એક તરફ જળપ્રલય તો બીજી તરફ વરસાદ માટે તરસતી આંખો! જાણો કયા રાજ્યો છે જ્યાં નથી થઈ રહ્યો વરસાદ?


  • Published By :
  • Published Date : 2023-07-12 11:50:52

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. અનેક રાજ્યો એવા છે જ્યાં મેઘમહેર મેહકહેર બની રહી છે. થોડા સમય દરમિયાન પડેલા વરસાદને કારણે અનેક રાજ્યોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રાજ્યોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે પરંતુ દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ માટે લોકો તરસી રહ્યા છે. ઉત્તરભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા તો બીજી તરફ દક્ષિણભારતના અનેક રાજ્યો એવા છે જ્યાં વરસાદ ન થવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વરસાદ ન પડવાને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. 


દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં નથી પહોંચ્યું ચોમાસુ!

અસહ્ય ગરમી બાદ ચોમાસાની કાગડોળે લોકો રાહ જોતા હોય છે, તેમાં પણ ખેડૂતો માટે ચોમાસાની સિઝનનું મહત્ત્વનું રહેલું હોય છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદ અવિરત વરસી રહ્યો છે પરંતુ એવા અનેક રાજ્યો છે જ્યાં વરસાદનો એક છાંટો પણ નથી પડ્યો. અવિરત વરસતા વરસાદને કારણે ચોમાસાની કમી તો પૂરી થઈ રહી છે પરંતુ અનેક રાજ્યો મેઘરાજાની પધરામણી માટે રાહ જોઈ રહ્યા છે. તેલંગાણા, કેરલ સહિત દક્ષિણ ભારતના રાજ્યો ઈન્દ્રદેવ પ્રસન્ન થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ રાજ્યો એવા છે જ્યાં ચોમાસાએ જોર નથી પકડ્યું. 12 રાજ્યો એવા છે જ્યાં વરસાદનું આગમન ઓછું થયું છે. 


ખેડૂતો વરસાદ માટે જોઈ રહ્યા છે રાહ!

એક તરફ ઉત્તર ભારતમાં આફતનો વરસાદ વરસી રહ્યો છે, ઓછા સમયમાં પડેલો વરસાદ અનેક રેકોર્ડ તોડી રહ્યો છે. પરંતુ ભારત દેશના જ અનેક એવા રાજ્યો છે જ્યાં ચોમાસાની રાહ જોવા લોકો મજબૂર બન્યા છે. દક્ષિણભારતના રાજ્યોમાં જેટલો વરસાદ વરસવો જોઈએ તેટલો વરસાદ નથી વરસ્યો. આમ તો વિધિવત રીતે ચોમાસાનું આગમન સમગ્ર દેશમાં થઈ ગયું છે પરંતુ અનેક રાજ્યો માટે જાણે ચોમાસાની સિઝન શરૂ જ ન થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ભારતમાં વરસાદ ન પડવાને કારણે પાક પર ગંભીર અસર પડી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો વરસાદનું આગમન તેલંગાણા તેમજ કેરળમાં નહીં થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.