પાનોલી જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ, આગને પગલે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 11:42:24

અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન આગ લાગી રહી છે. ત્યારે પાનોલી જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ત્યાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેના ઘૂમાડાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જેને કારણે ત્યાંના લોકોને ખસેડવામાં આવ્યા હતા.


ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો  

ગુજરાતમાં આજકાલ આગ લાગવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે જ્યારે અનેક લોકો મોતને ભેટ્તા હોય છે. જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગતી હોય છે. ત્યારે ફરી એક વખત પાનોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. 


ઘૂમાડાને ચારેય તરફ ફેલાઈ ગયો હતો 

આગ એટલી ભયંકર હતી કે આગનો ધૂમાડાને કારણે આકાશ દેખાતું ન હતું. મળતી માહિતી અનુસાર આ આગ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં લાગી હતી. આગના ધૂમાડાને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે લોકોને ખસેડવામાં આવ્યા હતા. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.