મહેસાણા હાઈવે પર ભીષણ અકસ્માત, કલોલના એક દંપતી અને ટ્રક ડ્રાઈવર સહિત 3 લોકોનું ઘટના સ્થળે જ મોત


  • Published By :
  • Published Date : 2023-06-26 17:14:56

રાજ્યના મોટા હાઈ વે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે, અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. મહેસાણા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને એકત્રિત થયેલા લોકોએ વિજાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.અત્યંત ભયાનક એવા આ અકસ્માત બાદ અરેરાટી વ્યાપી ગઈ હતી.


દર્શનાર્થે જઈ રહ્યું હતું કલોલનું દંપતી 


અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, કલોલનું દંપતી આજરોજ સવારે 8 વાગ્યા આપસાસ કારમાં રાજસ્થાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું. તે દરમિયાન મહેસાણાની રણછોડપુરા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી તરફ ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પણ મૃત્યુ થયું હતું. 


ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

 

પોલીસે દુર્ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય મૃતકોના મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને સમગ્ર અકસ્માતની ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.