બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના થયા મોત! ઘટનાસ્થળ પર પોલીસે આવી તપાસ હાથ ધરી!


  • Published By :
  • Published Date : 2023-05-13 19:36:03

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક લોકો નદીમાં ન્હાવા જતા હોય છે. પરંતુ અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના બોટાદ શહેરમાં બની છે. કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા ગયેલા પાંચ લોકોના મોત ડૂબવાથી થયા છે. મળતી માહિતી અનુસાર બે લોકો ન્હાવા પડ્યા હતા. બે લોકો ડુબી રહ્યા હતા તેમને બચાવવા ત્રણ લોકો પડ્યા હતા. તમામે તમામ પાંચ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ગરમીથી રાહત મેળવવા તળાવમાં લોકો ન્હાવા પડે છે!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પાણીમાં ડુબવાથી લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના બોટાદથી સામે આવી છે. ગરમીથી રાહત મેળવવા લોકો પાણીનો સહારો લઈ રહ્યા છે. નદીમાં ન્હાવાનું લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ ક્યારેક આવી જગ્યાઓ જિંદગીમાં અંતિમ સ્થાન બની જતા હોય છે. 


પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી! 

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા યુવાનો તળાવમાં પડ્યા હતા. ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ લોકોના મોત ડુબવાથી થયા છે. પાંચ યુવાનોના મોતથી શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃત્યુ પામનાર યુવાનો મહંમદ નગર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.