9 વાગ્યા સુધીમાં જાણો Gujaratની કઈ બેઠકો પર કેટલું થયું મતદાન? Banaskanthaમાં સૌથી વધારે થયું તો આ બેઠકમાં સૌથી ઓછું મતદાન.


  • Published By :
  • Published Date : 2024-05-07 10:59:55

ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થઈ રહ્યું છે. દેશમાં 93 બેઠકો માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.. ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.. સુરત બેઠક બિનહરીફ જાહેર થઈ હતી માટે ત્યાં મતદાન થવાનું નથી.. 9 વાગ્યા સુધી ગુજરાતમાં 9.97 ટકા સરેરાશ મતદાન થયું છે.. સૌથી વધારે બનાસકાંઠામાં થયું છે જ્યારે સૌથી ઓછું મતદાન અમદાવાદ વેસ્ટમાં થયું છે... સીટ વાઈઝ થયેલા મતદાનના ટકાની વાત કરીએ તો


9 વાગ્યા સુધી આ બેઠકો પર થયું આટલું મતદાન..    

9 વાગ્ય સુધી કચ્છમાં અંદાજીત 8.79 ટકા મતદાન થયું, જ્યારે બનાસકાંઠામાં 12.28 ટકા, પાટણમાં 10.42 ટકા મતદાન થયું છે જ્યારે મહેસાણામાં 10.14 ટકા મતદાન થયું છે. સાબરકાંઠામાં 11.43 ટકા મતદાન, ગાંધીનગરમાં 10.31 ટકા મતદાન થયું છે જ્યારે અમદાવાદ ઈસ્ટમાં 8.03 ટકા મતદાન નોંધાયું છે.. તે ઉપરાંત બીજી લોકસભા સીટોની વાત કરીએ તો અમદાવાદ વેસ્ટમાં 7.23 ટકા મતદાન થયું છે.. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં 9.43 ટકા મતદાન, રાજકોટ લોકસભા બેઠક પર 9.77 ટકા મતદાન જ્યારે પોરબંદર લોકસભા બેઠકમાં 7.84 ટકા મતદાન 9 વાગ્યા સુધીમાં નોંધાયું છે. 


ક્યાં કેટલું થયું મતદાન?

તે સિવાય જામનગર લોકસભા બેઠકની વાત કરીએ તો 8.55 ટકા મતદાન, જૂનાગઢમાં 9.05 ટકા મતદાન થયું છે. અમરેલીમાં 9.13 ટકા મતદાન થયું છે જ્યારે ભાવનગરમાં 9.2 ટકા મતદાન થયું છે. આણંદમાં 10.35 ટકા મતદાન થયું છે. ખેડામાં 10.2 ટકા મતદાન થયું છે. પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો 9.16 ટકા મતદાન થયું છે. દાહોદમાં 10.94 ટકા મતદાન થયું છે જ્યારે વડોદરામાં 10.64 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 10.27 ટકા મતદાન થયું છે. જ્યારે ભરૂચ લોકસભા બેઠક પર 10.78 ટકા મતદાન થયું છે.. બારડોલી લોકસભા બેઠક પર 11.54 ટકા મતદાન થયું છે જ્યારે નવસારીમાં 9.5 ટકા મતદાન થયું છે. વલસાડમાં 11.65 ટકા મતદાન થયું છે... 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.