9 વાગ્યા સુધીમાં જાણો Gujaratની કઈ બેઠકો પર કેટલું થયું મતદાન? Banaskanthaમાં સૌથી વધારે થયું તો આ બેઠકમાં સૌથી ઓછું મતદાન.


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-07 10:59:55

ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. દેશમાં 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી માટે ત્યાં મતદાન થવાનું નથી.. 9 વાગ્યા સુધી ગુજરાતમાં 9.97 ટકા સરેરાશ મતદાન થયું છે.. સૌથી વધારે બનાસકાંઠામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ વેસ્ટમાં થયું છે... સીટ વાઈઝ થયેલા મતદાનના ટકાની વાત કરીએ તો


9 વાગ્યા સુધી આ બેઠકો પર થયું આટલું મતદાન..    

9 વાગ્ય સુધી કચ્છમાં અંદાજીત 8.79 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 12.28 ટકા, પાટણમાં 10.42 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 10.14 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 11.43 ટકા મતદાન, ગાંધીનગરમાં 10.31 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 8.03 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 7.23 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 9.43 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 9.77 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 7.84 ટકા મતદાન 9 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 8.55 ટકા મતદાન, જૂનાગઢમાં 9.05 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 9.13 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 9.2 ટકા મતદાન થયું છે. આણંદમાં 10.35 ટકા મતદાન થયું છે. ખેડામાં 10.2 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 9.16 ટકા મતદાન થયું છે. દાહોદમાં 10.94 ટકા મતદાન થયું છે જ્યારે વડોદરામાં 10.64 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 10.27 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 10.78 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 11.54 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 9.5 ટકા મતદાન થયું છે. વલસાડમાં 11.65 ટકા મતદાન થયું છે... 



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે