Ahmedabadમાં ફરી ફાયરિંગની ઘટના, Chandkheda વિસ્તારમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું!


  • Published By :
  • Published Date : 2024-01-12 16:13:37

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ અમદાવાદમાં એક ફાયરિંગની ઘટના બની છે. ચાંદખેડા વિસ્તારમાં એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું, એક નહીં પરંતુ ત્રણ રાઉન્ડ ફાયરિંગ ના કર્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.  

અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ

અમદાવાદમાં ફાયરિંગ ઘટનાઓ સામે આવી રહી છે. ખુલ્લેઆમ અસામાજિક તત્ત્વો ગેરકાયદેસર રીતે ઘાતક હથિયારો લઈને ફરતા હોય છે અને જાહેરમાં ફાયરિંગ કરી સામાન્ય જનતામાં ભયનો માહોલ ઉભો કરતા હોય છે. ચાંદખેડા તપોવન સર્કલ પાસે અચાનક જ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાં બનતા આજુબાજુનાં વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો. આ અંગેની જાણ ચાંદખેડા પોલીસને થતા પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી શા મામલે ફાયરીંગ કરવામાં આવ્યું હતું તે તપાસ કરવામાં આવી હતી. 


ગાડી પર પથ્થરમારો કરાયો! 

આ સદનસીબે ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જે વ્યક્તિ ફાયરિંગ કરે છે જેનો વિડિઓ પણ સામે આવ્યો છે. જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવત હવામાં ફાયરીંગ કર્યા બાદ જ્યારે ગાડીમાં પરત બેસી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક શખ્શ દ્વારા તેમની ગાડી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ પણ લોકોમાં અનેક તર્ક વીતર્ક જોવા મળી રહ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.