એલિસબ્રિજ નજીક આવેલા તક્ષશિલા હાઈરાઈઝ બિલ્ડીંગના 12માં માળે લાગી આગ


  • Published By :
  • Published Date : 2023-02-03 09:58:16

આગના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આગ લાગવાને કારણે અનેક લોકોના જીવ જતા હોય છે તે સિવાય નુકસાન પણ વેઠવાનો વારો આવે છે. ત્યારે અમદાવાદમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. શુક્રવારે વહેલી સવારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી. જેને પગલે ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.


ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ 

થોડા સમય પહેલા શાહીબાગમાં આવેલી એક બિલ્ડીંગમાં આગ લાગી હતી જેમાં એક બાળકીનું મોત થયું હતું. તે ઉપરાંત ગોદરેજ ગાર્ડન સિટીમાં પણ આગનો કિસ્સો બન્યો હતો. ત્યારે વહેલી સવારે ફરી એક વખત આગ લાગી છે. એક કલાકની ભારે મહેનત બાદ ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. 


તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે લાગી આગ

એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા તક્ષશિલા એર ફ્લેટના 12માં માળે આગ લાગી હતી અને આગ પર કાબુ મેળવવા 11 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગતા જ ઘરના સભ્યો અને રહીશો ઘરની બહાર નિકળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઈલેક્ટ્રિક ડકમાં ધુમાડા નીકળતા શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.