શાહરૂખની પત્ની ગૌરી ખાન સામે લખનઉમાં નોંધાઈ FIR,જાણો શું છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-03 17:52:18

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામે  FIR નોંધાઈ છે.  ઉત્તર પ્રદેશના લખનઉના સુશાંત ગોલ્ફ સીટી પોલીસ સ્ટેશનમાં ગૌરી ખાન સામે બિન જામીન પાત્ર કલમ 409 હેઠળ  FIR થઈ છે. મુંબઈના કિરીટ જશવંત શાહે તુલસિયાન કન્ટ્રક્શન એન્ડ ડેવલપર્સના સીએમડી અનિલ કુમાર તુલસિયાન, ડાયરેક્ટર મહેશ તુલસિયાન અને બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે  FIR કરી છે.


ગૌરી ખાન સામે આરોપ શું છે?


અરજીકર્તાનો આરોપ છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનના પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થઈને સુશાંત ગોલ્ફ સીટી વિસ્તારમાં તુલસિયાન ગોલ્ફ વ્યૂમાં ફ્લેટ ખરીદ્યા હતા. પરંતું 86 લાખ રૂપિયા લેવા પછી પણ ફ્લેટ અન્ય કોઈ વેચી દીધા છે. ફરિયાદીએ ગૌરી ખાનની વાતોમાં આવીને ઓગસ્ટ 2015માં સુશાંત ગોલ્ફ સીટી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા અને બિલ્ડરો સાથે મુલાકાત બાદ 86 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. 


રૂપિયા ચૂકવ્યા છતાં ફ્લેટ ન મળ્યો


બિલ્ડરે 2016 સુધી ફ્લેટ મળી જશે તેવી વાત કહીં હતી ત્યાર બાદ તેમણે 85.46 લાખ રૂપિયા બિલ્ડરના ખાતામાં જમા કરાવ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.