રાજ્યમાં બની આગ લાગવાની ઘટના, સુરતમાં આવેલા ગાડીના શોરૂમમાં લાગી ભીષણ આગ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:19:18

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. અનેક જગ્યાઓ પર ભીષણ આગ લાગી રહી છે જેને કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના સુરતમાં બની હતી. સુરતમાં આવેલા ગાડીના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના ગુરૂવાર રાત્રે બની હતી. ઉધના વિસ્તારમાં આવેલા શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમમાં ઉપસ્થિત કર્મચારીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.


ગાડીના શોરૂમમાં લાગી આગ 

રાજ્યમાં આગ લાગવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા બાઈકના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી ત્યારે ગુરૂવારે કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઉધના વિસ્તારમાં આગ લાગી હતી. પરંતુ રાહતની વાત એ છે કે શોરૂમમાં કામ કરતા કર્માચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હુન્ડાઈના શોરૂમમાં આગ લાગતા અનેક ગાડીઓ બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.  


સતત વધતા આગ લાગવાના કિસ્સા 

થોડા સમય પહેલા અમદાવાદમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આગની ઘટનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. અમદાવાદમાં આવેલા ફર્નિચરના શોરૂમમાં આગ લાગી હતી. તે ઉપરાંત ઘરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે સિવાય બાઈકના શોરૂમમાં પણ આગ લાગી હતી. શોરૂમમાં રાખેલી બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા નુકસાન ભોગવાવો વારો આવે છે.   




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.