સંતરામપુરમાં આવેલા બાઈકના શોરૂમમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-24 13:08:22

આગ લાગવાની અનેક ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે અનેક વખત નુકસાન થઈ જતું હોય છે. ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલા બાઈકના શો રૂમમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે શો રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઝપેટમાં 100 જેટલી બાઈકો આવી છે. આ આગને કારણે 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે.  


આગમાં શો રૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થયા 

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભીષણ આગ લાગી છે. સંતરામપુર શહેર કોલેજ રોડ પર આવેલા ગાંધી મોટર્સ નામના હોન્ડા શો રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળી હતી. ભીષણ આગ લાગવાને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાને કારણે આસપાસથી ટીમને બોલાવી પડી હતી. ઝાલોદ અને લુણાવાડાથી જે ઘટનાસ્થળેથી 50 કિલોમીટર દૂર છે ત્યાંથી ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા સ્થાનિકો ટેન્કર લઈને પહોંચી ગયા હતા. ભારે મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.    


આગ લાગવાનું કારણ અકબંધ 

ભીષણ આગ લાગવાને કારણે શોરૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગના કારણે 1.50 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.