દેશમાં નોંધાયા ઓછા કોરોનાના કેસ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોના સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 61 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-18 12:20:56

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 9 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા જ્યારે આજે આ આંકડો સાત હજાર પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7633 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 11 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 61 હજારને પાર પહોંચી ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારને પાર નવા કેસ 

કોરોના કેસમાં એક સમય ભારે ઉછાળો જોવા મળ્યો હતો. અનેક હજારોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જ્યારે અનેક લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ જ મહિનામાં કોરોના કેસનો આંકડો 11 હજારની પાર નોંધાયો હતો. ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 9 હજારને પાર નોંધાયો હતો ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજાર 633 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 11 જેટલા લોકોના મોત થયા છે. 


હજી સુધી 5 લાખ જેટલા લોકોના થયા છે મોત 

હજી સુધી દેશમાં 44834859 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે મરનાર વ્યક્તિઓની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાંથી સૌથી વધારે કોરોનાને કારણે લોકો મોતને ભેટ્યા છે. તે સિવાય હરિયાણા, કર્ણાટક અને પંજાબમાંથી પણ મોત નોંધાયા છે. ત્યારે લોકોએ પણ આ મામલે સાવચેત રહેવાની જરૂર છે.             



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.