દેશમાં નોંધાયા ઓછા કોરોનાના કેસ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોના સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 61 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-18 12:20:56

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 9 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા જ્યારે આજે આ આંકડો સાત હજાર પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7633 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 11 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 61 હજારને પાર પહોંચી ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારને પાર નવા કેસ 

કોરોના કેસમાં એક સમય ભારે ઉછાળો જોવા મળ્યો હતો. અનેક હજારોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જ્યારે અનેક લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ જ મહિનામાં કોરોના કેસનો આંકડો 11 હજારની પાર નોંધાયો હતો. ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 9 હજારને પાર નોંધાયો હતો ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજાર 633 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 11 જેટલા લોકોના મોત થયા છે. 


હજી સુધી 5 લાખ જેટલા લોકોના થયા છે મોત 

હજી સુધી દેશમાં 44834859 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે મરનાર વ્યક્તિઓની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાંથી સૌથી વધારે કોરોનાને કારણે લોકો મોતને ભેટ્યા છે. તે સિવાય હરિયાણા, કર્ણાટક અને પંજાબમાંથી પણ મોત નોંધાયા છે. ત્યારે લોકોએ પણ આ મામલે સાવચેત રહેવાની જરૂર છે.             



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.