સંતરામપુરમાં આવેલા બાઈકના શોરૂમમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાન થયું હોવાની આશંકા


  • Published By :
  • Published Date : 2023-01-24 13:08:22

આગ લાગવાની અનેક ઘટનાઓ બની રહી છે. આગ લાગવાને કારણે અનેક વખત નુકસાન થઈ જતું હોય છે. ત્યારે મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલા બાઈકના શો રૂમમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કારણે શો રૂમમાં રાખેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગની ઝપેટમાં 100 જેટલી બાઈકો આવી છે. આ આગને કારણે 1.5 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે.  


આગમાં શો રૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થયા 

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભીષણ આગ લાગી છે. સંતરામપુર શહેર કોલેજ રોડ પર આવેલા ગાંધી મોટર્સ નામના હોન્ડા શો રૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નિકળી હતી. ભીષણ આગ લાગવાને કારણે લોકોના ટોળે ટોળા ત્યાં આવી પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકાની ફાયર બ્રિગેડ કાર્યરત ન હોવાને કારણે આસપાસથી ટીમને બોલાવી પડી હતી. ઝાલોદ અને લુણાવાડાથી જે ઘટનાસ્થળેથી 50 કિલોમીટર દૂર છે ત્યાંથી ફાયર બ્રિગેડને બોલાવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવા સ્થાનિકો ટેન્કર લઈને પહોંચી ગયા હતા. ભારે મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.    


આગ લાગવાનું કારણ અકબંધ 

ભીષણ આગ લાગવાને કારણે શોરૂમમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગના કારણે 1.50 કરોડ ઉપરાંત નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી.    



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.