પાનોલી જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ, આગને પગલે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 11:42:24

અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન આગ લાગી રહી છે. ત્યારે પાનોલી જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ત્યાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેના ઘૂમાડાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જેને કારણે ત્યાંના લોકોને ખસેડવામાં આવ્યા હતા.


ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો  

ગુજરાતમાં આજકાલ આગ લાગવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે જ્યારે અનેક લોકો મોતને ભેટ્તા હોય છે. જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગતી હોય છે. ત્યારે ફરી એક વખત પાનોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. 


ઘૂમાડાને ચારેય તરફ ફેલાઈ ગયો હતો 

આગ એટલી ભયંકર હતી કે આગનો ધૂમાડાને કારણે આકાશ દેખાતું ન હતું. મળતી માહિતી અનુસાર આ આગ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં લાગી હતી. આગના ધૂમાડાને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે લોકોને ખસેડવામાં આવ્યા હતા. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.