રાજ્યમાં બની આગ લાગવાની ઘટના, સુરતમાં આવેલા ગાડીના શોરૂમમાં લાગી ભીષણ આગ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:19:18

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. અનેક જગ્યાઓ પર ભીષણ આગ લાગી રહી છે જેને કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના સુરતમાં બની હતી. સુરતમાં આવેલા ગાડીના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના ગુરૂવાર રાત્રે બની હતી. ઉધના વિસ્તારમાં આવેલા શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમમાં ઉપસ્થિત કર્મચારીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.


ગાડીના શોરૂમમાં લાગી આગ 

રાજ્યમાં આગ લાગવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા બાઈકના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી ત્યારે ગુરૂવારે કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઉધના વિસ્તારમાં આગ લાગી હતી. પરંતુ રાહતની વાત એ છે કે શોરૂમમાં કામ કરતા કર્માચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હુન્ડાઈના શોરૂમમાં આગ લાગતા અનેક ગાડીઓ બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.  


સતત વધતા આગ લાગવાના કિસ્સા 

થોડા સમય પહેલા અમદાવાદમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આગની ઘટનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. અમદાવાદમાં આવેલા ફર્નિચરના શોરૂમમાં આગ લાગી હતી. તે ઉપરાંત ઘરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે સિવાય બાઈકના શોરૂમમાં પણ આગ લાગી હતી. શોરૂમમાં રાખેલી બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા નુકસાન ભોગવાવો વારો આવે છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.