સંતરામપુરમાં આવેલા બાઈકના શોરૂમમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-24 13:08:22

આગ લાગવાની અનેક ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે અનેક વખત નુકસાન થઈ જતું હોય છે. ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલા બાઈકના શો રૂમમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે શો રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઝપેટમાં 100 જેટલી બાઈકો આવી છે. આ આગને કારણે 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે.  


આગમાં શો રૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થયા 

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભીષણ આગ લાગી છે. સંતરામપુર શહેર કોલેજ રોડ પર આવેલા ગાંધી મોટર્સ નામના હોન્ડા શો રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળી હતી. ભીષણ આગ લાગવાને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાને કારણે આસપાસથી ટીમને બોલાવી પડી હતી. ઝાલોદ અને લુણાવાડાથી જે ઘટનાસ્થળેથી 50 કિલોમીટર દૂર છે ત્યાંથી ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા સ્થાનિકો ટેન્કર લઈને પહોંચી ગયા હતા. ભારે મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.    


આગ લાગવાનું કારણ અકબંધ 

ભીષણ આગ લાગવાને કારણે શોરૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગના કારણે 1.50 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.