કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકી થઈ ઝિકા વાયરસથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-13 10:54:32

દેશમાં કોરોના મહામારી ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહ્યું છે. ત્યારે હવે ઝિકા વાયરસ સરકારની ચિંતા વધારી શકે છે. કર્ણાટકમાં ઝિકા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકી આ વાયરસની ઝપેટમાં આવી છે. ઝિકા વાયરસને લઈ ચિંતા ન કરવા સરકારે જણાવ્યું છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.


કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવી જાણકારી

કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. કોરોના સંક્રમણની સાથે-સાથે અલગ અલગ વેરિયન્ટે પણ દસ્તક આપી દીધી હતી. સરકાર દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઝિકા વાયરસની દેશમાં પગ વિસ્તારી રહ્યો છે. કર્ણાટકમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઝિકાથી સંક્રમિત થઈ છે.


અનેક રાજ્યોમાં નોંધાયા છે ઝિકાના કેસ  

કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાયપુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમામ પ્રકારના જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 5 ડિસેમ્બરના રોજ ઝિકા વાયરસની પુષ્ટિ માટે 3 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ બાળકી પર ધ્યાન આપી રહ્યું છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કેરળ તેમજ ઉત્તર પ્રદેશમાં કેસ નોંધાયા છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.