દિલ્હીની સાકેત કોર્ટમાં થયું ફાયરિંગ! ફાયરિંગમાં મહિલા થઈ ઈજાગ્રસ્ત, વકીલના ડ્રેસમાં આવ્યો હતો હુમલાવર!


  • Published By :
  • Published Date : 2023-04-21 12:47:29

ધોળા દિવસે ફાયરિંગ થવાની ઘટનાઓ આપણે અનેક વખત સાંભળી હોય છે પરંતુ ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં આજે ગોળીબારી થઈ છે. સાકેત કોર્ટથી સનસનીખેજ વારદાત સામે આવી છે. એક મહિલા પર ગોળી મારવા આવી હોવાની ઘટના સામે આવે છે. મળતી માહિતી અનુસાર આ મહિલા બયાન આપવા કોર્ટમાં પહોંચી હતી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા પર હુમલો થતાં પોલીસે મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડી હતી. દિલ્હીમાં આવી રીતે ફાયરિંગ થવાની ઘટના બનતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર હુમલાવર ઈજાગ્રસ્ત થયેલા પત્નીનો પતિ હતો. 

દિલ્હીની સાકેત કોર્ટમાં બની ફાયરિંગની ઘટના      

વિદેશથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આવી ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર દિલ્હીની સાકેત કોર્ટના પરિસરમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એવી માહિતી પણ મળી કે વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ યુવતીને ગોળી મારી દીધી હતી. કોર્ટમાં આટલી સુરક્ષા વ્યવસ્થા હોવાને કારણે કેવી રીતે મહિલા પર હુમલો થાય છે?  


વકીલના વેશમાં આવેલા વ્યક્તિએ કર્યું ફાયરિંગ!  

કોર્ટમાં મહિલા પોતાનું નિવેદન આપવા પહોંચ્યા હતા તે દરમિયાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહિલા ઈજાગ્રસ્ત થતાં પોલીસની ગાડીમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એઈમ્સ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે કોર્ટમાં આટલી પોલીસ વ્યવસ્થા હોવા છતાંય કેવી રીતે એક વ્યક્તિ મહિલાને ગોળી મારી શકે? કોર્ટ પરિસરમાં કેવી રીતે કોઈ બંદૂક લઈને આવી શકે છે?     



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.