રહ્યું છે તે અપક્ષથી ચૂંટણી લડી શકે છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.