Diwaliનો તહેવાર Gujarat Tourism ક્ષેત્રને ફળ્યો! Statue of Unity, Ambaji સહિતના પર્યટક સ્થળોમાં ઉમટ્યા લાખો પ્રવાસીઓ


  • Published By :
  • Published Date : 2023-11-23 12:27:20

દિવાળી દરમિયાન એસ.ટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેને કારણે દિવાળી એસ.ટી વિભાગને ફળી છે તેવા સમાચારો તો મળ્યા હશે. દિવાળી ન માત્ર એસટી વિભાગને ફળી છે પરંતુ ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોને ફળી છે. ગુજરાતમાં આવેલા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ દિવાળીની રજાઓ દરમિયાન 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42, 75, 900થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી.  

Ambaji Temple

Planning a tour of Sardar Patel's Statue of Unity? Check ticket price,  entry timings, other details | Mint

ગુજરાતના પ્રવાસન સ્થળોને જોવા માટે વધ્યો ક્રેઝ!

ગુજરાતીઓને ફરવાના શોખીન માનવામાં આવે છે. દિવાળી સમયે અનેક લોકો રાજ્યની બહાર ફરવા જતા હોય છે તો કોઈ ગુજરાતમાં જ ફરી દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પર્યટકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. અનેક પ્રવાસન સ્થળઆકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્મૃતિ વન, ગિરનાર રોપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, દાંડી સ્મારકની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તે ઉપરાંત સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત ભક્તોએ લીધી હતી. તે ઉપરાંત સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર પણ આકર્ષણનું કેન્દ્ર દિવાળીના તહેવારો દરમિયાન વધ્યું હતું. 

Dwarka With Somnath 3 Nights 4 Days Holiday Tour Package | Flamingo Travels

Dwarka Tourism | Dwarka Tourist Places | Dwarka Travel Guide | Dwarka  Weather | Dwarka Photos | Travel.India.com

Atal Bridge – Sabarmati Riverfront

ક્યાંની કેટલા લોકોએ લીધી મુલાકાત? 

એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 3,03,800થી વધારે લોકોએ લીધી હતી. ભૂજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત 36,300થી વધારે લોકોએ લીધી છે. દાંડી સ્મારકને જોવા માટે 27,900થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા. તો 31900થી વધારે લોકોએ સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ દાદાના આશીર્વાદ 4,87,900થી વધારે દર્શનાર્થીઓએ લીધી છે. અંબાજી મંદિરમાં 6 લાખ 35 હજાર 700થી વધારે દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. પાવાગઢ મંદિરની મુલાકાતે 5,25,400થી વધારે આવ્યા છે. દ્વારકાધિશના દર્શન 6,18,400થી વધારે ભક્તોએ કર્યા છે. અમદાવાદમાં આવેલા અટલ બ્રિજની 1,81,692 જેટલા લોકોએ મુલાકાત લીધી. ઉપરાંત કાંકરિયા તળાવ જોવા માટે 4,45,140થી વધારે લોકો આવ્યા હતા.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.