કપડવંજમાં પિતા-પુત્રીએ કર્યો આપઘાત, પુત્રીની હત્યા કરી પિતાએ ગળે ફાંસો ખાઈ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2022-12-10 17:30:36

2019માં કોરોનાની ઝપેટમાં આવી અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા. પોતાના સ્વજનથી દૂર થવાને કારણે અને તેમની યાદો આવવાને કારણે દુખી થઈ જતા હોય છે. ત્યારે કપડવંજમાં એક એવી ઘટના બની જેમાં કોરોનામાં એક સભ્યે પોતાનો જીવ ગુમાવી દીધો. જેને કારણે દુ:ખી થઈ પિતાએ તેમની 10 વર્ષની પુત્ર સાથે આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધી છે.

મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટ.

આત્મહત્યા પહેલા લખી સુસાઈડ નોટ

કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકોના મૃત્યું થયા છે. ત્યારે કપડવંજથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા કરી પોતે પણ મોતને વહાલું કરી લીધું. તેમના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી જેમાં શા માટે આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યું તેનો ઉલ્લેખ ન હતો પરંતુ એક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


દીકરીના મૃતદેહ પાસે મળ્યો મૃત માતાનો ફોટો 

ભાવિકભાઈની પત્નીનો ફોટો જોએલની બાજુમાં પડ્યો હતો. ઉપરાંત પાડોશીના જણાવ્યા અનુસાર ભાવિકભાઈ તેમની પત્નીના ફોટો પણ સ્ટેટસમાં રાખતા હતા. આ કારણોસર એવું માનવામાં  આવી રહ્યું છે કે પત્નીની યાદમાં તેમણે આ પગલું ભર્યું છે. આત્મહત્યાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ આરંભી દીધી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.