શાહરૂખની પત્ની ગૌરી ખાન સામે લખનઉમાં નોંધાઈ FIR,જાણો શું છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-03 17:52:18

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામે  FIR નોંધાઈ છે.  ઉત્તર પ્રદેશના લખનઉના સુશાંત ગોલ્ફ સીટી પોલીસ સ્ટેશનમાં ગૌરી ખાન સામે બિન જામીન પાત્ર કલમ 409 હેઠળ  FIR થઈ છે. મુંબઈના કિરીટ જશવંત શાહે તુલસિયાન કન્ટ્રક્શન એન્ડ ડેવલપર્સના સીએમડી અનિલ કુમાર તુલસિયાન, ડાયરેક્ટર મહેશ તુલસિયાન અને બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે  FIR કરી છે.


ગૌરી ખાન સામે આરોપ શું છે?


અરજીકર્તાનો આરોપ છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનના પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થઈને સુશાંત ગોલ્ફ સીટી વિસ્તારમાં તુલસિયાન ગોલ્ફ વ્યૂમાં ફ્લેટ ખરીદ્યા હતા. પરંતું 86 લાખ રૂપિયા લેવા પછી પણ ફ્લેટ અન્ય કોઈ વેચી દીધા છે. ફરિયાદીએ ગૌરી ખાનની વાતોમાં આવીને ઓગસ્ટ 2015માં સુશાંત ગોલ્ફ સીટી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા અને બિલ્ડરો સાથે મુલાકાત બાદ 86 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. 


રૂપિયા ચૂકવ્યા છતાં ફ્લેટ ન મળ્યો


બિલ્ડરે 2016 સુધી ફ્લેટ મળી જશે તેવી વાત કહીં હતી ત્યાર બાદ તેમણે 85.46 લાખ રૂપિયા બિલ્ડરના ખાતામાં જમા કરાવ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.