દેશમાં નોંધાયા ઓછા કોરોનાના કેસ! છેલ્લા 24 કલાકમાં 7 હજાર જેટલા લોકો થયા કોરોના સંક્રમિત, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 61 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-18 12:20:56

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 9 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાયા હતા જ્યારે આજે આ આંકડો સાત હજાર પર પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 7633 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 11 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ સાથે જ દેશમાં કુલ એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 61 હજારને પાર પહોંચી ગયો છે. 

છેલ્લા 24 કલાકમાં નોંધાયા 7 હજારને પાર નવા કેસ 

કોરોના કેસમાં એક સમય ભારે ઉછાળો જોવા મળ્યો હતો. અનેક હજારોની સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જ્યારે અનેક લોકોના મોત કોરોનાને કારણે થયા છે. આ જ મહિનામાં કોરોના કેસનો આંકડો 11 હજારની પાર નોંધાયો હતો. ત્યારે ફરી એક વખત કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રવિવારે કોરોના સંક્રમિતોનો આંકડો 9 હજારને પાર નોંધાયો હતો ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 7 હજાર 633 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જ્યારે 11 જેટલા લોકોના મોત થયા છે. 


હજી સુધી 5 લાખ જેટલા લોકોના થયા છે મોત 

હજી સુધી દેશમાં 44834859 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે મરનાર વ્યક્તિઓની સંખ્યા 5 લાખને પાર પહોંચી ગઈ છે. દિલ્હીમાંથી સૌથી વધારે કોરોનાને કારણે લોકો મોતને ભેટ્યા છે. તે સિવાય હરિયાણા, કર્ણાટક અને પંજાબમાંથી પણ મોત નોંધાયા છે. ત્યારે લોકોએ પણ આ મામલે સાવચેત રહેવાની જરૂર છે.             



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.