બોટાદના કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ યુવાનોના થયા મોત! ઘટનાસ્થળ પર પોલીસે આવી તપાસ હાથ ધરી!


  • Published By :
  • Published Date : 2023-05-13 19:36:03

હાલ ગરમીની સિઝન ચાલી રહી છે. ગરમીથી રક્ષણ મેળવવા અનેક લોકો નદીમાં ન્હાવા જતા હોય છે. પરંતુ અનેક વખત દુર્ઘટના સર્જાતી હોય છે જેમાં લોકોના મોત પણ થતાં હોય છે. ત્યારે આવી જ દુર્ઘટના બોટાદ શહેરમાં બની છે. કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા ગયેલા પાંચ લોકોના મોત ડૂબવાથી થયા છે. મળતી માહિતી અનુસાર બે લોકો ન્હાવા પડ્યા હતા. બે લોકો ડુબી રહ્યા હતા તેમને બચાવવા ત્રણ લોકો પડ્યા હતા. તમામે તમામ પાંચ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


ગરમીથી રાહત મેળવવા તળાવમાં લોકો ન્હાવા પડે છે!

આજકાલ એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પાણીમાં ડુબવાથી લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે ફરી એક વખત આવી ઘટના બોટાદથી સામે આવી છે. ગરમીથી રાહત મેળવવા લોકો પાણીનો સહારો લઈ રહ્યા છે. નદીમાં ન્હાવાનું લોકો પસંદ કરી રહ્યા છે. પરંતુ ક્યારેક આવી જગ્યાઓ જિંદગીમાં અંતિમ સ્થાન બની જતા હોય છે. 


પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી! 

બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં કાળઝાળ ગરમીમાંથી ઠંડક મેળવવા યુવાનો તળાવમાં પડ્યા હતા. ત્યારે એક દુર્ઘટના સર્જાઈ હતી. પાંચ લોકોના મોત ડુબવાથી થયા છે. પાંચ યુવાનોના મોતથી શોકની લાગણી વ્યાપી ઉઠી છે. મૃત્યુ પામનાર યુવાનો મહંમદ નગર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે.     



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.