કપડવંજમાં પિતા-પુત્રીએ કર્યો આપઘાત, પુત્રીની હત્યા કરી પિતાએ ગળે ફાંસો ખાઈ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2022-12-10 17:30:36

2019માં કોરોનાની ઝપેટમાં આવી અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા. પોતાના સ્વજનથી દૂર થવાને કારણે અને તેમની યાદો આવવાને કારણે દુખી થઈ જતા હોય છે. ત્યારે કપડવંજમાં એક એવી ઘટના બની જેમાં કોરોનામાં એક સભ્યે પોતાનો જીવ ગુમાવી દીધો. જેને કારણે દુ:ખી થઈ પિતાએ તેમની 10 વર્ષની પુત્ર સાથે આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધી છે.

મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટ.

આત્મહત્યા પહેલા લખી સુસાઈડ નોટ

કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકોના મૃત્યું થયા છે. ત્યારે કપડવંજથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા કરી પોતે પણ મોતને વહાલું કરી લીધું. તેમના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી જેમાં શા માટે આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યું તેનો ઉલ્લેખ ન હતો પરંતુ એક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


દીકરીના મૃતદેહ પાસે મળ્યો મૃત માતાનો ફોટો 

ભાવિકભાઈની પત્નીનો ફોટો જોએલની બાજુમાં પડ્યો હતો. ઉપરાંત પાડોશીના જણાવ્યા અનુસાર ભાવિકભાઈ તેમની પત્નીના ફોટો પણ સ્ટેટસમાં રાખતા હતા. આ કારણોસર એવું માનવામાં  આવી રહ્યું છે કે પત્નીની યાદમાં તેમણે આ પગલું ભર્યું છે. આત્મહત્યાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ આરંભી દીધી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી