કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકી થઈ ઝિકા વાયરસથી સંક્રમિત


  • Published By :
  • Published Date : 2022-12-13 10:54:32

દેશમાં કોરોના મહામારી ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહ્યું છે. ત્યારે હવે ઝિકા વાયરસ સરકારની ચિંતા વધારી શકે છે. કર્ણાટકમાં ઝિકા વાયરસનો પહેલો કેસ નોંધાયો છે. કર્ણાટકના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પાંચ વર્ષની બાળકી આ વાયરસની ઝપેટમાં આવી છે. ઝિકા વાયરસને લઈ ચિંતા ન કરવા સરકારે જણાવ્યું છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા આ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.


કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવી જાણકારી

કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થતા હતા. કોરોના સંક્રમિત હોવાને કારણે અનેક લોકો મોતને પણ ભેટ્યા છે. કોરોના સંક્રમણની સાથે-સાથે અલગ અલગ વેરિયન્ટે પણ દસ્તક આપી દીધી હતી. સરકાર દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોરોના સંક્રમણ ધીરે-ધીરે કાબુમાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ઝિકા વાયરસની દેશમાં પગ વિસ્તારી રહ્યો છે. કર્ણાટકમાં રહેતી પાંચ વર્ષની બાળકી ઝિકાથી સંક્રમિત થઈ છે.


અનેક રાજ્યોમાં નોંધાયા છે ઝિકાના કેસ  

કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે રાયપુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં આ વાયરસની પુષ્ટિ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. તમામ પ્રકારના જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 5 ડિસેમ્બરના રોજ ઝિકા વાયરસની પુષ્ટિ માટે 3 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આરોગ્ય વિભાગ બાળકી પર ધ્યાન આપી રહ્યું છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કેરળ તેમજ ઉત્તર પ્રદેશમાં કેસ નોંધાયા છે. 




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.