અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યાની ઘટના !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:32:51

અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં પોલીસ હવે માત્ર હાજરી પુરાવવા માટે છે એવું લાગી રહિયું છે. વસ્ત્રાલમાં સરા જાહેરમાં એક વ્યક્તિને પહેલા ટક્કર મારીને ત્યાર બાદ ગોળી ધરબી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ફફડાટનો માહોલ છે.  હાલ પોલીસની તપાસ ચાલુ છે. ત્રિપાલ સવારીમાં જઈ રહેલી બુલેટે પેહલાતો જોરદાર ટક્કત મારીને અટકાવ્યા હતા.

 

શું હતી આખી ઘટના ?

ઘટનાની માહિતી મુજબ જન્મદિવસની પાર્ટીમાં મિત્રો ચ્ચે કોઇ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ અદાવત રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. બુલેટને ટક્કર મારી હતી. યુવકોને અટકાવવા માટે પ્રયત્નો કર્યા. અને દેખ દેખતા  કારમાં આવેલા વ્યક્તિએ ફાયરિંગ કરતા અફડા તફડી મચી હતી. ફાયરિંગ કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.

 

પ્રાથમિક માહિતી મુજબ પેહલાતો લાગી રહ્યું હતું કે આ કોઈ અકસ્માત છે જો કે ખુન્નસથી ભરેલા આ લોકોએ એવી ટક્કર મારી કે બુલેટનું પડીકું વળી ગયું. હાલ તો પોલીસ આસપાસના સીસીટીવી એકત્રિત કરી રહ્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.