સાબરકાંઠામાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો! મેડીસ્ટાર હોસ્પિટલે કરી મૃત બાળકની સારવાર, આવી રીતે સામે આવ્યો સમગ્ર કિસ્સો


  • Published By :
  • Published Date : 2023-07-05 16:39:07

અનેક વખત અમે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ વાતો કરતા હોઈએ છીએ, તો કોઈ વખત ભ્રષ્ટાચારને લઈ વાતો કરતા હોઈએ છીએ. સારૂ શિક્ષણ અનેક સારૂ આરોગ્ય મળે તે હક દરેક નાગરીકનો હોય છે. શિક્ષણને લઈ અનેક વખત વાતો કરવામાં આવી છે પરંતુ આજે વાત કરવી છે આરોગ્યની. જેવી ઘટનાઓ ફિલ્મોમાં સર્જાતી હોય છે તેવી જ ઘટના વાસ્તવિક્તામાં બની છે. સાબરકાંઠાના હિંમતનગરની એક હોસ્પિટલમાં મૃત બાળકની અનેક કલાકો સુધી સારવાર કરવામાં આવી હતી. પરિવારના સભ્યોને પણ દૂર રાખવામાં આવ્યા હતા. જ્યારે આરોગ્ચ વિભાગ દ્વારા સરપ્રાઈઝ વિઝીટ થઈ ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. 


હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં થતી હતી સારવાર 

થોડા સમય પહેલા અક્ષય કુ્મારની ફિલ્મ ગબ્બર આવી હતી. તે ફિલ્મમાં હોસ્પિટલ દ્વારા મરેલા વ્યક્તિની સારવાર કરવામાં આવી હતી. ગબ્બર ઈઝ બેકમાં જેવું બતાવવામાં આવ્યું હતું કે એક મોટી ખાનગી હોસ્પિટલમાં મરેલા વ્યક્તિની સારવાર કરવામાં આવતી હતી અને પરિવારને કહેવામાં આવ્યું હતું કે તમારા પરિવારજનની સારવાર થઈ રહી છે જો કે હકીકતમાં તો એ મરી ગયા હતા. ઠીક આવી જ ઘટના ગુજરાતના સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં ઘટી છે. સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલી હોસ્પિટલની. હોસ્પિટલનું નામ મેડીસ્ટાર, ત્યાંથી એક અતિ ગંભીર બનાવ સામે આવ્યો છે. 



આરોગ્ય વિભાગની ટીમે હોસ્પિટલમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલે પણ મરણ પામેલી નાની બાળકીની સારવાર કરી, એ પણ પાછી 12 કલાક સુધી. આ ઘટના દર્શાવે છે કે ડોક્ટરો સેવા માટે જે શપથ લે છે, સમાજમાં જે વ્યવસાયને માનની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યો છે તેમાં સડો લાગતો જઈ રહ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગની ગાંધીનગરની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું તેમાં મેડીસ્ટાર હોસ્પિટલના કાળા કામનો ભાંડો ફૂટ્યો હતો.


હોસ્પિટલને ફટકારવામાં આવ્યો 14 લાખ 47 હજારનો દંડ

વિગતવાર વાત કરીએ તો IAS અધિકારી રેમ્યા મોહને હોસ્પિટલના આ કાળા કાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બ્લેકલિસ્ટ કરી દીધી છે. જે દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરે છે તેનું સરકાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જેટલું બિલ થાય છે એ બિલ ભરે છે જે આપણે બધા જાણીએ છીએ. પણ આ હોસ્પિટલ આવું કરીને તેમાંથી બિલનું ચૂકવણું કરતી હતી. ગુજરાત આરોગ્ય વિભાગે હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલને 14 લાખ 47 હજાર 600 રૂપિયાનો દંડ કર્યો છે. મેડીસ્ટાર હોસ્પિટલે બાળકીના પરિવારને એવું કહ્યું હતું કે તમારી બાળકીની સારવાર ચાલી રહી છે પણ અફસોસ હકીકત એવી હતી કે બાળકીનું તો મોત થઈ ગયું હતું. 


સરપ્રાઈઝ વિઝીટથી સામે આવે છે વાસ્તવિક્તા 

આ તો એક ઘટના હતી કે જે આરોગ્ય વિભાગે સરપ્રાઈઝ વિઝીટ કરી અને સામે આવી ગુજરાતમાં તો કેટલીય હોસ્પિટલ છે, જો સમયાંતરે ખાનગી હોસ્પિટલોની આવી જ રીતે સરપ્રાઈઝ વિઝિટ લેવાતી જશે તો મોટા કાંડ ખૂલવાની પૂરી સંભાવનાઓ હોય શકે છે. મહત્વનું છે કે આપણે પણ જાગૃત્ત થવું પડશે. આપણી આસપાસ બનતી ઘટનાને નજરઅંદાજ ન કરવી જોઈએ. આપણે જાગૃત હોઈએ તો આપણે બીજા લોકોને પણ જાગૃત કરી શકીએ છીએ. સમાજમાં થતી ગેરરીતિને અટકાવવામાં આપણે પણ ફાળો આપી શકીએ છીએ. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.