દેશમાં નોંધાયા ઓછા કોરોનાના કેસ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોના સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 61 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-18 12:20:56

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 9 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા જ્યારે આજે આ આંકડો સાત હજાર પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7633 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 11 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 61 હજારને પાર પહોંચી ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારને પાર નવા કેસ 

કોરોના કેસમાં એક સમય ભારે ઉછાળો જોવા મળ્યો હતો. અનેક હજારોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જ્યારે અનેક લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ જ મહિનામાં કોરોના કેસનો આંકડો 11 હજારની પાર નોંધાયો હતો. ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 9 હજારને પાર નોંધાયો હતો ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજાર 633 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 11 જેટલા લોકોના મોત થયા છે. 


હજી સુધી 5 લાખ જેટલા લોકોના થયા છે મોત 

હજી સુધી દેશમાં 44834859 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે મરનાર વ્યક્તિઓની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાંથી સૌથી વધારે કોરોનાને કારણે લોકો મોતને ભેટ્યા છે. તે સિવાય હરિયાણા, કર્ણાટક અને પંજાબમાંથી પણ મોત નોંધાયા છે. ત્યારે લોકોએ પણ આ મામલે સાવચેત રહેવાની જરૂર છે.             



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.