કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકી થઈ ઝિકા વાયરસથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-13 10:54:32

દેશમાં કોરોના મહામારી ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહ્યું છે. ત્યારે હવે ઝિકા વાયરસ સરકારની ચિંતા વધારી શકે છે. કર્ણાટકમાં ઝિકા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકી આ વાયરસની ઝપેટમાં આવી છે. ઝિકા વાયરસને લઈ ચિંતા ન કરવા સરકારે જણાવ્યું છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.


કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવી જાણકારી

કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. કોરોના સંક્રમણની સાથે-સાથે અલગ અલગ વેરિયન્ટે પણ દસ્તક આપી દીધી હતી. સરકાર દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઝિકા વાયરસની દેશમાં પગ વિસ્તારી રહ્યો છે. કર્ણાટકમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઝિકાથી સંક્રમિત થઈ છે.


અનેક રાજ્યોમાં નોંધાયા છે ઝિકાના કેસ  

કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાયપુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમામ પ્રકારના જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 5 ડિસેમ્બરના રોજ ઝિકા વાયરસની પુષ્ટિ માટે 3 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ બાળકી પર ધ્યાન આપી રહ્યું છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કેરળ તેમજ ઉત્તર પ્રદેશમાં કેસ નોંધાયા છે. 




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.