ગુજરાતમાં H3N2ને કારણે થયું મહિલા દર્દીનું મોત! વડોદરામાં દર્દીનું મોત થતા લોકોમાં વ્યાપ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-03-14 14:04:59

કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક દર્દીઓ H3N2 વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા આ વાયરસને કારણે અંદાજીત બે લોકોના મોત થયા હતા ત્યારે આજે ગુજરાતમાં પણ આને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. વડોદરામાં 58 વર્ષીય મહિલા દર્દીનું આને કારણે મોત નિપજ્યું છે આ વાયરસને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે. સારવાર માટે બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગુજરાતમાં H3N2ને કારણે મોત થતાં લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.


H3N2ના કારણે વડોદરામાં થયું મહિલાનું મોત!

દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસને કારણે લોકોની ચિંતા વધી છે તો બીજી તરફ H3N2ના કેસ પણ સતત વધી રહ્યા છે. H3N2ના અનેક દર્દીઓ નોંધાયા છે. થોડા દિવસ પહેલા આને કારણે 2 લોકોના મોત થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. વડોદરાના દર્દીનું મોત થયું છે. આ વાયરસનો ગુજરાતમાં પગપેસારો થઈ ગયો છે. જેને લઈ ચિંતા વધી છે. 


કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વધતા કેસને લઈ સતર્ક 

H3N2ના લક્ષણોની વાત કરીએ તો તેમાં શરદી ખાંસી, તાવ વગેરે અનેક દિવસો સુધી નથી જતા. બેવડી ઋતુને કારણે અનેક લોકો વાયરલના શિકાર બની રહ્યા છે. શરદી ખાંસીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર સતર્ક બની છે તે ઉપરાંત રાજ્ય સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. વધતા દર્દીઓને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

           



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.