ભૂપેન્દ્ર પટેલની સરકારનું એક વર્ષ, ઉજવણી કાર્યક્રમમાં ખેડૂતોએ રંગમાં ભંગ પાડ્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 15:34:40

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે સરકાર વિરોધી લોકજુવાળ પણ ચરમસીમા પર છે. સમાજના તમામ વર્ગો તેમની માંગણીઓને લઈ રાજ્ય સરકાર સામે ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓ, માજી સૈનિકો તથા ખેડૂતોમાં સરકાર પ્રત્યે ઉગ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે.



ગાંધીનગરમાં ખેડૂતોએ કર્યું વિરોધ-પ્રદર્શન


ખેડૂતો તેમની પડતર માગણીને લઈને રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોની માંગણી મુદ્દે કોઈ ચર્ચા કે નિર્ણય કરવામાં આવ્યો નથી. સરકારના આવા અક્કડ વલણ સામે ખેડૂતોમાં ભારે આક્રોસ છે. ગાંધીનગરમાં આજે  ભૂપેન્દ્ર પટેલ સરકારની 1 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેટલાક ખેડૂતો ઘૂસી ગયા હતા. ઉશ્કેરાયેલા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આગામી સમયમાં તેમની માગણી નહીં માને તો તેઓ સરકારને ઘેરશે.


રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારને આજે 1 વર્ષ પુરૂ થયું, એક વર્ષ અગાઉ આજના દિવસે જ તેમણે તેમના નવા પ્રધાન મંડળ સાથે શપથ લીધા હતા. જેની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતો આજે ત્યાં પહોંચી ગયા હતા અને મહાત્મા મંદિર બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.