9 વાગ્યા સુધીમાં જાણો Gujaratની કઈ બેઠકો પર કેટલું થયું મતદાન? Banaskanthaમાં સૌથી વધારે થયું તો આ બેઠકમાં સૌથી ઓછું મતદાન.


  • Published By :
  • Published Date : 2024-05-07 10:59:55

ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. દેશમાં 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી માટે ત્યાં મતદાન થવાનું નથી.. 9 વાગ્યા સુધી ગુજરાતમાં 9.97 ટકા સરેરાશ મતદાન થયું છે.. સૌથી વધારે બનાસકાંઠામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ વેસ્ટમાં થયું છે... સીટ વાઈઝ થયેલા મતદાનના ટકાની વાત કરીએ તો


9 વાગ્યા સુધી આ બેઠકો પર થયું આટલું મતદાન..    

9 વાગ્ય સુધી કચ્છમાં અંદાજીત 8.79 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 12.28 ટકા, પાટણમાં 10.42 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 10.14 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 11.43 ટકા મતદાન, ગાંધીનગરમાં 10.31 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 8.03 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 7.23 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 9.43 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 9.77 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 7.84 ટકા મતદાન 9 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 8.55 ટકા મતદાન, જૂનાગઢમાં 9.05 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 9.13 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 9.2 ટકા મતદાન થયું છે. આણંદમાં 10.35 ટકા મતદાન થયું છે. ખેડામાં 10.2 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 9.16 ટકા મતદાન થયું છે. દાહોદમાં 10.94 ટકા મતદાન થયું છે જ્યારે વડોદરામાં 10.64 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 10.27 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 10.78 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 11.54 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 9.5 ટકા મતદાન થયું છે. વલસાડમાં 11.65 ટકા મતદાન થયું છે... 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."