અમિતાભ બચ્ચનના જન્મદિવસે ચાહકોને મળશે ગિફ્ટ !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 13:23:49

11 ઓક્ટોમ્બર એટલે અમિતાભ બચ્ચનનો બર્થડે આજે બચ્ચનનો 80મો જન્મદિવસ છે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી તથા ચાહકો અલગ-અલગ રીતે બિગ બીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે 'ગુડબાય'ના મેકર્સે ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. 11 ઓક્ટોમ્બરના રોજ ફિલ્મણી ટિકિટ 80 રૂપીયામાં મળશે આ વાતની માહિતી ફિલ્મના મેકર્સ બાલાજી મોશન પિક્ચર્સે સો.મીડિયામાં આપી હતી. 


80 રૂપીયામાં ફિલ્મની માણો મજા !!!


અમિતાભ બચ્ચનના જન્મદિવસે બાલાજી મોશન પિકચર્સ એ આપી ગિફ્ટ કહ્યું કે  'આવતીકાલે બિગ બી 80 વર્ષના થશે. આ ખાસ પ્રસંગને ખાસ રીતે સેલિબ્રેટ કરવો જોઈએ. આથી જ તેમના 80 વર્ષના બર્થડે પર તેમના ફેન ફોલોઇંગ તથા લેગસીને જોતાં બિગ બીની નવી ફિલ્મ 'ગુડબાય' પરિવાર સાથે માત્ર 80 રૂપિયામાં જોઈ શકો છો. લિંક પર જઈને ટિકિટ બુક કરો.'


બચ્ચન ફિલ્મ ફેસ્ટિવલ !!!

બિગ બીના 80મા જન્મદિવસ પર ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને ચાર દિવસની ફિલ્મ ઇવેન્ટ યોજી છે. આ ઇવેન્ટ હેઠળ  8થી 11 ઓક્ટોબર સુધી અમિતાભ બચ્ચનની બેસ્ટ ફિલ્મ થિયેટરમાં બતાવવામાં આવી રહી છે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.