દિલ્હીની સાકેત કોર્ટમાં થયું ફાયરિંગ! ફાયરિંગમાં મહિલા થઈ ઈજાગ્રસ્ત, વકીલના ડ્રેસમાં આવ્યો હતો હુમલાવર!


  • Published By :
  • Published Date : 2023-04-21 12:47:29

ધોળા દિવસે ફાયરિંગ થવાની ઘટનાઓ આપણે અનેક વખત સાંભળી હોય છે પરંતુ ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં આજે ગોળીબારી થઈ છે. સાકેત કોર્ટથી સનસનીખેજ વારદાત સામે આવી છે. એક મહિલા પર ગોળી મારવા આવી હોવાની ઘટના સામે આવે છે. મળતી માહિતી અનુસાર આ મહિલા બયાન આપવા કોર્ટમાં પહોંચી હતી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા પર હુમલો થતાં પોલીસે મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડી હતી. દિલ્હીમાં આવી રીતે ફાયરિંગ થવાની ઘટના બનતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર હુમલાવર ઈજાગ્રસ્ત થયેલા પત્નીનો પતિ હતો. 

દિલ્હીની સાકેત કોર્ટમાં બની ફાયરિંગની ઘટના      

વિદેશથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આવી ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર દિલ્હીની સાકેત કોર્ટના પરિસરમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એવી માહિતી પણ મળી કે વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ યુવતીને ગોળી મારી દીધી હતી. કોર્ટમાં આટલી સુરક્ષા વ્યવસ્થા હોવાને કારણે કેવી રીતે મહિલા પર હુમલો થાય છે?  


વકીલના વેશમાં આવેલા વ્યક્તિએ કર્યું ફાયરિંગ!  

કોર્ટમાં મહિલા પોતાનું નિવેદન આપવા પહોંચ્યા હતા તે દરમિયાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહિલા ઈજાગ્રસ્ત થતાં પોલીસની ગાડીમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એઈમ્સ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે કોર્ટમાં આટલી પોલીસ વ્યવસ્થા હોવા છતાંય કેવી રીતે એક વ્યક્તિ મહિલાને ગોળી મારી શકે? કોર્ટ પરિસરમાં કેવી રીતે કોઈ બંદૂક લઈને આવી શકે છે?     



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.