એલિસબ્રિજ નજીક આવેલા તક્ષશિલા હાઈરાઈઝ બિલ્ડીંગના 12માં માળે લાગી આગ


  • Published By :
  • Published Date : 2023-02-03 09:58:16

આગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે તે સિવાય નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.


ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ 

થોડા સમય પહેલા શાહીબાગમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી હતી જેમાં એક બાળકીનું મોત થયું હતું. તે ઉપરાંત ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ આગનો કિસ્સો બન્યો હતો. ત્યારે વહેલી સવારે ફરી એક વખત આગ લાગી છે. એક કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. 


તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે લાગી આગ

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવવા 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગતા જ ઘરના સભ્યો અને રહીશો ઘરની બહાર નિકળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઈલેક્ટ્રિક ડકમાં ધુમાડા નીકળતા શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.