ચૂંટણી અને તહેવારોમાં 'રોકડી' કરવા બુટલેગરો સક્રિય, રાજ્યમાં દારૂની તસ્કરી વધી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 13:03:35

પ્રસ્તુત છે જમાવટ મીડિયા, BY UTPAL DAVE


ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ તેનો કેટલો અમલ થાય છે તે સૌ કોઈ જાણે છે. લોકો અને રાજનેતાઓએ પણ આ નગ્ન સત્ય સ્વિકારી લીધું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દારૂની હેરાફેરી વધી જતી હોય છે. આ વખતે પણ તહેવારો અને ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલ થશે અને તેથી જ બુટલેગરો દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં લાગ્યા છે.


શામળાજીની રતનપુર બોર્ડર પર તસ્કરી વધી


તહેવારો અને ચૂંટણી નજીક હોવાથી  બુટલેગરો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતમાં દારૂની હેરાફેરી માટે  શામળાજીની રતનપુર બોર્ડર બુટલેગરનું સૌથી પ્રિય સ્થળ છે. સરકાર માટે સૌથી ચિંતાજનક બાબત એ છે કે રાજ્યનું યુવાધન પણ નશાના રવાડે ચઢી ગયું છે. આ સ્થિતીમાં  સ્થાનિક પોલીસ પણ બુટલેગરો પર નજર રાખીને દારૂનો જથ્થો પકડવા માટે સતર્ક બની છે. 


લઠ્ઠાકાંડના કારણે પોલીસ એક્સનમાં


ગુજરાતના બોટાદ જિલ્લાના રોજિદ ગામમાં દેશી દારૂ પીધા બાદ સંખ્યાબંધ લોકો બીમાર પડ્યાં હતા. આ લઠ્ઠાકાંડ બાદ 39 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડથી પોલીસની છબી ખરડાઈ છે. પોલીસ પર પણ બુટલેગરો સાથે સાંઠગાંઠના આરોપો લાગ્યા હતા. આ બધા કારણોથી આ વખતે પોલીસ વધુ સક્રિય બની છે.

શામળાજી પોલીસે છેલ્લા 1 સપ્ટેમ્બરથી અત્યાર સુધી 10 વાહનોમાંથી 42,179 બોટલ કબજે કરી છે. પોલીસે કુલ 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરોની સામે કડક પગલાં ભર્યા છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.