રાજ્યમાં બની આગ લાગવાની ઘટના, સુરતમાં આવેલા ગાડીના શોરૂમમાં લાગી ભીષણ આગ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:19:18

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. અનેક જગ્યાઓ પર ભીષણ આગ લાગી રહી છે જેને કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના સુરતમાં બની હતી. સુરતમાં આવેલા ગાડીના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના ગુરૂવાર રાત્રે બની હતી. ઉધના વિસ્તારમાં આવેલા શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમમાં ઉપસ્થિત કર્મચારીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.


ગાડીના શોરૂમમાં લાગી આગ 

રાજ્યમાં આગ લાગવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા બાઈકના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી ત્યારે ગુરૂવારે કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઉધના વિસ્તારમાં આગ લાગી હતી. પરંતુ રાહતની વાત એ છે કે શોરૂમમાં કામ કરતા કર્માચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હુન્ડાઈના શોરૂમમાં આગ લાગતા અનેક ગાડીઓ બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.  


સતત વધતા આગ લાગવાના કિસ્સા 

થોડા સમય પહેલા અમદાવાદમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આગની ઘટનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. અમદાવાદમાં આવેલા ફર્નિચરના શોરૂમમાં આગ લાગી હતી. તે ઉપરાંત ઘરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે સિવાય બાઈકના શોરૂમમાં પણ આગ લાગી હતી. શોરૂમમાં રાખેલી બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા નુકસાન ભોગવાવો વારો આવે છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે