ગુજરાતમાં H3N2ને કારણે થયું મહિલા દર્દીનું મોત! વડોદરામાં દર્દીનું મોત થતા લોકોમાં વ્યાપ્યો ડર


  • Published By :
  • Published Date : 2023-03-14 14:04:59

કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે તો બીજી તરફ H3N2ના કેસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. અનેક દર્દીઓ H3N2 વાયરસના શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા આ વાયરસને કારણે અંદાજીત બે લોકોના મોત થયા હતા ત્યારે આજે ગુજરાતમાં પણ આને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. વડોદરામાં 58 વર્ષીય મહિલા દર્દીનું આને કારણે મોત નિપજ્યું છે આ વાયરસને કારણે થયું હોય તેવું લાગી રહ્યું છે. સારવાર માટે બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ગુજરાતમાં H3N2ને કારણે મોત થતાં લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.


H3N2ના કારણે વડોદરામાં થયું મહિલાનું મોત!

દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના અનેક નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના વધતા કેસને કારણે લોકોની ચિંતા વધી છે તો બીજી તરફ H3N2ના કેસ પણ સતત વધી રહ્યા છે. H3N2ના અનેક દર્દીઓ નોંધાયા છે. થોડા દિવસ પહેલા આને કારણે 2 લોકોના મોત થઈ ગયા છે ત્યારે ગુજરાતમાં પણ આ વાયરસને કારણે એક મહિલાનું મોત નિપજ્યું છે. વડોદરાના દર્દીનું મોત થયું છે. આ વાયરસનો ગુજરાતમાં પગપેસારો થઈ ગયો છે. જેને લઈ ચિંતા વધી છે. 


કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વધતા કેસને લઈ સતર્ક 

H3N2ના લક્ષણોની વાત કરીએ તો તેમાં શરદી ખાંસી, તાવ વગેરે અનેક દિવસો સુધી નથી જતા. બેવડી ઋતુને કારણે અનેક લોકો વાયરલના શિકાર બની રહ્યા છે. શરદી ખાંસીના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે દેશમાં વધતા કેસને લઈ કેન્દ્ર સરકાર સતર્ક બની છે તે ઉપરાંત રાજ્ય સરકાર પણ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે. વધતા દર્દીઓને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. 

           



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.