ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ આપ્યું નિવેદન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-27 14:38:41

છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને કારણે સતત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત ચર્ચામાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે. થોડા સમય પહેલા પ્રખ્યાત કથાકાર મોરારી બાપુને લઈ તેમણે નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને તુલસી અને પ્રવર્તમાન તુલસી કહીને સંબોધિત કર્યા હતા. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુએ કહ્યું હતું કે મને બહુ પરિચય નથી.   

    મોરારી બાપુ News in Gujarati, Latest મોરારી બાપુ news, photos, videos | Zee  News Gujarati

ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી કહીને સંબોધ્યા હતા

રાજકોટમાં મોરારીબાપુએ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા હતા કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. પોતાના નિવેદનને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ કહી રહ્યા હતા કે ભારત માટે હિન્દુ રાષ્ટ્ર હોવું જરૂરી છે, તો તે ભારત અને પાકિસ્તાનના વિલીનીકરણથી લઈને તમામ મુદ્દાઓ પર મુક્તપણે બોલી રહ્યા છે. થોડા દિવસો પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકદરબારમાં રામકથાકાર મોરારી બાપુ વિશે કહ્યું હતું કે તેઓ યુગ તુલસી છે. પરંતુ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખતા નથી. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે મોરારી બાપુની કથામાં આવ્યા હતા.  




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.