બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના થયા મોત! ઘટનાસ્થળ પર પોલીસે આવી તપાસ હાથ ધરી!


  • Published By :
  • Published Date : 2023-05-13 19:36:03

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક લોકો નદીમાં ન્હાવા જતા હોય છે. પરંતુ અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના બોટાદ શહેરમાં બની છે. કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા ગયેલા પાંચ લોકોના મોત ડૂબવાથી થયા છે. મળતી માહિતી અનુસાર બે લોકો ન્હાવા પડ્યા હતા. બે લોકો ડુબી રહ્યા હતા તેમને બચાવવા ત્રણ લોકો પડ્યા હતા. તમામે તમામ પાંચ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ગરમીથી રાહત મેળવવા તળાવમાં લોકો ન્હાવા પડે છે!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પાણીમાં ડુબવાથી લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના બોટાદથી સામે આવી છે. ગરમીથી રાહત મેળવવા લોકો પાણીનો સહારો લઈ રહ્યા છે. નદીમાં ન્હાવાનું લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ ક્યારેક આવી જગ્યાઓ જિંદગીમાં અંતિમ સ્થાન બની જતા હોય છે. 


પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી! 

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા યુવાનો તળાવમાં પડ્યા હતા. ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ લોકોના મોત ડુબવાથી થયા છે. પાંચ યુવાનોના મોતથી શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃત્યુ પામનાર યુવાનો મહંમદ નગર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે