ચૂંટણી અને તહેવારોમાં 'રોકડી' કરવા બુટલેગરો સક્રિય, રાજ્યમાં દારૂની તસ્કરી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 13:03:35

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તેનો કેટલો અમલ થાય છે તે સૌ કોઈ જાણે છે. લોકો અને રાજનેતાઓએ પણ આ નગ્ન સત્ય સ્વિકારી લીધું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દારૂની હેરાફેરી વધી જતી હોય છે. આ વખતે પણ તહેવારો અને ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ થશે અને તેથી જ બુટલેગરો દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં લાગ્યા છે.


શામળાજીની રતનપુર બોર્ડર પર તસ્કરી વધી


તહેવારો અને ચૂંટણી નજીક હોવાથી  બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે  શામળાજીની રતનપુર બોર્ડર બુટલેગરનું સૌથી પ્રિય સ્થળ છે. સરકાર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યનું યુવાધન પણ નશાના રવાડે ચઢી ગયું છે. આ સ્થિતીમાં  સ્થાનિક પોલીસ પણ બુટલેગરો પર નજર રાખીને દારૂનો જથ્થો પકડવા માટે સતર્ક બની છે. 


લઠ્ઠાકાંડના કારણે પોલીસ એક્સનમાં


ગુજરાતના બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યાં હતા. આ લઠ્ઠાકાંડ બાદ 39 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડથી પોલીસની છબી ખરડાઈ છે. પોલીસ પર પણ બુટલેગરો સાથે સાંઠગાંઠના આરોપો લાગ્યા હતા. આ બધા કારણોથી આ વખતે પોલીસ વધુ સક્રિય બની છે.

શામળાજી પોલીસે છેલ્લા 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 10 વાહનોમાંથી 42,179 બોટલ કબજે કરી છે. પોલીસે કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની સામે કડક પગલાં ભર્યા છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.