રાજ્યમાં બની આગ લાગવાની ઘટના, સુરતમાં આવેલા ગાડીના શોરૂમમાં લાગી ભીષણ આગ


  • Published By :
  • Published Date : 2023-01-27 10:19:18

આગ લાગવાની ઘટનામાં અનેક ગણો વધારો થયો છે. અનેક જગ્યાઓ પર ભીષણ આગ લાગી રહી છે જેને કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વધુ એક આગ લાગવાની ઘટના સુરતમાં બની હતી. સુરતમાં આવેલા ગાડીના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટના ગુરૂવાર રાત્રે બની હતી. ઉધના વિસ્તારમાં આવેલા શોરૂમમાં આગ લાગી હતી. શોરૂમમાં ઉપસ્થિત કર્મચારીઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.


ગાડીના શોરૂમમાં લાગી આગ 

રાજ્યમાં આગ લાગવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા બાઈકના શોરૂમમાં આગ ફાટી નીકળી હતી ત્યારે ગુરૂવારે કારના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઉધના વિસ્તારમાં આગ લાગી હતી. પરંતુ રાહતની વાત એ છે કે શોરૂમમાં કામ કરતા કર્માચારીનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. હુન્ડાઈના શોરૂમમાં આગ લાગતા અનેક ગાડીઓ બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.  


સતત વધતા આગ લાગવાના કિસ્સા 

થોડા સમય પહેલા અમદાવાદમાં આગ લાગવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. આગની ઘટનાને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. અમદાવાદમાં આવેલા ફર્નિચરના શોરૂમમાં આગ લાગી હતી. તે ઉપરાંત ઘરમાં આગ લાગવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તે સિવાય બાઈકના શોરૂમમાં પણ આગ લાગી હતી. શોરૂમમાં રાખેલી બાઈકો બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગતા નુકસાન ભોગવાવો વારો આવે છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.