ગુજરાતમાં H3N2ને કારણે થયું મહિલા દર્દીનું મોત! વડોદરામાં દર્દીનું મોત થતા લોકોમાં વ્યાપ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-03-14 14:04:59

કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક દર્દીઓ H3N2 વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા આ વાયરસને કારણે અંદાજીત બે લોકોના મોત થયા હતા ત્યારે આજે ગુજરાતમાં પણ આને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. વડોદરામાં 58 વર્ષીય મહિલા દર્દીનું આને કારણે મોત નિપજ્યું છે આ વાયરસને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે. સારવાર માટે બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગુજરાતમાં H3N2ને કારણે મોત થતાં લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.


H3N2ના કારણે વડોદરામાં થયું મહિલાનું મોત!

દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસને કારણે લોકોની ચિંતા વધી છે તો બીજી તરફ H3N2ના કેસ પણ સતત વધી રહ્યા છે. H3N2ના અનેક દર્દીઓ નોંધાયા છે. થોડા દિવસ પહેલા આને કારણે 2 લોકોના મોત થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. વડોદરાના દર્દીનું મોત થયું છે. આ વાયરસનો ગુજરાતમાં પગપેસારો થઈ ગયો છે. જેને લઈ ચિંતા વધી છે. 


કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વધતા કેસને લઈ સતર્ક 

H3N2ના લક્ષણોની વાત કરીએ તો તેમાં શરદી ખાંસી, તાવ વગેરે અનેક દિવસો સુધી નથી જતા. બેવડી ઋતુને કારણે અનેક લોકો વાયરલના શિકાર બની રહ્યા છે. શરદી ખાંસીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર સતર્ક બની છે તે ઉપરાંત રાજ્ય સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. વધતા દર્દીઓને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

           



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.