કપડવંજમાં પિતા-પુત્રીએ કર્યો આપઘાત, પુત્રીની હત્યા કરી પિતાએ ગળે ફાંસો ખાઈ દુનિયાને કહ્યું અલવિદા


  • Published By :
  • Published Date : 2022-12-10 17:30:36

2019માં કોરોનાની ઝપેટમાં આવી અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા હતા. પોતાના સ્વજનથી દૂર થવાને કારણે અને તેમની યાદો આવવાને કારણે દુખી થઈ જતા હોય છે. ત્યારે કપડવંજમાં એક એવી ઘટના બની જેમાં કોરોનામાં એક સભ્યે પોતાનો જીવ ગુમાવી દીધો. જેને કારણે દુ:ખી થઈ પિતાએ તેમની 10 વર્ષની પુત્ર સાથે આત્મહત્યા કરી દુનિયાને અલવિદા કહી દીધી છે.

મૃતદેહ પાસેથી મળેલી સુસાઈડ નોટ.

આત્મહત્યા પહેલા લખી સુસાઈડ નોટ

કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક લોકોના મૃત્યું થયા છે. ત્યારે કપડવંજથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા કરી પોતે પણ મોતને વહાલું કરી લીધું. તેમના ઘરેથી એક સુસાઈડ નોટ મળી આવી જેમાં શા માટે આત્મહત્યા કરવા જેવું પગલું ભર્યું તેનો ઉલ્લેખ ન હતો પરંતુ એક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


દીકરીના મૃતદેહ પાસે મળ્યો મૃત માતાનો ફોટો 

ભાવિકભાઈની પત્નીનો ફોટો જોએલની બાજુમાં પડ્યો હતો. ઉપરાંત પાડોશીના જણાવ્યા અનુસાર ભાવિકભાઈ તેમની પત્નીના ફોટો પણ સ્ટેટસમાં રાખતા હતા. આ કારણોસર એવું માનવામાં  આવી રહ્યું છે કે પત્નીની યાદમાં તેમણે આ પગલું ભર્યું છે. આત્મહત્યાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ આરંભી દીધી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.