Diwaliનો તહેવાર Gujarat Tourism ક્ષેત્રને ફળ્યો! Statue of Unity, Ambaji સહિતના પર્યટક સ્થળોમાં ઉમટ્યા લાખો પ્રવાસીઓ


  • Published By :
  • Published Date : 2023-11-23 12:27:20

દિવાળી દરમિયાન એસ.ટી વિભાગને કરોડોની કમાણી થઈ છે. સ્પેશિયલ બસો દોડાવવામાં આવી હતી જેને કારણે દિવાળી એસ.ટી વિભાગને ફળી છે તેવા સમાચારો તો મળ્યા હશે. દિવાળી ન માત્ર એસટી વિભાગને ફળી છે પરંતુ ગુજરાતના અનેક પ્રવાસન સ્થળોને ફળી છે. ગુજરાતમાં આવેલા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ દિવાળીની રજાઓ દરમિયાન 11થી 20 નવેમ્બર 2023 સુધી દસ દિવસના સમયગાળામાં, રાજ્યના 18 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 42, 75, 900થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી.  

Ambaji Temple

Planning a tour of Sardar Patel's Statue of Unity? Check ticket price,  entry timings, other details | Mint

ગુજરાતના પ્રવાસન સ્થળોને જોવા માટે વધ્યો ક્રેઝ!

ગુજરાતીઓને ફરવાના શોખીન માનવામાં આવે છે. દિવાળી સમયે અનેક લોકો રાજ્યની બહાર ફરવા જતા હોય છે તો કોઈ ગુજરાતમાં જ ફરી દિવાળીની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતના અનેક પ્રવાસન સ્થળો પર પર્યટકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. અનેક પ્રવાસન સ્થળઆકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્મૃતિ વન, ગિરનાર રોપ વે, સાસણગીર અને દેવળીયા પાર્ક, સૂર્ય મંદિર, રાણ કી વાવ, દાંડી સ્મારકની પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. તે ઉપરાંત સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત ભક્તોએ લીધી હતી. તે ઉપરાંત સાયન્સ સિટી-અમદાવાદ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ, વડનગર પણ આકર્ષણનું કેન્દ્ર દિવાળીના તહેવારો દરમિયાન વધ્યું હતું. 

Dwarka With Somnath 3 Nights 4 Days Holiday Tour Package | Flamingo Travels

Dwarka Tourism | Dwarka Tourist Places | Dwarka Travel Guide | Dwarka  Weather | Dwarka Photos | Travel.India.com

Atal Bridge – Sabarmati Riverfront

ક્યાંની કેટલા લોકોએ લીધી મુલાકાત? 

એક મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 3,03,800થી વધારે લોકોએ લીધી હતી. ભૂજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત 36,300થી વધારે લોકોએ લીધી છે. દાંડી સ્મારકને જોવા માટે 27,900થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા. તો 31900થી વધારે લોકોએ સૂર્ય મંદિરની મુલાકાત લીધી હતી. સોમનાથ દાદાના આશીર્વાદ 4,87,900થી વધારે દર્શનાર્થીઓએ લીધી છે. અંબાજી મંદિરમાં 6 લાખ 35 હજાર 700થી વધારે દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતા. પાવાગઢ મંદિરની મુલાકાતે 5,25,400થી વધારે આવ્યા છે. દ્વારકાધિશના દર્શન 6,18,400થી વધારે ભક્તોએ કર્યા છે. અમદાવાદમાં આવેલા અટલ બ્રિજની 1,81,692 જેટલા લોકોએ મુલાકાત લીધી. ઉપરાંત કાંકરિયા તળાવ જોવા માટે 4,45,140થી વધારે લોકો આવ્યા હતા.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.