લાફાકાંડ મામલે ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં! ન્યાય માટે ખેડૂતોએ શરૂ કરી પદયાત્રા, કલમ 144 લાગુ કરાયા બાદ પણ પોતાની માગ પર છે મક્કમ


  • Published By :
  • Published Date : 2023-08-11 15:33:57

આપણે ત્યાં જય જવાન જય કિસાન નારો બોલવામાં આવે છે. પરંતુ ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ખેડૂતોની હાલત કફોળી બનતી જઈ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. લાફાકાંડને કારણે ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી. કેશાજી ચૌહાણના રાજીનામાની માગ સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. દિયોદરથી પગપાળા કરી ખેડૂતને ન્યાય મળે તે માટે પગપાળા કરી રહ્યા છે. મહત્વનું છે કે કેશાજીના સમર્થક દ્વારા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો ન્યાયની માગ સાથે ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. પરંતુ પોતાની માગ સાથે ખેડૂતો મક્કમ જોવા મળી રહ્યા છે.     

દિયોદર લાફકાંડ બાદ ખેડૂતોની પદયાત્રા

ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂતને મરાયા હતા થપ્પડ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોએ  સાણદરથી ગાંધીનગર સુધીના ન્યાય યાત્રા શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



ન્યાયની માગ સાથે ગાંધીનગર તરફ ખેડૂતો કરી રહ્યા છે આગેકૂચ

ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે. ત્યારે દિયોદરથી નીકળેલી આ ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ ખેડૂતો આગેકૂચ કરવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.