લાફાકાંડ મામલે ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં! ન્યાય માટે ખેડૂતોએ શરૂ કરી પદયાત્રા, કલમ 144 લાગુ કરાયા બાદ પણ પોતાની માગ પર છે મક્કમ


  • Published By :
  • Published Date : 2023-08-11 15:33:57

આપણે ત્યાં જય જવાન જય કિસાન નારો બોલવામાં આવે છે. પરંતુ ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ખેડૂતોની હાલત કફોળી બનતી જઈ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. લાફાકાંડને કારણે ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી. કેશાજી ચૌહાણના રાજીનામાની માગ સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. દિયોદરથી પગપાળા કરી ખેડૂતને ન્યાય મળે તે માટે પગપાળા કરી રહ્યા છે. મહત્વનું છે કે કેશાજીના સમર્થક દ્વારા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો ન્યાયની માગ સાથે ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. પરંતુ પોતાની માગ સાથે ખેડૂતો મક્કમ જોવા મળી રહ્યા છે.     

દિયોદર લાફકાંડ બાદ ખેડૂતોની પદયાત્રા

ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂતને મરાયા હતા થપ્પડ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોએ  સાણદરથી ગાંધીનગર સુધીના ન્યાય યાત્રા શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



ન્યાયની માગ સાથે ગાંધીનગર તરફ ખેડૂતો કરી રહ્યા છે આગેકૂચ

ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે. ત્યારે દિયોદરથી નીકળેલી આ ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ ખેડૂતો આગેકૂચ કરવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.