Ahmedabadમાં ફરી ફાયરિંગની ઘટના, Chandkheda વિસ્તારમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું!


  • Published By :
  • Published Date : 2024-01-12 16:13:37

ગુજરાતને શાંત રાજ્ય માનવામાં આવતું હતું પરંતુ અમદાવાદમાં એક ફાયરિંગની ઘટના બની છે. ચાંદખેડા વિસ્તારમાં એક વ્યક્તિએ અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું, એક નહીં પરંતુ ત્રણ રાઉન્ડ ફાયરિંગ ના કર્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.  

અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું ફાયરિંગ

અમદાવાદમાં ફાયરિંગ ઘટનાઓ સામે આવી રહી છે. ખુલ્લેઆમ અસામાજિક તત્ત્વો ગેરકાયદેસર રીતે ઘાતક હથિયારો લઈને ફરતા હોય છે અને જાહેરમાં ફાયરિંગ કરી સામાન્ય જનતામાં ભયનો માહોલ ઉભો કરતા હોય છે. ચાંદખેડા તપોવન સર્કલ પાસે અચાનક જ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગની ઘટનાં બનતા આજુબાજુનાં વેપારીઓ તેમજ વાહન ચાલકોમાં થોડા સમય માટે ભય વ્યાપી જવા પામ્યો હતો. આ અંગેની જાણ ચાંદખેડા પોલીસને થતા પોલીસ દ્વારા ઘટનાં સ્થળે પહોંચી શા મામલે ફાયરીંગ કરવામાં આવ્યું હતું તે તપાસ કરવામાં આવી હતી. 


ગાડી પર પથ્થરમારો કરાયો! 

આ સદનસીબે ફાયરીંગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ત્યારે હાલ તો ચાંદખેડા પોલીસે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. જે વ્યક્તિ ફાયરિંગ કરે છે જેનો વિડિઓ પણ સામે આવ્યો છે. જમીન લે-વેચનાં ધંધા સાથે સંકળાયેલા હરિસિંગ ચંપાવત હવામાં ફાયરીંગ કર્યા બાદ જ્યારે ગાડીમાં પરત બેસી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી એક શખ્શ દ્વારા તેમની ગાડી પર પથ્થર પણ ફેંકવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે હાલ પણ લોકોમાં અનેક તર્ક વીતર્ક જોવા મળી રહ્યા છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.