અમિતાભ બચ્ચનના જન્મદિવસે ચાહકોને મળશે ગિફ્ટ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:23:49

11 ઓક્ટોમ્બર એટલે અમિતાભ બચ્ચનનો બર્થડે આજે બચ્ચનનો 80મો જન્મદિવસ છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી તથા ચાહકો અલગ-અલગ રીતે બિગ બીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે 'ગુડબાય'ના મેકર્સે ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. 11 ઓક્ટોમ્બરના રોજ ફિલ્મણી ટિકિટ 80 રૂપીયામાં મળશે આ વાતની માહિતી ફિલ્મના મેકર્સ બાલાજી મોશન પિક્ચર્સે સો.મીડિયામાં આપી હતી. 


80 રૂપીયામાં ફિલ્મની માણો મજા !!!


અમિતાભ બચ્ચનના જન્મદિવસે બાલાજી મોશન પિકચર્સ એ આપી ગિફ્ટ કહ્યું કે  'આવતીકાલે બિગ બી 80 વર્ષના થશે. આ ખાસ પ્રસંગને ખાસ રીતે સેલિબ્રેટ કરવો જોઈએ. આથી જ તેમના 80 વર્ષના બર્થડે પર તેમના ફેન ફોલોઇંગ તથા લેગસીને જોતાં બિગ બીની નવી ફિલ્મ 'ગુડબાય' પરિવાર સાથે માત્ર 80 રૂપિયામાં જોઈ શકો છો. લિંક પર જઈને ટિકિટ બુક કરો.'


બચ્ચન ફિલ્મ ફેસ્ટિવલ !!!

બિગ બીના 80મા જન્મદિવસ પર ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને ચાર દિવસની ફિલ્મ ઇવેન્ટ યોજી છે. આ ઇવેન્ટ હેઠળ  8થી 11 ઓક્ટોબર સુધી અમિતાભ બચ્ચનની બેસ્ટ ફિલ્મ થિયેટરમાં બતાવવામાં આવી રહી છે.





જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.