મહેસાણા હાઈવે પર ભીષણ અકસ્માત, કલોલના એક દંપતી અને ટ્રક ડ્રાઈવર સહિત 3 લોકોનું ઘટના સ્થળે જ મોત


  • Published By :
  • Published Date : 2023-06-26 17:14:56

રાજ્યના મોટા હાઈ વે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે, અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. મહેસાણા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને એકત્રિત થયેલા લોકોએ વિજાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.અત્યંત ભયાનક એવા આ અકસ્માત બાદ અરેરાટી વ્યાપી ગઈ હતી.


દર્શનાર્થે જઈ રહ્યું હતું કલોલનું દંપતી 


અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, કલોલનું દંપતી આજરોજ સવારે 8 વાગ્યા આપસાસ કારમાં રાજસ્થાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું. તે દરમિયાન મહેસાણાની રણછોડપુરા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી તરફ ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પણ મૃત્યુ થયું હતું. 


ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

 

પોલીસે દુર્ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય મૃતકોના મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને સમગ્ર અકસ્માતની ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.