ચૂંટણી અને તહેવારોમાં 'રોકડી' કરવા બુટલેગરો સક્રિય, રાજ્યમાં દારૂની તસ્કરી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 13:03:35

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તેનો કેટલો અમલ થાય છે તે સૌ કોઈ જાણે છે. લોકો અને રાજનેતાઓએ પણ આ નગ્ન સત્ય સ્વિકારી લીધું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દારૂની હેરાફેરી વધી જતી હોય છે. આ વખતે પણ તહેવારો અને ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ થશે અને તેથી જ બુટલેગરો દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં લાગ્યા છે.


શામળાજીની રતનપુર બોર્ડર પર તસ્કરી વધી


તહેવારો અને ચૂંટણી નજીક હોવાથી  બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે  શામળાજીની રતનપુર બોર્ડર બુટલેગરનું સૌથી પ્રિય સ્થળ છે. સરકાર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યનું યુવાધન પણ નશાના રવાડે ચઢી ગયું છે. આ સ્થિતીમાં  સ્થાનિક પોલીસ પણ બુટલેગરો પર નજર રાખીને દારૂનો જથ્થો પકડવા માટે સતર્ક બની છે. 


લઠ્ઠાકાંડના કારણે પોલીસ એક્સનમાં


ગુજરાતના બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યાં હતા. આ લઠ્ઠાકાંડ બાદ 39 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડથી પોલીસની છબી ખરડાઈ છે. પોલીસ પર પણ બુટલેગરો સાથે સાંઠગાંઠના આરોપો લાગ્યા હતા. આ બધા કારણોથી આ વખતે પોલીસ વધુ સક્રિય બની છે.

શામળાજી પોલીસે છેલ્લા 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 10 વાહનોમાંથી 42,179 બોટલ કબજે કરી છે. પોલીસે કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની સામે કડક પગલાં ભર્યા છે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"