Gujaratમાં નકલીની બોલબાલા! નકલી ડિગ્રી પર નોકરી કરતાં 11 હેલ્થ વર્કર ઝડપાયા, Gujarat AAPએ આ રીતે કર્યો કટાક્ષ!


  • Published By :
  • Published Date : 2023-12-09 11:52:48

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી શબ્દ બહુ સાંભળવા મળે છે. કોઈ વખત નકલી ઘી પકડાય છે તો કોઈ વખત નકલી પીએમઓ, સીએમઓ અધિકારી પકડાય છે. નકલી ડિગ્રી બનાવી લોકો પાસેથી પૈસા પડાવી ઠગો અનેક પકડાયા છે. નકલી ટોલનાકુ પણ થોડા સમય પહેલા મળી આવ્યું હતું. ગઈકાલે ગૃહરાજ્ય મંત્રીનો નકલી પીએ ઝડપાયો હતો. પરંતુ બનાવટી ડિગ્રી લઈ 10 વર્ષથી નોકરી કરતા હેલ્થ વર્કરોનો પર્દાફાશ થયો છે. 10 જેટલા હેલ્થ વર્કરની નકલી ડિગ્રી હોવાનું સામે આવ્યું છે. નકલી ડિગ્રી લઈ નોકરી મેળવવાનો કિસ્સો સામે આવતા ગુજરાત આપે સરકાર પર પ્રહાર કર્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે ભાજપના રાજમાં નકલીની બોલબાલા છે. 

ગઈકાલે મળી આવ્યો ગૃહરાજ્ય મંત્રીનો નકલી પીએ!

ગુજરાતમાં નકલીનું ચલણ વધી ગયું છે. કોઈ વખત નકલી ટોલનાકુ પકડાય છે તો કોઈ વખત મંત્રીના નકલી પીએ પકડાય છે. આવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નકલી ડિગ્રી અંગે તો અનેક વખત વાત કરી ત્યારે હવે નકલી ડિગ્રી લઈ નોકરી મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મહેસાણાથી એક કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિ.પં.ના આરોગ્ય શાખામાં નકલી ડિગ્રી કાંડ સામે આવ્યો છે. મહેસાણામાં નકલી ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અહીં છેલ્લા 10 વર્ષથી 11 હેલ્થ વર્કર ખોટી ડિગ્રી પર નોકરી કરતાં હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાત આપે નકલી હેલ્થ વર્કર મામલે કર્યો કટાક્ષ! 

માર્ચ 2023માં શરૂ કરવામાં આવેલ તપાસમાં આ કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ લોકોએ અન્ય રાજ્યોની યુનિવર્સિટીના નામથી નકલી ડિગ્રી મેળવી નોકરી મેળવી હતી. આ તરફ જિલ્લા વિકાસ અધિકારીએ તમામને નોટિસ આપી ખુલાસો માંગ્યો છે. આ સાથે હવે આ તમામ 11 હેલ્થ વર્કરને નોકરીમાંથી છૂટા કરવામાં આવશે. ગુજરાતમાં નકલીની બોલબાલા છે તેવો કટાક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું છે નકલી ટોલનાકાની સફળતા બાદ ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી આપવાનું  કૌભાંડ.


 


ક્યાંક આપણે શ્વાસ તો નકલી નથી લઈ રહ્યાને!

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી નકલી અધિકારીઓ પકડાઈ રહ્યા છે. નકલી ટોલનાકુ કરી પૈસા પણ પડાવી રહ્યા છે, નકલી ડિગ્રી લઈ નોકરી પણ મેળવવામાં આવે છે, નોકરીને 10 વર્ષ પણ થઈ જાય છે પરંતુ ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી! ત્યારે સવાલ થાય કે ક્યાં સુધી આવા નકલી અધિકારીઓ, નકલી ડિગ્રી સહિતના કૌભાંડો થતા રહેશે! એ હદે નકલીની બોલબાલા વધી છે કે ડર લાગે છે કે ક્યાંક શ્વાસ તો નકલી નથી લઈ રહ્યા ને..!    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.