ઓડિશા ટ્રેન અકસ્માતમાં દીકરો મૃત્યુ પામ્યો તે વાતને ન સ્વીકારી પિતાએ! લાશોના ઢગલામાંથી જીવતો શોધી કાઢ્યો દીકરો, વાંચો ઈમોશનલ કરી દે તેવી પિતાની કહાણી


  • Published By :
  • Published Date : 2023-06-07 13:03:10

ઓડિશા ટ્રેન અકસ્માતમાં અનેક લોકોના મોત થયા છે.  200થી વધારે લોકોએ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ આજે લોકોના મૃત્યુ પર નહીં પરંતુ અકસ્માતમાં બચેલા લોકો વિશે વાત કરવી છે. જ્યારે મૃતકોના પરિવારે આ ઘટના અંગે સાંભળ્યું હશે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હશે. અનેક પરિવાર આ ઘટનામાં વિખેરાઈ ગયા હતા. ત્યારે એક પિતાને વિશ્વાસ હતો કે તેમનો દીકરો ન મરી શકે તે જીવે છે. અને તેમનો આ જ વિશ્વાસ સાચો સાબિત થયો. 


ઘરે આવી પિતાએ સાંભળ્યા ટ્રેન અકસ્માતના સમાચાર! 

આ વાત છે એક પિતાની જેમનું નામ હેલારામ મલિકની જે ગુરુવારે પોતાના 24 વર્ષના જુવાન દીકરાને કોલકાતા રેલ્વે સ્ટેશન પર મૂકવા ગયા હતા હેલારામને કોલકત્તામાં નાનકડી દુકાન છે. દીકરો કમાતો થાય એટલે ઘરની જવાબદારી વહેંચાઈ જાય. આવા સપનાં સાથે કામ માટે વિશ્વજીતને કોલકત્તાથી દક્ષિણ ભારત મોકલવાનો હતો. આ માટે કોલકત્તાથી ચેન્નાઈ માટે કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનમાં તેને બેસાડયો અને હેલારામ મલિક હરખાતા ઘરે પાછા ફર્યા. રાત પડી ત્યાં ટીવીમાં સમાચાર જોયા કે ઓરિસ્સાના બાલાસોર પાસે કોરોમંડલ એક્સપ્રેસનો ભયંકર અકસ્માત થયો છે. ડબ્બા પાટા પરથી નીચે પડી ગયા. અને આ ઘટનામાં સંખ્યાબંધ લોકોનાં મૃત્યુ થયાં છે. આ સમાચાર સાંભળતાં જ હેલારામ મલિકનો પરિવારનો પરિવાર શોકમાં ડૂબી ગયો. 


ભગવાન પર વિશ્વાસ રાખી દીકરાને શોધવા નિકળી પડ્યા પિતા!

પણ હેલારામે ભગવાન પર વિશ્વાસ રાખીને કહ્યું, તમે કેમ માની લીધું કે આપણો વિશ્વજીત પણ મરી ગયો હશે. મને અંદરથી ઈશ્વર સંકેત આપે છે કે આપણો વિશ્વજીત જીવતો છે. તમે ચિંતા ના કરો, હું હમણાં જ બાલોસોર જવા નીકળું છું અને મારા દીકરાને શોધી લાવું છું. પછી તે પિતા પોતાના દીકરાને શોંધવા નિકળી પડ્યા. ચાર કલાકની સફર કરીને હેલારામ રાત્રે લગભગ ત્રણ વાગ્યે બાલાસોર પહોંચ્યા. 


હોસ્પિટલમાં દીકરો ન મળતા શબઘરમાં શોધવા ગયા! 

ચારેય તરફ અફરા તફરીનો માહોલ હતો, રોકકળને ચિચિયારોની ગુંજ રહી હતી. તેમણે કોઈને પૂછ્યું કે, ઘાયલોને કઈ હોસ્પિટલમાં લઈ જવાયા છે? જવાબ મળ્યો, અલગ અલગ સાત હોસ્પિટલમાં લઈ જવાયા છે. બધી આસપાસ છે. દરેક હોસ્પિટલમાં જવા સિવાય હેલારામ પાસે કોઈ છૂટકો નહોતો. તે એમ્બ્યુલન્સ લઈ લઈને અલગ અલગ ચાર હોસ્પિટલ ફર્યા પણ દીકરો મળ્યો નહીં. હોસ્પિટલમાં એક કમ્પાઉન્ડરે હેલારામનો ચિંતિત ચહેરો જોઈ પૂછ્યું, તમે દીકરાને શોધવા શબઘર જાવ. હેલારામે કહ્યું, પણ મારો દીકરો જીવતો છે. કમ્પાઉન્ડરે કહ્યું, હોસ્પિટલમાં તો નથી ને? તો પછી આશા કેમ રાખો છો? જાવ ત્યાં તપાસ કરો. ભારે હૈયે હેલારામ શબઘર પહોંચે છે. ત્યાં મોટાહોલમાં લાશોના ઢગલા પડ્યા હતા. 


શબઘરમાં જે બન્યું તે ચમત્કારથી ઓછું ન હતું!

આટલા બધામાંથી મારા દીકરાને કેમ ઓળખવો? શબઘરમાં લાશ ગોઠવવાનું કામ કરી રહેલા કર્મચારીએ કહ્યું, અહીંયા ન હોય તો નજીકમાં બહાનગા હાઈસ્કૂલ છે. ત્યાં પણ ઘણી ડેડબોડી રાખી છે. ત્યાં તપાસ કરો.પછી હેલારામ ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો સવાર થઈ ગઈ થી એ સવાર હેલારામ અને તેમના પરિવાર માટે એક નવી આશા લાવવાની હતી કારણકે તે દિવસે જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું ન હતું. સ્કૂલે પહોંચ્યા તો જવાબ મળ્યો- મૃતદેહને અહીં દરવાજે ઊભા રહીને જોઈ લો. નજીક જવાની પરવાનગી નથી.દૂર થી તે પિતાએ પોતાનો દીકરો ઓળખી લીધો દીકરાનો મૃતદેહ હતો પણ તેનો હાથ હલતો હતો. 


લાશોના ઢગલામાંથી દીકરાનો હાથ હલતો દેખાયો!

હેલારામની આંખના ખૂણેથી આંસૂ સરી પડ્યા. એણે ગળગળા અવાજે હાજર સ્ટાફને કહ્યું, જુઓ, મારા દીકરાનો હાથ હલે છે. એ જીવે છે. સ્ટાફે કહ્યું, એવું હોય નહીં, આ બધી બોડી તો રાતની આમ જ પડી છે. હેલારામે કહ્યું, જુઓ તો ખરા. તમે ના પાડશો તો હું ચાલ્યો જઈશ. સ્ટાફે જોયું તો મૃતદેહોના ઢગલા વચ્ચે એકનો હાથ સહેજ હલતો દેખાયો. તરત સ્ટાફે નજીક જઈ માથા પરથી ચાદર હટાવી નાક પાસે આંગળી મૂકી તો શ્વાસ ચાલતા હતા. તેણે બીજા મદદગારોને બૂમ પાડી અને મૃતદેહના ઢગલામાંથી જીવતી વ્યક્તિને બહાર કાઢીને સારવાર માટે ખસેડ્યો.  શાસ્ત્રોમાં કહેવાયું છે કે, માતા-પિતા અને પત્ની મૃત્યુના મુખમાંથી પણ પાછા લાવી શકે. જો હેલારામ રાત્રે બાલાસોર પહોંચ્યા ન હોત ને રાહ જોઈ હોત તો શબઘરમાં જીવતો પડેલો દીકરો કદાચ સાચે જ મરી ગયો હોત. 


આવો જ એક બીજો કિસ્સો પણ સામે આવ્યો હતો!

એવોજ એક બીજો કિસ્સો પણ સામે આવ્યો છે જેમાં દુલાલ મઝુમદાર નામનો એક વ્યક્તિ દુર્ઘટનાના 48 કલાક બાદ પણ ટ્રેનની નીચે ફસાયો હોવા છતાં તેનો જીવ બચી ગયો છે બે દિવસ સુધી બચાવકર્મીઓ ત્રણેય ટ્રેનોના કાટમાળની આસપાસ બચી ગયેલા લોકોને શોધવા માટે દોડધામ કરી રહ્યા હતા.રવિવારે સાંજે 5:30 વાગ્યે એક સામન્ય અવાજ સાંભળ્યો. ટ્રેનના નીચેથી અને બધાને આશ્ચર્ય થયું કે આવા ટ્રેન અકસ્માતમાં કોઈ 48 કલાક સુધી ખાધા પીધા વગર કઈ રીતે બચી શકે  દુલાલ મઝુમદાર જ્યારે અકસ્માત થયો ત્યારે તે કોરોમંડલ એક્સપ્રેસના જનરલ ડબ્બામાં હતો.  અને આ પણ એક ચમત્કાર જ કે તે વ્યક્તિ પણ બચી ગયો. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન જેને બચાવે તેને કોણ મારી શકે. ત્યારે આવા કિસ્સાઓ, આવી ઘટનાઓ ભગવાન પરનો વિશ્વાસ દ્રઢ કરાવે છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.