અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યાની ઘટના !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 20:32:51

અમદાવાદમાં ફિલ્મી સ્ટાઈલમાં હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે. શહેરમાં પોલીસ હવે માત્ર હાજરી પુરાવવા માટે છે એવું લાગી રહિયું છે. વસ્ત્રાલમાં સરા જાહેરમાં એક વ્યક્તિને પહેલા ટક્કર મારીને ત્યાર બાદ ગોળી ધરબી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ફફડાટનો માહોલ છે.  હાલ પોલીસની તપાસ ચાલુ છે. ત્રિપાલ સવારીમાં જઈ રહેલી બુલેટે પેહલાતો જોરદાર ટક્કત મારીને અટકાવ્યા હતા.

 

શું હતી આખી ઘટના ?

ઘટનાની માહિતી મુજબ જન્મદિવસની પાર્ટીમાં મિત્રો ચ્ચે કોઇ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ અદાવત રાખીને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. બુલેટને ટક્કર મારી હતી. યુવકોને અટકાવવા માટે પ્રયત્નો કર્યા. અને દેખ દેખતા  કારમાં આવેલા વ્યક્તિએ ફાયરિંગ કરતા અફડા તફડી મચી હતી. ફાયરિંગ કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.

 

પ્રાથમિક માહિતી મુજબ પેહલાતો લાગી રહ્યું હતું કે આ કોઈ અકસ્માત છે જો કે ખુન્નસથી ભરેલા આ લોકોએ એવી ટક્કર મારી કે બુલેટનું પડીકું વળી ગયું. હાલ તો પોલીસ આસપાસના સીસીટીવી એકત્રિત કરી રહ્યા છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.