દિલ્હીની સાકેત કોર્ટમાં થયું ફાયરિંગ! ફાયરિંગમાં મહિલા થઈ ઈજાગ્રસ્ત, વકીલના ડ્રેસમાં આવ્યો હતો હુમલાવર!


  • Published By :
  • Published Date : 2023-04-21 12:47:29

ધોળા દિવસે ફાયરિંગ થવાની ઘટનાઓ આપણે અનેક વખત સાંભળી હોય છે પરંતુ ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં આજે ગોળીબારી થઈ છે. સાકેત કોર્ટથી સનસનીખેજ વારદાત સામે આવી છે. એક મહિલા પર ગોળી મારવા આવી હોવાની ઘટના સામે આવે છે. મળતી માહિતી અનુસાર આ મહિલા બયાન આપવા કોર્ટમાં પહોંચી હતી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. મહિલા પર હુમલો થતાં પોલીસે મહિલાને પોતાની ગાડીમાં બેસાડી હોસ્પિટલ ખસેડી હતી. દિલ્હીમાં આવી રીતે ફાયરિંગ થવાની ઘટના બનતા લોકોમાં હડકંપ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર હુમલાવર ઈજાગ્રસ્ત થયેલા પત્નીનો પતિ હતો. 

દિલ્હીની સાકેત કોર્ટમાં બની ફાયરિંગની ઘટના      

વિદેશથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી હોય છે. અંધાધૂધ ફાયરિંગ થવાને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. ત્યારે આવી ફાયરિંગની ઘટના ભારતમાં બની છે. રાજધાની દિલ્હીમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર દિલ્હીની સાકેત કોર્ટના પરિસરમાં એક મહિલા પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એવી માહિતી પણ મળી કે વકીલના વેશમાં આવેલા એક વ્યક્તિએ યુવતીને ગોળી મારી દીધી હતી. કોર્ટમાં આટલી સુરક્ષા વ્યવસ્થા હોવાને કારણે કેવી રીતે મહિલા પર હુમલો થાય છે?  


વકીલના વેશમાં આવેલા વ્યક્તિએ કર્યું ફાયરિંગ!  

કોર્ટમાં મહિલા પોતાનું નિવેદન આપવા પહોંચ્યા હતા તે દરમિયાન આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહિલા ઈજાગ્રસ્ત થતાં પોલીસની ગાડીમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. એઈમ્સ હોસ્પિટલમાં મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે કોર્ટમાં આટલી પોલીસ વ્યવસ્થા હોવા છતાંય કેવી રીતે એક વ્યક્તિ મહિલાને ગોળી મારી શકે? કોર્ટ પરિસરમાં કેવી રીતે કોઈ બંદૂક લઈને આવી શકે છે?     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.