અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યાની ઘટના !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:32:51

અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં પોલીસ હવે માત્ર હાજરી પુરાવવા માટે છે એવું લાગી રહિયું છે. વસ્ત્રાલમાં સરા જાહેરમાં એક વ્યક્તિને પહેલા ટક્કર મારીને ત્યાર બાદ ગોળી ધરબી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ફફડાટનો માહોલ છે.  હાલ પોલીસની તપાસ ચાલુ છે. ત્રિપાલ સવારીમાં જઈ રહેલી બુલેટે પેહલાતો જોરદાર ટક્કત મારીને અટકાવ્યા હતા.

 

શું હતી આખી ઘટના ?

ઘટનાની માહિતી મુજબ જન્મદિવસની પાર્ટીમાં મિત્રો ચ્ચે કોઇ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ અદાવત રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. બુલેટને ટક્કર મારી હતી. યુવકોને અટકાવવા માટે પ્રયત્નો કર્યા. અને દેખ દેખતા  કારમાં આવેલા વ્યક્તિએ ફાયરિંગ કરતા અફડા તફડી મચી હતી. ફાયરિંગ કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.

 

પ્રાથમિક માહિતી મુજબ પેહલાતો લાગી રહ્યું હતું કે આ કોઈ અકસ્માત છે જો કે ખુન્નસથી ભરેલા આ લોકોએ એવી ટક્કર મારી કે બુલેટનું પડીકું વળી ગયું. હાલ તો પોલીસ આસપાસના સીસીટીવી એકત્રિત કરી રહ્યા છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.