મહેસાણા હાઈવે પર ભીષણ અકસ્માત, કલોલના એક દંપતી અને ટ્રક ડ્રાઈવર સહિત 3 લોકોનું ઘટના સ્થળે જ મોત


  • Published By :
  • Published Date : 2023-06-26 17:14:56

રાજ્યના મોટા હાઈ વે વાહનચાલકો માટે જોખમી બની રહ્યા છે, અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. મહેસાણા હાઈવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એક કાર અને ટ્રક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતના કારણે હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા અને એકત્રિત થયેલા લોકોએ વિજાપુર પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.અત્યંત ભયાનક એવા આ અકસ્માત બાદ અરેરાટી વ્યાપી ગઈ હતી.


દર્શનાર્થે જઈ રહ્યું હતું કલોલનું દંપતી 


અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, કલોલનું દંપતી આજરોજ સવારે 8 વાગ્યા આપસાસ કારમાં રાજસ્થાન મંદિરે દર્શન કરવા જઈ રહ્યું હતું. તે દરમિયાન મહેસાણાની રણછોડપુરા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રકે કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી તરફ ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પણ મૃત્યુ થયું હતું. 


ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

 

પોલીસે દુર્ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય મૃતકોના મૃતદેહને  પોસ્ટમોર્ટમ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા અને સમગ્ર અકસ્માતની ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.