અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યાની ઘટના !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:32:51

અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં પોલીસ હવે માત્ર હાજરી પુરાવવા માટે છે એવું લાગી રહિયું છે. વસ્ત્રાલમાં સરા જાહેરમાં એક વ્યક્તિને પહેલા ટક્કર મારીને ત્યાર બાદ ગોળી ધરબી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ફફડાટનો માહોલ છે.  હાલ પોલીસની તપાસ ચાલુ છે. ત્રિપાલ સવારીમાં જઈ રહેલી બુલેટે પેહલાતો જોરદાર ટક્કત મારીને અટકાવ્યા હતા.

 

શું હતી આખી ઘટના ?

ઘટનાની માહિતી મુજબ જન્મદિવસની પાર્ટીમાં મિત્રો ચ્ચે કોઇ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ અદાવત રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. બુલેટને ટક્કર મારી હતી. યુવકોને અટકાવવા માટે પ્રયત્નો કર્યા. અને દેખ દેખતા  કારમાં આવેલા વ્યક્તિએ ફાયરિંગ કરતા અફડા તફડી મચી હતી. ફાયરિંગ કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.

 

પ્રાથમિક માહિતી મુજબ પેહલાતો લાગી રહ્યું હતું કે આ કોઈ અકસ્માત છે જો કે ખુન્નસથી ભરેલા આ લોકોએ એવી ટક્કર મારી કે બુલેટનું પડીકું વળી ગયું. હાલ તો પોલીસ આસપાસના સીસીટીવી એકત્રિત કરી રહ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે