ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ આપ્યું નિવેદન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-27 14:38:41

છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને કારણે સતત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત ચર્ચામાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે. થોડા સમય પહેલા પ્રખ્યાત કથાકાર મોરારી બાપુને લઈ તેમણે નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને તુલસી અને પ્રવર્તમાન તુલસી કહીને સંબોધિત કર્યા હતા. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુએ કહ્યું હતું કે મને બહુ પરિચય નથી.   

    મોરારી બાપુ News in Gujarati, Latest મોરારી બાપુ news, photos, videos | Zee  News Gujarati

ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી કહીને સંબોધ્યા હતા

રાજકોટમાં મોરારીબાપુએ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા હતા કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. પોતાના નિવેદનને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ કહી રહ્યા હતા કે ભારત માટે હિન્દુ રાષ્ટ્ર હોવું જરૂરી છે, તો તે ભારત અને પાકિસ્તાનના વિલીનીકરણથી લઈને તમામ મુદ્દાઓ પર મુક્તપણે બોલી રહ્યા છે. થોડા દિવસો પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકદરબારમાં રામકથાકાર મોરારી બાપુ વિશે કહ્યું હતું કે તેઓ યુગ તુલસી છે. પરંતુ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખતા નથી. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે મોરારી બાપુની કથામાં આવ્યા હતા.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.