કપડવંજમાં પિતા-પુત્રીએ કર્યો આપઘાત, પુત્રીની હત્યા કરી પિતાએ ગળે ફાંસો ખાઈ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2022-12-10 17:30:36

2019માં કોરોનાની ઝપેટમાં આવી અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા. પોતાના સ્વજનથી દૂર થવાને કારણે અને તેમની યાદો આવવાને કારણે દુખી થઈ જતા હોય છે. ત્યારે કપડવંજમાં એક એવી ઘટના બની જેમાં કોરોનામાં એક સભ્યે પોતાનો જીવ ગુમાવી દીધો. જેને કારણે દુ:ખી થઈ પિતાએ તેમની 10 વર્ષની પુત્ર સાથે આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધી છે.

મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટ.

આત્મહત્યા પહેલા લખી સુસાઈડ નોટ

કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકોના મૃત્યું થયા છે. ત્યારે કપડવંજથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા કરી પોતે પણ મોતને વહાલું કરી લીધું. તેમના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી જેમાં શા માટે આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યું તેનો ઉલ્લેખ ન હતો પરંતુ એક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


દીકરીના મૃતદેહ પાસે મળ્યો મૃત માતાનો ફોટો 

ભાવિકભાઈની પત્નીનો ફોટો જોએલની બાજુમાં પડ્યો હતો. ઉપરાંત પાડોશીના જણાવ્યા અનુસાર ભાવિકભાઈ તેમની પત્નીના ફોટો પણ સ્ટેટસમાં રાખતા હતા. આ કારણોસર એવું માનવામાં  આવી રહ્યું છે કે પત્નીની યાદમાં તેમણે આ પગલું ભર્યું છે. આત્મહત્યાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ આરંભી દીધી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.