ચૂંટણી અને તહેવારોમાં 'રોકડી' કરવા બુટલેગરો સક્રિય, રાજ્યમાં દારૂની તસ્કરી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 13:03:35

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તેનો કેટલો અમલ થાય છે તે સૌ કોઈ જાણે છે. લોકો અને રાજનેતાઓએ પણ આ નગ્ન સત્ય સ્વિકારી લીધું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દારૂની હેરાફેરી વધી જતી હોય છે. આ વખતે પણ તહેવારો અને ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ થશે અને તેથી જ બુટલેગરો દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં લાગ્યા છે.


શામળાજીની રતનપુર બોર્ડર પર તસ્કરી વધી


તહેવારો અને ચૂંટણી નજીક હોવાથી  બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે  શામળાજીની રતનપુર બોર્ડર બુટલેગરનું સૌથી પ્રિય સ્થળ છે. સરકાર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યનું યુવાધન પણ નશાના રવાડે ચઢી ગયું છે. આ સ્થિતીમાં  સ્થાનિક પોલીસ પણ બુટલેગરો પર નજર રાખીને દારૂનો જથ્થો પકડવા માટે સતર્ક બની છે. 


લઠ્ઠાકાંડના કારણે પોલીસ એક્સનમાં


ગુજરાતના બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યાં હતા. આ લઠ્ઠાકાંડ બાદ 39 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડથી પોલીસની છબી ખરડાઈ છે. પોલીસ પર પણ બુટલેગરો સાથે સાંઠગાંઠના આરોપો લાગ્યા હતા. આ બધા કારણોથી આ વખતે પોલીસ વધુ સક્રિય બની છે.

શામળાજી પોલીસે છેલ્લા 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 10 વાહનોમાંથી 42,179 બોટલ કબજે કરી છે. પોલીસે કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની સામે કડક પગલાં ભર્યા છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.