એક તરફ જળપ્રલય તો બીજી તરફ વરસાદ માટે તરસતી આંખો! જાણો કયા રાજ્યો છે જ્યાં નથી થઈ રહ્યો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-07-12 11:50:52

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. અનેક રાજ્યો એવા છે જ્યાં મેઘમહેર મેહકહેર બની રહી છે. થોડા સમય દરમિયાન પડેલા વરસાદને કારણે અનેક રાજ્યોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા છે. ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા તો બીજી તરફ દક્ષિણભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ ન થવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. 


દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં નથી પહોંચ્યું ચોમાસુ!

અસહ્ય ગરમી બાદ ચોમાસાની કાગડોળે લોકો રાહ જોતા હોય છે, તેમાં પણ ખેડૂતો માટે ચોમાસાની સિઝનનું મહત્ત્વનું રહેલું હોય છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે પરંતુ એવા અનેક રાજ્યો છે જ્યાં વરસાદનો એક છાંટો પણ નથી પડ્યો. અવિરત વરસતા વરસાદને કારણે ચોમાસાની કમી તો પૂરી થઈ રહી છે પરંતુ અનેક રાજ્યો મેઘરાજાની પધરામણી માટે રાહ જોઈ રહ્યા છે. તેલંગાણા, કેરલ સહિત દક્ષિણ ભારતના રાજ્યો ઈન્દ્રદેવ પ્રસન્ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ રાજ્યો એવા છે જ્યાં ચોમાસાએ જોર નથી પકડ્યું. 12 રાજ્યો એવા છે જ્યાં વરસાદનું આગમન ઓછું થયું છે. 


ખેડૂતો વરસાદ માટે જોઈ રહ્યા છે રાહ!

એક તરફ ઉત્તર ભારતમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે, ઓછા સમયમાં પડેલો વરસાદ અનેક રેકોર્ડ તોડી રહ્યો છે. પરંતુ ભારત દેશના જ અનેક એવા રાજ્યો છે જ્યાં ચોમાસાની રાહ જોવા લોકો મજબૂર બન્યા છે. દક્ષિણભારતના રાજ્યોમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો. આમ તો વિધિવત રીતે ચોમાસાનું આગમન સમગ્ર દેશમાં થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યો માટે જાણે ચોમાસાની સિઝન શરૂ જ ન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ભારતમાં વરસાદ ન પડવાને કારણે પાક પર ગંભીર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો વરસાદનું આગમન તેલંગાણા તેમજ કેરળમાં નહીં થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.