દિલ્હીની સાકેત કોર્ટમાં થયું ફાયરિંગ! ફાયરિંગમાં મહિલા થઈ ઈજાગ્રસ્ત, વકીલના ડ્રેસમાં આવ્યો હતો હુમલાવર!


  • Published By :
  • Published Date : 2023-04-21 12:47:29

ધોળા દિવસે ફાયરિંગ થવાની ઘટનાઓ આપણે અનેક વખત સાંભળી હોય છે પરંતુ ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં આજે ગોળીબારી થઈ છે. સાકેત કોર્ટથી સનસનીખેજ વારદાત સામે આવી છે. એક મહિલા પર ગોળી મારવા આવી હોવાની ઘટના સામે આવે છે. મળતી માહિતી અનુસાર આ મહિલા બયાન આપવા કોર્ટમાં પહોંચી હતી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા પર હુમલો થતાં પોલીસે મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડી હતી. દિલ્હીમાં આવી રીતે ફાયરિંગ થવાની ઘટના બનતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર હુમલાવર ઈજાગ્રસ્ત થયેલા પત્નીનો પતિ હતો. 

દિલ્હીની સાકેત કોર્ટમાં બની ફાયરિંગની ઘટના      

વિદેશથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આવી ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર દિલ્હીની સાકેત કોર્ટના પરિસરમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એવી માહિતી પણ મળી કે વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ યુવતીને ગોળી મારી દીધી હતી. કોર્ટમાં આટલી સુરક્ષા વ્યવસ્થા હોવાને કારણે કેવી રીતે મહિલા પર હુમલો થાય છે?  


વકીલના વેશમાં આવેલા વ્યક્તિએ કર્યું ફાયરિંગ!  

કોર્ટમાં મહિલા પોતાનું નિવેદન આપવા પહોંચ્યા હતા તે દરમિયાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહિલા ઈજાગ્રસ્ત થતાં પોલીસની ગાડીમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એઈમ્સ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે કોર્ટમાં આટલી પોલીસ વ્યવસ્થા હોવા છતાંય કેવી રીતે એક વ્યક્તિ મહિલાને ગોળી મારી શકે? કોર્ટ પરિસરમાં કેવી રીતે કોઈ બંદૂક લઈને આવી શકે છે?     



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.