Gujaratમાં નકલીની બોલબાલા! નકલી ડિગ્રી પર નોકરી કરતાં 11 હેલ્થ વર્કર ઝડપાયા, Gujarat AAPએ આ રીતે કર્યો કટાક્ષ!


  • Published By :
  • Published Date : 2023-12-09 11:52:48

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી શબ્દ બહુ સાંભળવા મળે છે. કોઈ વખત નકલી ઘી પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ, સીએમઓ અધિકારી પકડાય છે. નકલી ડિગ્રી બનાવી લોકો પાસેથી પૈસા પડાવી ઠગો અનેક પકડાયા છે. નકલી ટોલનાકુ પણ થોડા સમય પહેલા મળી આવ્યું હતું. ગઈકાલે ગૃહરાજ્ય મંત્રીનો નકલી પીએ ઝડપાયો હતો. પરંતુ બનાવટી ડિગ્રી લઈ 10 વર્ષથી નોકરી કરતા હેલ્થ વર્કરોનો પર્દાફાશ થયો છે. 10 જેટલા હેલ્થ વર્કરની નકલી ડિગ્રી હોવાનું સામે આવ્યું છે. નકલી ડિગ્રી લઈ નોકરી મેળવવાનો કિસ્સો સામે આવતા ગુજરાત આપે સરકાર પર પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભાજપના રાજમાં નકલીની બોલબાલા છે. 

ગઈકાલે મળી આવ્યો ગૃહરાજ્ય મંત્રીનો નકલી પીએ!

ગુજરાતમાં નકલીનું ચલણ વધી ગયું છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત મંત્રીના નકલી પીએ પકડાય છે. આવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નકલી ડિગ્રી અંગે તો અનેક વખત વાત કરી ત્યારે હવે નકલી ડિગ્રી લઈ નોકરી મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિ.પં.ના આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી કાંડ સામે આવ્યો છે. મહેસાણામાં નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અહીં છેલ્લા 10 વર્ષથી 11 હેલ્થ વર્કર ખોટી ડિગ્રી પર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાત આપે નકલી હેલ્થ વર્કર મામલે કર્યો કટાક્ષ! 

માર્ચ 2023માં શરૂ કરવામાં આવેલ તપાસમાં આ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ લોકોએ અન્ય રાજ્યોની યુનિવર્સિટીના નામથી નકલી ડિગ્રી મેળવી નોકરી મેળવી હતી. આ તરફ જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. આ સાથે હવે આ તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. ગુજરાતમાં નકલીની બોલબાલા છે તેવો કટાક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે નકલી ટોલનાકાની સફળતા બાદ ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી આપવાનું  કૌભાંડ.


 


ક્યાંક આપણે શ્વાસ તો નકલી નથી લઈ રહ્યાને!

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. નકલી ટોલનાકુ કરી પૈસા પણ પડાવી રહ્યા છે, નકલી ડિગ્રી લઈ નોકરી પણ મેળવવામાં આવે છે, નોકરીને 10 વર્ષ પણ થઈ જાય છે પરંતુ ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી! ત્યારે સવાલ થાય કે ક્યાં સુધી આવા નકલી અધિકારીઓ, નકલી ડિગ્રી સહિતના કૌભાંડો થતા રહેશે! એ હદે નકલીની બોલબાલા વધી છે કે ડર લાગે છે કે ક્યાંક શ્વાસ તો નકલી નથી લઈ રહ્યા ને..!    



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.