પાનોલી જીઆઈડીસીમાં લાગી ભીષણ આગ, આગને પગલે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડાયા


  • Published By :
  • Published Date : 2023-01-12 11:42:24

અનેક વખત આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી પ્રતિદિન આગ લાગી રહી છે. ત્યારે પાનોલી જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ત્યાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે તેના ઘૂમાડાથી સ્થાનિકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જેને કારણે ત્યાંના લોકોને ખસેડવામાં આવ્યા હતા.


ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવાયો  

ગુજરાતમાં આજકાલ આગ લાગવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. આગ લાગવાને કારણે અનેક લોકો દાઝી પણ જતા હોય છે જ્યારે અનેક લોકો મોતને ભેટ્તા હોય છે. જીઆઈડીસીમાં અનેક વખત આગ લાગતી હોય છે. ત્યારે ફરી એક વખત પાનોલી જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ભારે મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. 


ઘૂમાડાને ચારેય તરફ ફેલાઈ ગયો હતો 

આગ એટલી ભયંકર હતી કે આગનો ધૂમાડાને કારણે આકાશ દેખાતું ન હતું. મળતી માહિતી અનુસાર આ આગ જીઆઈડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં લાગી હતી. આગના ધૂમાડાને કારણે સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને કારણે લોકોને ખસેડવામાં આવ્યા હતા. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.