ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ પ્રખ્યાત કથાકાર મોરારી બાપુએ આપ્યું નિવેદન, કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-02-27 14:38:41

છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને કારણે સતત બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એક વખત ચર્ચામાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે. થોડા સમય પહેલા પ્રખ્યાત કથાકાર મોરારી બાપુને લઈ તેમણે નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને તુલસી અને પ્રવર્તમાન તુલસી કહીને સંબોધિત કર્યા હતા. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુએ કહ્યું હતું કે મને બહુ પરિચય નથી.   

    મોરારી બાપુ News in Gujarati, Latest મોરારી બાપુ news, photos, videos | Zee  News Gujarati

ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારી બાપુને યુગ તુલસી કહીને સંબોધ્યા હતા

રાજકોટમાં મોરારીબાપુએ બાબા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈ નિવેદન આપ્યું છે જેમાં તેઓ કહી રહ્યા હતા કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો મારે પરિચય નથી. પોતાના નિવેદનને લઈ ધીરેન્દ્ર શાસ્ત્રી સતત ચર્ચામાં રહ્યા છે. થોડા સમય પહેલા તેઓ કહી રહ્યા હતા કે ભારત માટે હિન્દુ રાષ્ટ્ર હોવું જરૂરી છે, તો તે ભારત અને પાકિસ્તાનના વિલીનીકરણથી લઈને તમામ મુદ્દાઓ પર મુક્તપણે બોલી રહ્યા છે. થોડા દિવસો પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકદરબારમાં રામકથાકાર મોરારી બાપુ વિશે કહ્યું હતું કે તેઓ યુગ તુલસી છે. પરંતુ જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી અંગે મોરારી બાપુને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓળખતા નથી. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી અતિથિ તરીકે મોરારી બાપુની કથામાં આવ્યા હતા.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.