સંતરામપુરમાં આવેલા બાઈકના શોરૂમમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-24 13:08:22

આગ લાગવાની અનેક ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે અનેક વખત નુકસાન થઈ જતું હોય છે. ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલા બાઈકના શો રૂમમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે શો રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઝપેટમાં 100 જેટલી બાઈકો આવી છે. આ આગને કારણે 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે.  


આગમાં શો રૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થયા 

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભીષણ આગ લાગી છે. સંતરામપુર શહેર કોલેજ રોડ પર આવેલા ગાંધી મોટર્સ નામના હોન્ડા શો રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળી હતી. ભીષણ આગ લાગવાને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાને કારણે આસપાસથી ટીમને બોલાવી પડી હતી. ઝાલોદ અને લુણાવાડાથી જે ઘટનાસ્થળેથી 50 કિલોમીટર દૂર છે ત્યાંથી ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા સ્થાનિકો ટેન્કર લઈને પહોંચી ગયા હતા. ભારે મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.    


આગ લાગવાનું કારણ અકબંધ 

ભીષણ આગ લાગવાને કારણે શોરૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગના કારણે 1.50 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.    



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.