સાબરકાંઠામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો! મેડીસ્ટાર હોસ્પિટલે કરી મૃત બાળકની સારવાર, આવી રીતે સામે આવ્યો સમગ્ર કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-07-05 16:39:07

અનેક વખત અમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ વાતો કરતા હોઈએ છીએ, તો કોઈ વખત ભ્રષ્ટાચારને લઈ વાતો કરતા હોઈએ છીએ. સારૂ શિક્ષણ અનેક સારૂ આરોગ્ય મળે તે હક દરેક નાગરીકનો હોય છે. શિક્ષણને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ આજે વાત કરવી છે આરોગ્યની. જેવી ઘટનાઓ ફિલ્મોમાં સર્જાતી હોય છે તેવી જ ઘટના વાસ્તવિક્તામાં બની છે. સાબરકાંઠાના હિંમતનગરની એક હોસ્પિટલમાં મૃત બાળકની અનેક કલાકો સુધી સારવાર કરવામાં આવી હતી. પરિવારના સભ્યોને પણ દૂર રાખવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ચ વિભાગ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ થઈ ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. 


હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં થતી હતી સારવાર 

થોડા સમય પહેલા અક્ષય કુ્મારની ફિલ્મ ગબ્બર આવી હતી. તે ફિલ્મમાં હોસ્પિટલ દ્વારા મરેલા વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી. ગબ્બર ઈઝ બેકમાં જેવું બતાવવામાં આવ્યું હતું કે એક મોટી ખાનગી હોસ્પિટલમાં મરેલા વ્યક્તિની સારવાર કરવામાં આવતી હતી અને પરિવારને કહેવામાં આવ્યું હતું કે તમારા પરિવારજનની સારવાર થઈ રહી છે જો કે હકીકતમાં તો એ મરી ગયા હતા. ઠીક આવી જ ઘટના ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ઘટી છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલી હોસ્પિટલની. હોસ્પિટલનું નામ મેડીસ્ટાર, ત્યાંથી એક અતિ ગંભીર બનાવ સામે આવ્યો છે. 



આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલે પણ મરણ પામેલી નાની બાળકીની સારવાર કરી, એ પણ પાછી 12 કલાક સુધી. આ ઘટના દર્શાવે છે કે ડોક્ટરો સેવા માટે જે શપથ લે છે, સમાજમાં જે વ્યવસાયને માનની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યો છે તેમાં સડો લાગતો જઈ રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગની ગાંધીનગરની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું તેમાં મેડીસ્ટાર હોસ્પિટલના કાળા કામનો ભાંડો ફૂટ્યો હતો.


હોસ્પિટલને ફટકારવામાં આવ્યો 14 લાખ 47 હજારનો દંડ

વિગતવાર વાત કરીએ તો IAS અધિકારી રેમ્યા મોહને હોસ્પિટલના આ કાળા કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બ્લેકલિસ્ટ કરી દીધી છે. જે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરે છે તેનું સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જેટલું બિલ થાય છે એ બિલ ભરે છે જે આપણે બધા જાણીએ છીએ. પણ આ હોસ્પિટલ આવું કરીને તેમાંથી બિલનું ચૂકવણું કરતી હતી. ગુજરાત આરોગ્ય વિભાગે હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલને 14 લાખ 47 હજાર 600 રૂપિયાનો દંડ કર્યો છે. મેડીસ્ટાર હોસ્પિટલે બાળકીના પરિવારને એવું કહ્યું હતું કે તમારી બાળકીની સારવાર ચાલી રહી છે પણ અફસોસ હકીકત એવી હતી કે બાળકીનું તો મોત થઈ ગયું હતું. 


સરપ્રાઈઝ વિઝીટથી સામે આવે છે વાસ્તવિક્તા 

આ તો એક ઘટના હતી કે જે આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ વિઝીટ કરી અને સામે આવી ગુજરાતમાં તો કેટલીય હોસ્પિટલ છે, જો સમયાંતરે ખાનગી હોસ્પિટલોની આવી જ રીતે સરપ્રાઈઝ વિઝિટ લેવાતી જશે તો મોટા કાંડ ખૂલવાની પૂરી સંભાવનાઓ હોય શકે છે. મહત્વનું છે કે આપણે પણ જાગૃત્ત થવું પડશે. આપણી આસપાસ બનતી ઘટનાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આપણે જાગૃત હોઈએ તો આપણે બીજા લોકોને પણ જાગૃત કરી શકીએ છીએ. સમાજમાં થતી ગેરરીતિને અટકાવવામાં આપણે પણ ફાળો આપી શકીએ છીએ. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.