શાહરૂખની પત્ની ગૌરી ખાન સામે લખનઉમાં નોંધાઈ FIR,જાણો શું છે આરોપ


  • Published By :
  • Published Date : 2023-03-03 17:52:18

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન સામે  FIR નોંધાઈ છે.  ઉત્તર પ્રદેશના લખનઉના સુશાંત ગોલ્ફ સીટી પોલીસ સ્ટેશનમાં ગૌરી ખાન સામે બિન જામીન પાત્ર કલમ 409 હેઠળ  FIR થઈ છે. મુંબઈના કિરીટ જશવંત શાહે તુલસિયાન કન્ટ્રક્શન એન્ડ ડેવલપર્સના સીએમડી અનિલ કુમાર તુલસિયાન, ડાયરેક્ટર મહેશ તુલસિયાન અને બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાન સામે  FIR કરી છે.


ગૌરી ખાન સામે આરોપ શું છે?


અરજીકર્તાનો આરોપ છે કે તેણે બ્રાન્ડ એમ્બેસેડર ગૌરી ખાનના પ્રચાર-પ્રસારથી પ્રભાવિત થઈને સુશાંત ગોલ્ફ સીટી વિસ્તારમાં તુલસિયાન ગોલ્ફ વ્યૂમાં ફ્લેટ ખરીદ્યા હતા. પરંતું 86 લાખ રૂપિયા લેવા પછી પણ ફ્લેટ અન્ય કોઈ વેચી દીધા છે. ફરિયાદીએ ગૌરી ખાનની વાતોમાં આવીને ઓગસ્ટ 2015માં સુશાંત ગોલ્ફ સીટી સ્થિત ઓફિસ પહોંચ્યા હતા અને બિલ્ડરો સાથે મુલાકાત બાદ 86 લાખમાં ફ્લેટ ખરીદ્યો હતો. 


રૂપિયા ચૂકવ્યા છતાં ફ્લેટ ન મળ્યો


બિલ્ડરે 2016 સુધી ફ્લેટ મળી જશે તેવી વાત કહીં હતી ત્યાર બાદ તેમણે 85.46 લાખ રૂપિયા બિલ્ડરના ખાતામાં જમા કરાવ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.