બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના થયા મોત! ઘટનાસ્થળ પર પોલીસે આવી તપાસ હાથ ધરી!


  • Published By :
  • Published Date : 2023-05-13 19:36:03

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક લોકો નદીમાં ન્હાવા જતા હોય છે. પરંતુ અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના બોટાદ શહેરમાં બની છે. કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા ગયેલા પાંચ લોકોના મોત ડૂબવાથી થયા છે. મળતી માહિતી અનુસાર બે લોકો ન્હાવા પડ્યા હતા. બે લોકો ડુબી રહ્યા હતા તેમને બચાવવા ત્રણ લોકો પડ્યા હતા. તમામે તમામ પાંચ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ગરમીથી રાહત મેળવવા તળાવમાં લોકો ન્હાવા પડે છે!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પાણીમાં ડુબવાથી લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના બોટાદથી સામે આવી છે. ગરમીથી રાહત મેળવવા લોકો પાણીનો સહારો લઈ રહ્યા છે. નદીમાં ન્હાવાનું લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ ક્યારેક આવી જગ્યાઓ જિંદગીમાં અંતિમ સ્થાન બની જતા હોય છે. 


પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી! 

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા યુવાનો તળાવમાં પડ્યા હતા. ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ લોકોના મોત ડુબવાથી થયા છે. પાંચ યુવાનોના મોતથી શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃત્યુ પામનાર યુવાનો મહંમદ નગર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે