લાફાકાંડ મામલે ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં! ન્યાય માટે ખેડૂતોએ શરૂ કરી પદયાત્રા, કલમ 144 લાગુ કરાયા બાદ પણ પોતાની માગ પર છે મક્કમ


  • Published By :
  • Published Date : 2023-08-11 15:33:57

આપણે ત્યાં જય જવાન જય કિસાન નારો બોલવામાં આવે છે. પરંતુ ખેડૂતોની હાલત દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. ખેડૂતોની હાલત કફોળી બનતી જઈ રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. લાફાકાંડને કારણે ધરતીપુત્રોમાં નારાજગી જોવા મળી હતી. કેશાજી ચૌહાણના રાજીનામાની માગ સાથે ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે. દિયોદરથી પગપાળા કરી ખેડૂતને ન્યાય મળે તે માટે પગપાળા કરી રહ્યા છે. મહત્વનું છે કે કેશાજીના સમર્થક દ્વારા ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. ત્યારે ખેડૂતો ન્યાયની માગ સાથે ગાંધીનગર પહોંચે તે પહેલા પોલીસ દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. પરંતુ પોતાની માગ સાથે ખેડૂતો મક્કમ જોવા મળી રહ્યા છે.     

દિયોદર લાફકાંડ બાદ ખેડૂતોની પદયાત્રા

ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂતને મરાયા હતા થપ્પડ

બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોએ  સાણદરથી ગાંધીનગર સુધીના ન્યાય યાત્રા શરૂ કરી છે. 7 ઓગસ્ટના રોજ ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



ન્યાયની માગ સાથે ગાંધીનગર તરફ ખેડૂતો કરી રહ્યા છે આગેકૂચ

ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે. ત્યારે દિયોદરથી નીકળેલી આ ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. કલમ 144 લાગુ કરવામાં આવી છે પરંતુ ખેડૂતો આગેકૂચ કરવા તત્પર હોય તેવું લાગી રહ્યું છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.